આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Friday, November 13, 2009

‘દિવ્ય ભાસ્કર’ દુનિયાના સૌથી ઝડપી પ્રિન્ટિંગ મશીન પર છપાવાનું શરૂ








દિવ્ય ભાસ્કર’પ્રિન્ટ પ્લેનેટ આજે ગુજરાતને સમર્પિત કરાશે
Bhaskar News, Ahmedabad

- મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે : મુખ્ય અતિથિપદે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન પ્રફુલ્લ પટેલ, વિશેષ અતિથિપદે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટ, કેન્દ્રના રાજ્યકક્ષાના વીજપ્રધાન ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે

હવે ગુજરાતી ભાષા દુનિયામાં શિરમોર થશે. આજથી પહેલીવાર ‘દિવ્ય ભાસ્કર’ દુનિયાના સૌથી ઝડપી પ્રિન્ટિંગ મશીન પર છપાવાનું શરૂ કરાશે. દિવ્ય ભાસ્કરના નવા અત્યાધુનિક પ્રિન્ટિંગ પ્રેસ ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે આજે શનિવારે સાંજે ઉદ્ઘાટન કરવામાં આવશે. ભાસ્કર જૂથે આ પ્રિન્ટ પ્લેનેટની સ્થાપના માટે અમદાવાદ પાસેના ચાંગોદરમાં ૨૨૧ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે.

શનિવારે સાંજે પાંચ વાગ્યે પ્રિન્ટ પ્લેનેટના વિશાળ સંકુલમાં યોજાનારા ભવ્ય સમારોહમાં ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટનું ઉદ્ઘાટન થશે. આ સમારોહના મુખ્ય અતિથિપદે કેન્દ્રીય નાગરિક ઉયનપ્રધાન પ્રફુલ્લ પટેલ, વિશેષ અતિથિપદે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટ તેમજ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના વીજ પ્રધાન ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે.

આ શુભ અવસરે ભાસ્કર જૂથ દ્વારા પ્રસ્તુત કોફી ટેબલ બુક મેકર્સ એન્ડ શેપર્સ ઓફ ગુજરાત ( ધ પાવર ૧૦૦ અંક-૨)નું વિમોચન કરાશે. નવા સ્થપાયેલો આ પ્લાન્ટ કલાકમાં ૨ લાખ ૫૫ હજાર કોપી છાપી શકે છે. કેબીએ પ્રિઝ્માની ઉત્પાદકતાને ઘ્યાનમાં રાખીને ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટમાં ક્રેયૂઝે જર્મનીનું સૌથી ઝડપી સીટીપી મશીન પણ વસાવવામાં આવ્યું છે, જે કલાકની ૬૦૦ બ્રોડશીટ પ્લેટની ઝડપે પ્લેટ બનાવી શકે છે.

આ પ્લાન્ટની વામેક મેલરૂમ નામની સંપૂર્ણપણે સ્વયંસંચાલિત પેકગિં લાઇન અખબારની નકલોની ગણતરી કરે છે, બંડલ બનાવે છે, લેબલ લગાવે છે, પ્લાસ્ટિકના આવરણમાં લપેટે છે અને દોરી વડે બાંધીને રવાનગી માટે તૈયાર અખબારનાં બંડલ બનાવી આપે છે. આ સમગ્ર પ્રક્રિયા આપોઆપ જ થાય છે, જેમાં સહેજ પણ માનવીય સ્પર્શ થતો નથી.

‘દૈનિક ભાસ્કર’ પહેલેથી જ ભારતનું સૌથી વધુ વિકાસશીલ અખબાર જૂથ રહ્યું છે. હાલમાં અમદાવાદમાં દિવ્ય ભાસ્કર દ્વારા રોજ રાત્રે એક કરતાં વધુ મશીનો દ્વારા આશરે પાંચ લાખ કોપી છાપવામાં આવે છે. ડબલ વિડ્થના હાઇસ્પીડ મશીનોનો ઉપયોગ કરવાથી પ્રિન્ટિંગની ગુણવત્તામાં નોંધપાત્ર વદ્ધિ કરી શકાય તેમ છે. વધુમાં પ્રિન્ટિંગ મશીનની સંખ્યા ઘટવાથી પ્રિન્ટિંગથી પેકિંગ સુધીનું સંપૂર્ણ ઘટનાચક્ર કોઈ અંતરાય વિના એકધારી રીતે થશે.

ભાસ્કર જૂથ હંમેશાં નવા પરિવર્તનને સ્વીકારવા માટે તત્પર અને પડકારો ઉઠાવવા માટે તૈયાર રહે છે. જયારે હિન્દી ભાષાના પત્રકારો કોમ્પ્યુટર કેવું હોય તે પણ જાણતા નહોતા તેવા સમયે ૧૯૯૫માં ‘દૈનિક ભાસ્કરે’ પોતાના પત્રકારોને કોમ્પ્યુટરથી માહિતગાર કરીને નવી પહેલ કરી હતી.

ગૂગલ અને ગ્રાફિકલ ઇન્ટરનેટ હતા જ નહીં તેવા સમયે ભાસ્કરે ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. પ્રાદેશિક ભાષાનાં અખબારોમાં રંગોનો પ્રારંભ કરનારું સૌપ્રથમ અખબાર પણ દૈનિક ભાસ્કર જ હતું. દૈનિક ભાસ્કર મેટ્રિક્સ તરીકે ઓળખાતી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેના થકી વિશ્વના કોઈ પણ ખૂણે રહેલો દિવ્ય ભાસ્કરનો પત્રકાર પોતાની ભાષામાં કામ કરી શકે છે. ભારતમાં ગુજરાતી એકમાત્ર એવી પ્રાદેશિક ભાષા છે કે જેને આ પ્રિન્ટ પ્લેનેટનું ગૌરવ મળ્યું છે.

પ્રિન્ટ પ્લેનેટની મુખ્ય ખાસિયતો

- અતિઉચ્ચ ઉત્પાદન ક્ષમતા. પ્રત્યેક ફોલ્ડરની પ્રતિકલાક ૮૫,૦૦૦ કોપીની મુદ્રણ ક્ષમતા. કુલ ક્ષમતા ૨,૫૫,૦૦૦ કોપી/ પ્રતિકલાક.

- કલાકની ૬૦૦ બ્રોડશીટ પ્લેટની ઝડપે પ્લેટ બનાવી શકતું ક્રેયૂઝે જર્મનીનું સૌથી ઝડપી સીટીપી મશીન.- આ મશીન ૭૨ રંગીન પેજ છાપવાની ક્ષમતા ધરાવે છે.

- સંપૂર્ણપણે સ્વયંસંચાલિત. સંપૂર્ણ મશીન ઇન્ટરનેટના માઘ્યમથી જર્મનીસ્થિત કેબીએની મુખ્ય ઓફિસ સાથે જોડાયેલું છે, જેથી કોઈ ખામી સર્જાતાં જર્મન નિષ્ણાતો ત્યાં બેઠાં બેઠાં રિમોટ દ્વારા ઉકેલ લાવી શકે છે.

- કલર રજિસ્ટ્રેશન, વેબિંગ, ઇન્ક વોટર બેલેન્સ, રીલ ચેન્જની કામગીરીમાં સહેજ પણ માનવીય સ્પર્શ નહીં.- પ્રથમથી લઈ આખરી કોપી સુધી એકસમાન ગુણવત્તા.

- વામેક મેલરૂમ કે જે ફોલ્ડરમાંથી પ્રિન્ટેડ કોપી ઉઠાવી, સંપૂર્ણપણે ગણતરી કરેલું અને પેક થયેલા બંડલ તૈયાર કરે છે.

- ડબલ વિડ્થ સિંગલ સર્કમફેરન્સ પ્રકારનું મશીન હોવાના કારણે આ મશીન હાલની તુલનાએ બમણી ગતિએ બે ગણી વધુ કોપીનું મુદ્રણ કરે છે.

Tuesday, November 10, 2009

Postponed of Seminar on Industrial Automation

Dear Mr Dave,

Please note that the Seminar on Industrial Automation, has been postponed because of certain unavoidable Circumstances.

Hence the new dates will be informed to you soon.

Regards,Nida

-------------------------------------
Nida Faruqui
Executive
Confederation of Indian Industry
201-203, Abhishek Complex
Akshar Chowk, Old Padra Road
Vadodara- 390 020
Phone: 0265-6532016 / 17
Fax: 0265- 2327108

Forthcoming Events at Vadodara:

• Seminar on Bussiness Opportunities in Industrial Automation on 12 November.
• One Day Workshop on Winning Presentation Skills to be held on 14 November.
• One Day Workshop on GST held on 26 November.

Monday, November 9, 2009

Advanced Training Programme on ENERGY MANAGEMENT

Advanced Training Programme on ENERGY MANAGEMENT
0900 - 1730 hrs: Thursday: 3 December 2009: Hotel Express Residency: Vadodara

INTRODUCTION:
Energy conservation practices have acquired top priority, in the present context of acute power shortage and liberalization of economy. Industry needs to be aware of the latest trends in reducing energy costs, so as to be globally competitive. Some of the states like Gujarat, Punjab, Tamilnadu and Kerala have already made Energy Audit mandatory for all industrial establishments where maximum load exceeds 200 KVA.

To create and spread awareness on energy conservation in Indian Industry, the Energy Management Cell of CII has been organizing seminars and training programmes on Energy Conservation and audit at various industrial centers.

Against this backdrop, CII is organizing a one day advanced training program on Energy Management on 3 December 2009 at Hotel Express Residency, Alkapuri Society, Vadodara.

OBJECTIVE:
• To develop knowledge on techniques for effective energy management, which will result in reducing both thermal and electrical energy consumption.
• To highlight benefits of carrying out detailed energy audits
• To create in house skills on Energy Management tools like pumps, boilers compressors etc.
• To provide an opportunity for industry to reduce their costs and improve competitiveness.
• To sustain energy efficient culture at the work place.

CONTENT:
• Energy audit methodology • Motors
• Electrical Distribution • Centrifugal Pumps
• Air Compressors • Lighting
• Introduction & Concept of GBC

FACULTY:
Mr Dipesh Shah is the Head of Energy Management Cell of CII – WR. He has 15 years of hands on experience in the field of Energy Management & Conservation, Project Management, Detailed Engineering & Project Implementation, Engineering Maintenance, Process & Yield Monitoring. He has been involved in both national & international projects on energy conservation, management. He has trained more than 250 companies in efficient energy management and also has been involved in policy work with state Government. He is also a certified Energy Auditor of Bureau of Energy Efficiency – Govt of India.

TARGET AUDIENCE:
Top-level managers, Maintenance Engineers, Operation/Production Managers, Energy Consultants, Energy Auditors, Energy Managers, Supervisors etc. from all range of manufacturing and process industries.

REGISTRATION DETAILS:
• CII Members: Rs 3000/- (inclusive of service tax)
• Non Members: Rs 4000/- (inclusive of service tax)

The delegate fee should be in the form of a DD/Cheque in favour of “Confederation of Indian Industry” payable at Vadodara. You may kindly confirm your nomination by returning the attached Reply Form, duly filled-in. Kindly ensure that the delegate fee is received prior to the workshop. Also note that the workshop is designed for a maximum of 35 delegates, so that there can be greater one to one discussion. The registration is on first-come-first-serve basis. Prior registration is a must and there will be no spot-registration.

I am writing to request you to take advantage of the workshop by nominating representatives from your organization. I am sure that your participation and that of your colleagues would surely be of great benefit.

Look forward to receiving your positive response.
Yours Sincerely,

Dibyajyoti Bhuyan
Head, Vadodara Zonal Office
Encl: a) Program Agenda
b) Reply Form
c) Note on EMC

For Registration and further details, contact:

Dhanya Pillai
Executive
Confederation of Indian Industry
201-203, Abhishek Complex
Akshar Chowk, Old Padra Road
Vadodara- 390 020Phone: 0265-6532016 / 17Fax: 0265- 2327108

Friday, November 6, 2009

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નૂતનવર્ષ સાઇબર સ્નેહમિલન








મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નૂતનવર્ષ સાઇબર સ્નેહમિલન

Agency, Gandhinagar
Friday, November 06, 2009 18:49 [IST]

ગુજરાતના સુવર્ણજ્યંતિ અવસરે પ્રજાકીય પુરૂષાર્થની પરાકાષ્ઠા સર્જવા સમાજશકિતને પ્રેરક આહ્‍વાન કરતા નરેન્દ્ર મોદીસમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર છે એટલો સંતોષ માની લેવાનું ગુજરાતીના સ્વભાવમાં નથી...એકેએક નાગરિક ગુજરાતની પ્રગતિ માટે સંકલ્પનું એક ડગલું પ્રતિદિન આગળ માંડે...



ગુજરાતની સમાજ-ઊર્જા જ હરેક ક્ષેત્રમાં વિકાસના આંદોલનનું નેતૃત્વ જાગર કરેહિન્દુસ્તાનના જાહેરજીવનમાં ગુજરાત રાજ્યની સુવર્ણજ્યંતિનો અવસર ઐતિહાસિક મિશાલ બનશેગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ, વિડિયો કોન્ફરન્સ માધ્યમથી નૂતનવર્ષ સાઇબર સ્નેહમિલનનો નવતર ઉપક્રમ યોજીને, ગુજરાતની સુવર્ણ જ્યંતિ-ર૦૧૦ના અવસરે પ્રજાકીય પુરૂષાર્થની પરાકાષ્ઠાની મિશાલ સર્જવાનું પ્રેરક આહ્વાન કર્યું હતું.



૧લી મે ર૦૧૦થી ગુજરાતની સુવર્ણ જ્યંતિની વાર્ષિક ઉજવણી શરૂ થવાની છે તે સમગ્ર હિન્દુસ્તાનમાં એક ઐતિહાસિક ધટના રૂપે સુવર્ણાક્ષરે નોંધાય તેવી સુનિશ્ચિત દિશાની રૂપરેખા તેમણે આપી હતી અને એકેએક નાગરિક ગુજરાતની પ્રગતિ માટે રોજ એક ડગલું આગળ ચાલવાનો સંકલ્પ કરે અને ગુજરાતની સમાજશકિતનું વિકાસના જનઆંદોલનનું સામર્થ્ય, દેશ અને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરે એવી અપીલ સાથે નવા વર્ષની શુભકામના તેમણે કોટી કોટી નાગરિકોને પાઠવી હતી.


ગુજરાતના બધા જ ર૬ જિલ્લાઓને આવરી લેતા સાઇબર ટેકનોલોજી નેટવર્કથી રાજ્યની ઇ-ગ્રામ પંચાયતો, શિક્ષણ સંકુલો, ઇ-ગવર્નન્સ કેન્દ્રોના મળીને એકંદરે ર૦,૦૦૦થી વધુ સાઇબર કનેકટીવિટી કેન્દ્રોમાં ઉપસ્થિત એકંદરે એક કરોડથી પણ અધિક નાગરિક જનસમૂદાય, જનપ્રતિનિધિઓ, પંચાયતો અને સ્થાનિક સ્વરાજની શહેરી નગરપાલિકાઓના પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંગઠ્ઠનો, પ્રબુદ્ધ નાગરિકો, માતૃ-નારી શકિત, યુવાવર્ગ અને વિઘાર્થી પેઢી, બાળકો સહિત સમાજના વિવિધ નાગરિકોએ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે સીધા સંવાદરૂપે નવા વર્ષની શુભેચ્છા સાથે, અભિનવ સંકલ્પસિદ્ધિઓના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.આ સાઇબર સ્નેહ મિલનમાં વરિષ્ઠ મંત્રીઓ સર્વ નરોત્તમભાઇ પટેલ, આનંદીબેન પટેલ, નીતિનભાઇ પટેલ, રમણભાઇ વોરા, મુખ્ય સચિવ ડી. રાજગોપાલન, પોલીસ મહાનિદેશક એસ. એસ. ખંડવાવાલા અને વરિષ્ઠ સચિવોએ હાજરી આપી હતી. ર૬ જિલ્લાઓમાંથી વિવિધ વર્ગોના સ્વર્ણિમ સંકલ્પસિદ્ધિ અને નવા સંકલ્પોના ઉત્સાહપ્રેરક પ્રતિભાવો આ સંવાદમાં પ્રાપ્ત થયા હતા.


છેલ્લા એક વર્ષથી સંકલ્પ જ્યોત યાત્રાના કારણે, ગુજરાતભરમાં સ્વર્ણિમ સંકલ્પમય વાતાવરણ બની ગયું છે તેને આવકારતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમાજશકિતના આ ભરોસાના આધારે, તેઓ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીને હિન્દુસ્તાનના જનજીવનની ઐતિહાસિક ધટનારૂપે, સાડાપાંચ કરોડ ગુજરાતીઓના સહિયારા પ્રજાકીય પુરૂષાર્થની પરાકાષ્ઠાનું દર્શન કરાવવા સંકલ્પબદ્ધ બન્યા છે.

"સમગ્ર દેશ કરતાં ગુજરાત આગળ છે, મોખરે છે એનાથી સંતોષ માની લેવાનો ગુજરાતીનો સ્વભાવ જ નથી ''રાજકીય આગેવાનો, વિભિન્ન રાજકીય વિચારધારાને વિસારે પાડીને કોટી-કોટી સામાન્ય નાગરિક જીવનમાં સંકલ્પ લઇને વાણી-વિચાર અને વ્યવહારનો સાક્ષાત્કાર કરાવે એમ તેમણે પ્રેરક અપીલમાં જણાવ્યું હતું.નવા વર્ષે ગુજરાતની વિકાસ ક્ષમતાનો વાવટો અવિરત ઉંચાઇ ઉપર ફરકતો રહે, જન-જનની આશા-આકાંક્ષાની પૂર્તિ થાય અને સમાજજીવનને સુખ, શાંતિ સુવિધાની અનુભૂતિ થાય એવી શુભેચ્છા સેટેલાઇટ ટેકનોલોજીથી નરેન્દ્રભાઇ મોદીએ પાઠવી હતી.


નૂતન વર્ષના નવા આયામોમાં શિક્ષણમાં સર્વસ્તરે ગુણવત્તા સુધારણા અને તે સંદર્ભમાં તા.૧ર-૧૩-૧૪ નવેમ્બરે યોજાનારા ગૂણોત્સવ અભિયાનમાં, માત્ર શિક્ષકો જ નહીં, સમગ્ર સમાજ, વાલીઓ અને ગુજરાતની આવતીકાલની ચિન્તા કરનારા સૌને પોતાનું યોગદાન આપવા તેમણે દર્દભરી અપીલ કરી હતી. ગુજરાતમાં શિક્ષણની ગુણાત્મક સુધારણાને માટે સમાજ પ્રેરિત થશે તો કલંક મિટાવતાં વાર નહીં લાગે. આપણો ભૂતકાળ ગમે તેવો વીત્યો હોય, ભવિષ્યના સામર્થ્યવાન ગુજરાત માટે, આપણે સમાજ-ઊર્જાને ઉજાગર કરીને, નાગરિક ધર્મના કર્તવ્યભાવનાની કેડી કંડારવી છે એમ તેમણે જણાવ્યું હતું.


મુખ્યમંત્રીએ ગુજરાતનું એકેએક ગામ નિર્મળ ગ્રામ બને તે માટે સરપંચોને નેતૃત્વ પુરૂં પાડવા, પ્રત્યેક ગામમાં કુપોષણથી પીડાતા ગરીબ પરિવારોની સગર્ભા માતા અને બાળકને પોષક આહારરૂપે સુખડીની અને દૂધની ગ્રામસમસ્ત જવાબદારીની મિશાલ ખડી કરવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.ગુજરાતની આર્થિક પ્રગતિને કારણે રોજગારી માટે સ્થળાંતરિત અન્ય રાજ્યોના નાગરિકો સહિત શહેરી શ્રમજીવી પરિવારો શહેરી ગરીબીના ખપ્પરમાં હોમાઇ જાય નહીં પરંતુ શહેરોની ઝૂંપડપટ્ટી તથા શહેરી ગરીબોના જીવનધોરણ ઉચું લાવનારી પાયાની સુવિધા-સુખાકારી માટે સંવેદનશીલ સંકલ્પોનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. નગરરચના નહીં પણ સમાજ સંરચના એ શહેરી વિકાસનું ધ્યેય છે તેમ તેમણે જણાવ્યું હતું.ગ્રામવિકાસમાં પર્યાવરણ અને હરિયાળા વૃક્ષોના સંવર્ધનને પ્રાથમિકતા આપવા તેમણે સરપંચોને આહવાન કર્યું હતું. ગ્રામવિકાસના છૂટાછવાયા પ્રયાસોને અને નવા આયામોને એકસૂત્રીય સામાજિક જનઅભિયાનની સુનિશ્ચિત દિશામાં પ્રેરિત કરવા સમાજનું યુવા નેતૃત્વ આગળ આવે તેના ઉપર મુખ્યમંત્રીએ ભાર મૂકયો હતો. ગુજરાતના એકેએક નગર-મહાનગર અને ગામે-ગામ સમાજજીવનમાં સ્વર્ણિમ સંકલ્પનું સાર્વત્રિક વાતાવરણ સર્જીને ગુજરાતની સુવર્ણ જ્યંતિનો અવસર ઉજવવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.


જિલ્લાઓના સ્વર્ણિમ સંકલ્પો અને અભિનવ આયામોને આવકારતાં મુખ્યમંત્રીએ ધર્મસંપ્રદાયો, મંદિર-ટ્રસ્ટો, ધાર્મિક સંતો-મહંતો અને ગાદીપતિઓ દ્વારા ચાલતા અન્નક્ષેત્ર-ભોજનાલય દ્વારા સમાજમાંથી કુપોષણની નાબૂદીને માટેનું નેતૃત્વ લેવાનું પ્રેરક સૂચન કર્યું હતું.મુખ્યમંત્રીએ ગુજરાતની યુનિવર્સિટીઓ, યુવાશકિત અને પ્રબુદ્ધ સંગઠ્ઠનોને ગુજરાતના સાંસ્કૃતિક વિરાસત સમા કલા, સાહિત્ય અને સંસ્કાર વૈભવનું સંવર્ધન કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પણ આપ્યું હતું અને રોટરી-લાયન્સ-જેસીસ-ચેમ્બર ઓફ કોમર્સના અભિયાનો શિક્ષણ અને સંસ્કારના ગૂણોત્સવ માટે પ્રેરક ઊર્જા પૂરી પાડે તેવી અભ્યર્થના વ્યકત કરી હતી.


ગુજરાતની સુવર્ણ જ્યંતિના વર્ષમાં રાજ્યની નવી પેઢી માટે જ્ઞાનશકિતની ઉપાસના સ્વરૂપે વિરાટ વાંચન અભિયાન, ખેલકૂદ ક્ષેત્રે યુવાકૌશલ્ય માટે ગુજરાત ઓલિમ્પીક-ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવાના નિર્ધારની રૂપરેખા તેમણે આપી હતી.પર્યાવરણ ક્ષેત્રે નગરો અને ગ્રામ પંચાયતોના તંત્રો દ્વારા "કચરામાંથી કંચન''ના પ્રોજેકટ હાથ ધરવા અને ધનકચરાને ધનકંચનમાં રૂપાંતરિત કરવાની જરૂર ઉપર તેમણે ભાર મૂકયો હતો.સમાજજીવનમાં પ્રજાકીય પુરૂષાર્થની પરાકાષ્ઠા માટે ગુજરાતમાં નેતૃત્વ પ્રત્યેક ક્ષેત્રમાં પ્રગટે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી.

Thursday, November 5, 2009

મળે તો ... - સુરેન્દ્ર કડિયા

મિત્રો,

આપની સમક્ષ ફરી એકવાર કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની એક ગઝલ પ્રસ્તુત કરી રહ્યો છું. આમ તો મારા આગ્રહને વશ થઈ તેઓએ અન્ય છ કવિતાઓ પણ ઉપલબ્ધ કરાવી છે, જેને આપના રસાસ્વાદ માટે ટૂંક સમયમાં જ આપની સામે પ્રસ્તુત કરીશ.

લ્યો, તો ચાલો માણો નવનીત સમર્પણ સામયિકના દીપોત્સવી અંકમાં પ્રકાશિત થયેલ તેમની એક ગઝલ ...

આપના મંતવ્યો કોમેન્ટ સ્વરૂપે આપ આ પોસ્ટની નીચે આપેલ લીંક દ્વારા મૂકી શકો છો. આપ તેમને આ ગઝલ વિશેના આપના મંતવ્યો સીધા તેમના ઈમેલ s.kadiya@sbi.co.in પર પણ જણાવી શકો છો.


મળે તો ...

થઈ જવું ચોધાર, અનરાધાર, એવું સ્થળ મળે તો
પથ્થરોની પાર, પેલી પાર, ટીપું જળ મળે તો.

ઝાડ અથવા પહાડ નહિ પણ છે તમન્ના કે ઉપાડું
એક કીડીના સ્વપનનો ભાર, થોડું બળ મળે તો.

આ નથી વરસાદ, ઉપનિષદ બધાં વરસી પડ્યાં છે
મર્મ નિતારી જુઓ, નિતાર જો નિર્મળ મળે તો.

એજ નાટક, એજ પડદો, એજ વૃક્ષો, એ નદી છે
રાહ જોઉં – ચીતરેલાં નીર ખળ-ખળ-ખળ મળે તો.

થઈ જશે નિર્ભ્રાંત ચૌદે ચૌદ ભુવન એક પળમાં
જો મળે ગેબી, ગહન ગુફા અને ઝળહળ મળે તો.

સુરેન્દ્ર કડિયા
નવનીત દીપોત્સવી, ઓક્ટો-09, પૃષ્ઠ-95.



(તેમની રચનાઓ મારા બ્લોગ માટે ઉપલબ્ધ કરાવવા માટે શ્રી સુરેન્દ્ર કડિયાનો હું ઋણી છું.)

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory