આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Friday, October 8, 2010

વિશ્વની સૌથી ઊઁચી પ્રતિમા - ગુજરાત ગૌરવ . . .

વિશ્વની સૌથી ઊઁચી પ્રતિમા - ગુજરાત દ્વારા ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ ને સાદર વંદન.

Saturday, May 15, 2010

સ્વર્ણિમ ગુજરાત ઉજવણી વિડિયો

સ્વર્ણિમ ગુજરાત ઉજવણી


Golden Jubilee Mega Festival makes a golden mark in history


Gujarat Governor Dr.Smt.Kamla today inaugurated Swarnim Jayanti Mahotsav (Golden Jubilee Mega Festival) at Sardar Patel Stadium Ahmedabad. She said that the land of Gujarat is bejeweled with many Ratnas (Gems). Gujarat has given birth to many great leaders, who created history replete with their glorious contributions.

Swarnim Gujarat Mahotsav was inaugurated by the Governor in the august presence of Chief Minister Shri Narendra Modi, Member of Lok Sabha Shri Lal Krishna Advani, Leader of Opposition in Lok Sabha Smt Sushma Swaraj, Leader of Opposition in Rajya Sabha Shri Arun Jaitley, Chief Ministers of various States, Deputy Chief Ministers and eminent leaders. Gujarat Governor observed that today’s event is of immense importance for Gujrati community, it is truly a historic occasion. The fifty years journey in the life of a State is not considered to be a long period. It is also an occasion to reflect upon history, to take a glimpse on milestone achievements. The introspective process paves way for future progress and prosperity, surely offers inspirations and insights.

Governor remarked that the glorious era began, before five decades, with the blessings of Pujya Ravishankar Maharaj; the enchanting journey is laced with milestone achievements and breakthroughs, added Governor. She paid homage to Mahatma Gandhiji. Mahatma Gandhi preached truth, non violence and principles of luminosity, his teachings have relevance and value in the present era, enlightens the universe. Under his visionary leadership, India became independent, without shedding a drop of blood. Architect of united India, Sardar Vallabhbhai Patel belongs to Gujarat. He remains a fountain of inspiration for future generations.

Golden Jubilee Mega Festival opened to an overwhelming public response, Sardar Patel stadium was packed to its capacity.

Sardar Patel stadium was converted in to cauldron of cultural diversity. Original and congenial Gujarati music and songs pervaded the stadium mesmerized audience. Golden Jubilee Mega Festival made a historic mark in the history.

Ex. Deputy Prime Minister and M.P, Shri Lal Krishna Advani said, “It has been my proud privilege that I am representing Gandhinagar in Lok Sabha. Gujarat is fortunate to have visionary leader like Narendra Modi, who has burning desire to act upon his dreams. In a true sense, the celebrations have become people’s festival . It is not just an official function. Shri Modiji devotes credit of Swarnim Gujarat to the people.

”Fifty years since its inception, Gujarat stands out as one of the most progressive states, acclaimed nationally and internationally .On the occasion of Golden Jubilee, Chief Minister extended warm greetings to the people. With meaningful and purposeful contribution from people, Gujarat has scaled new heights, added CM. He said, “I deeply value contribution from all. It is also an occasion to express our gratitude towards martyrs of Maha Gujarat Movement.

We have to realize the dream cherished by Ravishankar Dada and Induchacha, the land belongs to Pujya Bapu. We are inheritors of the great legacy that we inherited from Sardar Patel. It is an occasion to renew our pledge and commitment People from the world over have come to participate in the golden jubilee festival. Gujarati Community spread over 50 countries and five continents have come to attend the event. The State government has identified 200 sectors. The state aims to act with full vigour to achieve golden goals, and to enhance the human development index for the poor. We have concentrated on 50 issues, in the next ten years. The state government is all set to mark 50 Golden-Landmarks in next 10 years. Common vision, common goal, common dreams, Gujarat has potential to fulfil golden goals.

“He inspired the youth to devote 100 hours of their time for Swarnim Gujarat. He outlined the theme of ‘Vance Gujarat’ and ‘Khelkud Mahakumbh”

The 5.5-crore Gujaratis ought to take one pledge, it would take Gujarat forward by 5.5-crore steps during the golden jubilee mega festival.

He exuded confidence that Gujarat is sure to reach such heights during the next 365 days which no one dare compete.

Prominent among those participated at the mega festival included Opposition leader in Lok Sabha Smt Sushma Swaraj, Opposition leader in Rajya Sabha Shri Arun Jaitley, Chief Ministers and Deputy Chief Ministers from various states, former Central Ministers. Former Gujarat Chief Minister Shri Keshbhai Patel, present Ministers, MPs, MLAs, religious heads were also present.

http://www.narendramodi.com/ से साभार.

Saturday, May 1, 2010

1st of May, Foundation Day of Gujarat: A Celebration of Swarnim Gujarat - by Narendra Modi

1st of May, Foundation Day of Gujarat: A Celebration of Swarnim Gujarat

by Narendra Modi



1. May 2010 00:05



Celebrating 50 golden years of progressive journey of Gujarat



પ્રિય મિત્રો,


આજે પહેલી મે

ગુજરાતનો સ્થાપના દિવસ.


ગુજરાતીઓની ૫૦ વર્ષની અર્ધશતાબ્દીની પુરુષાર્થ યાત્રા.


ગુજરાતની સ્થાપના માટે અનેક આશાસ્પદ યુવાનોએ શહીદી વહોરી.


અનેક પેઢીઓએ ગુજરાતના વિકાસ માટે પોતાની જવાની ખપાવી દીધી.


દુષ્કાળ હોય, પુર હોય, વાવાઝોડુ હોય કે ભૂકંપ હોય આવી અનેક આફતોનો સામનો તો કર્યો જ અને દરેક વખતે આફતને અવસરમાં પલટાવી પણ દીધી.


ગુજરાતની વિકાસયાત્રા અનેકવાર રાજકીય ખટપટોની ભોગ પણ બની તો રાજકીય ઈચ્છા શકિતથી વિકાસની ગાડી પાટે પણ ચઢી, પૂરપાટ વેગે આગળ વધતી રહી છે.

ગરીબમાં ગરીબ માનવી હોય, ભણેલા હોય કે અભણ, શહેરી હોય કે ગ્રામિણ, પુરુષ હોય કે સ્ત્રી હોય, યુવાન હોય કે વડીલ હોય દરેકે દરેક ગુજરાતીએ ગુજરાતને આગળ ધપાવવામાં કંઈને કંઇ યોગદાન આપ્યું છે.


ગુજરાતને પ્રેમ કરનાર સહુનો નમ્રપણે ઙ્ગણ સ્વીકાર કરવાની આ પળ છે.



હું...



ગુજરાત માટે જીવનાર



ગુજરાત માટે ઝઝુમનાર



ગુજરાત માટે પુરૂષાર્થ કરનાર

સહુ કોઈનો

અંતઃકરણ પૂર્વક

ઋણ સ્વીકાર કરૂં છું.

જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ છે। સ્વર્ણિમ જયંતિના પાવનપર્વે, જનતા જનાર્દન મને આશીર્વાદ આપે, વધુને વધુ શકિતથી, પરિશ્રમથી નિષ્ઠાપૂર્વક આપ સહુનો અદનો સાથી બનીને, હું આપની સેવામાં કાર્યરત રહું અને આપ સહુએ સોંપેલી જવાબદારીને સારી રીતે નિભાવું।


મા ગુર્જરીને વંદન



મા ભારતીને વંદન



જય જય ગરવી ગુજરાત


જય જય સ્વર્ણિમ ગુજરાત










http://www.narendramodi.com/ से साभार.

Friday, April 30, 2010

હેપ્પી બર્થ ડે ગુજરાત

હેપ્પી બર્થ ડે ગુજરાત

Tuesday, April 20, 2010

ધોલેરા SIR .... ગુજરાત (GUJARAT) CAN .... ગુજરાત (GUJARAT) WILL

ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન -

ગુજરાત CAN... ગુજરાત WILL ...


Sunday, February 7, 2010

Hindu Concept of the Beginning and End of Universe

Watch this video and you decide

આ વિડીયો જુઓ અને તમે જાતે નક્કી કરો ...

HINDUISM -- SCIENTIFICALLY proven RELIGION (part 3 of 3)

Watch this video and you decide

આ વિડીયો જુઓ અને તમે જાતે નક્કી કરો ...

HINDUISM -- SCIENTIFICALLY proven RELIGION (part 2 of 3)

Watch this video and you decide

આ વિડીયો જુઓ અને તમે જાતે નક્કી કરો ...

HINDUISM -- SCIENTIFICALLY proven RELIGION (part 1 of 3)

Watch this video and you decide

આ વિડીયો જુઓ અને તમે જાતે નક્કી કરો ...

Saturday, February 6, 2010

રાહુલ ગાંધીની ભયંકર ભૂલ : પહેલા ગુજરાતીઓ અને પછી

Rahul gandhi - Says sorry to bihari students for making anti-gujarat political rant

રાહુલ ગાંધીની ભયંકર ભૂલ : પહેલા ગુજરાતીઓ અને પછી બિહારીઓ ...! ! !

જૂઓ YouTube વિડીયો ...

Saturday, January 9, 2010

ગણપત યુનિવર્સિટીનો ત્રીજો દિક્ષાંત સમારોહ - શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દિક્ષાંત પ્રવચન - તારીખ ૦૪ જાન્યુઆરી, ૨૦૧૦

ગણપત યુનિવર્સિટીનો ત્રીજો દિક્ષાંત સમારોહ -

શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દિક્ષાંત પ્રવચન -

તારીખ ૦૪ જાન્યુઆરી, ૨૦૧૦


તારીખ ૦૪ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ મહેસાણા ખાતે આવેલ ગણપત યુનિવર્સિટીનો ત્રીજો દિક્ષાંત સમારોહ આયોજિત કરવામાં આવ્યો. આ દિક્ષાંત સમારોહમાં ગુજરાતના લોકલાડીલા અને કર્મનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિક્ષાંત પ્રવચન આપ્યું. આ પ્રવચનમાં તેઓએ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થી આલમ અને યુવાધનને આપેલ સંદેશ આપના શ્રવણ માટે અત્રે પ્રસ્તુત છે.


Sunday, January 3, 2010

મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહની ચીરવિદાય






મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહની ચીરવિદાયથી

આઘ્યાત્મિક કવિની સૌંદર્યાભિમુખ કવિતાનો યુગ આથમી ગયો


અમદાવાદ, રવિવાર, 03.01.2010.



ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ અને ભારતીય સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત રાજેન્દ્ર શાહનું ગઇકાલે રાતે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ ૯૭ વર્ષના હતા. તેઓના અવસાનથી ગુજરાત, ગુજરાતી ભાષાએ અનુગાંધી યુગના એક આઘ્યાત્મિક કવિ ગૂમાવ્યા છે.



જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત અનુગાંધીયુગનાકવિનું મુંબઇમાં ૯૭ વર્ષની વયે અવસાન



૧૯૧૩ની ૨૮મી જાન્યુઆરીએ ખેડા જિલ્લાના કપડવંજમાં જન્મેલા રાજેન્દ્રભાઇ પિતા કેશવલાલ અને લલિતાબહેનનું એક માત્ર સંતાન હતા. બે વર્ષની નાની વયે પિતાનું છત્ર ગુમાવ્યું પછી યુવાન વિધવા માતાએ વિષમ સંજોગોમાં તેમને ઉછેર્યા હતા, સ્વમાન અને સંસ્કારનું સિંચન કરેલું.



પ્રાથમિક, માઘ્યમિક શિક્ષણ કપડવંજમાં મેળવ્યું હતું. સાથોસાથ અંબુભાઇ પુરાણીની વ્યાયામ પ્રવૃત્તિમાં પણ રસ લીધેલો. ઇ.સ. ૧૯૩૦માં અસહકાર આંદોલનમાં જોડાયા ત્યારે માત્ર ૧૭ વર્ષના હતા અને મેટ્રિકની પરીક્ષા નહીં આપવાનું નક્કી કર્યું હતું. સાડાત્રણ માસની આકરી સજા સાબરમતી અને યરવડાની જેલમાં ગુજારેલી.



૧૯૩૨માં મેટ્રિક પાસ કરી રાજેન્દ્રભાઇ મુંબઇની વિલ્સન કોલેજમાં અભ્યાસાર્થે ગયા હતા પરંતુ તબિયતે સાથ ન આપતા વતન પાછા ફર્યા હતા. ૧૯૩૪માં વડોદરા જઇ અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૩૭માં તત્વજ્ઞાનના (ફિલોસોફી) વિષય સાથે બી.એ. થયા હતા.



એમ.એ.નો અભ્યાસ કરવા અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા. આર્થિક ઉપાર્જન માટે ઢાલગરવાડ પાસેની શાળામાં નોકરી કરી હતી. એ પછી જાણીતી મહિલા સંસ્થા ‘જ્યોતિસંઘ’માં પણ ૧૯૪૨ સુધી કામ કરેલું. જો કે એમ.એ.નો અભ્યાસ પૂરો કરી શક્યા નહોતા.



દરમિયાન ૧૯૩૧ મંજુલાબહેન આગ્રાવાલા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. પરિવારમાં છ સંતાનો (ત્રણ દિકરા, ત્રણ દીકરી) પૈકીના સૌથી મોટા પિનાકીનભાઇ જોડે પાછલાં વર્ષોમાં મુંબઇ છોડીને આવ્યા ત્યારથી અમદાવાદમાં રહેતા હતા.



૧૯૪૨ સુધી ‘જ્યોતિસંઘ’માં કામ કર્યા પછી અમદાવાદમાં જ ‘ગૃહસાધન’ નામે મોદીખાનાની- કરિયાણાની દુકાન શરૂ કરેલી ૧૯૪૫માં મુંબઇ ગયા. જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રાક્ટ લેતી આર. જે. શાહ એન્ડ કંપનીમાં ૧૯૫૧ સુધી નોકરી કરી. ૧૯૫૧થી ૧૯૫૫ દરમિયાન કાગળનો વ્યાપાર કર્યો. તે પછી ૧૯૫૫માં ‘લિપીની પ્રિન્ટરી’ નામક પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કર્યો હતો.



૧૯૭૦માં પ્રિન્ટીંગ પ્રેસ પુત્ર કૈવલ્યને સોંપી તેઓ વતનમાં પાછા આવ્યા હતા. ત્યારપછી નિવૃત્ત જીવન ગુજારતા હતા. જો કે એમની સાહિત્ય પ્રવૃત્તિ તો જળવાઇ જ રહી હતી. ૧૯૯૩માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા હતા. પછીથી મોટે ભાગે અમદાવાદમાં જ રહ્યા હતા.



૨૦૦૪માં, ભારતીય સાહિત્યના નોબેલ પુરસ્કાર મનતા ‘જ્ઞાનપીઠ’ એવોર્ડથી સન્માનિત એવા રાજેન્દ્રભાઇને પહેલો પ્રતિષ્ઠિત પુરસ્કાર ૧૯૪૭માં ‘કુમારચન્દ્રક’ રૂપે મળ્યો હતો. ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરનારા આ આઘ્યાત્મિક કવિની ઝોળીમાં રણજિતરામ સુવર્ણ ચન્દ્રક (૧૯૫૬) સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૬૪) નર્મદ ચન્દ્રક (૧૯૭૭) અરવિંદો સુવર્ણ ચન્દ્રક (૧૯૮૦) ભારતીય ભાષા પરિષદનો એવોર્ડ (૧૯૮૫) ધનજી કાનજી સુવર્ણચન્દ્રક (૧૯૮૬) ગુજરાત સાહિત્ય અકાદમીનું મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન (૧૯૯૩) અને નરસિંહ મહેતા એવોર્ડ પડી ચૂક્યા હતા.



રાજેન્દ્ર શાહની ૭ દાયકાની કાવ્યયાત્રાઃ ‘ઘ્વનિ’થી ‘પ્રેમનો પર્યાય’
મૌલિક કાવ્યસર્જન ઉપરાંત અનેક ઉત્તમ અનુવાદો પણ એમણે આપ્યા છે



કવિ રાજેન્દ્ર શાહની કવિતાયાત્રા સાત દાયકાથી પણ વઘુ ચાલી છે. કાળના વિશાળ પટ પર વિસ્તરેલી એમની શબ્દયાત્રામાંથી જે કાવ્યસગ્રહો- ગીત સંગ્રહો ગુજરાતી ભાષાને મળ્યા તેની યાદી ‘ઘ્વનિ’(૧૯૫૧)થી ‘પ્રેમનો પર્યાય’ (૨૦૦૪) સુધીની છે જે આ મુજબ છે.
ઘ્વનિ (૧૯૫૧)
આંદોલન (૧૯૫૧-૫૨)
શ્રુતિ (૧૯૫૭)
મોરપિંછ (બાળ કાવ્યસંગ્રહ) (૧૯૬૦)
શાંત કોલાહલ (૧૯૬૨)
ચિત્રણા (૧૯૬૭)
ક્ષણ જે ચિરંતન (૧૯૬૮)
વિષાદને સાદ (૧૯૬૮)
મઘ્યમા (૧૯૭૭)
આંદોલન (ગીતસંગ્રહ) ૧૯૭૮
ઉદ્ગીત (૧૯૭૯)
ઇક્ષણા (૧૯૭૯)
પત્રલેખા (૧૯૮૧)
પ્રસંગ સપ્તક (૧૯૮૨)
પંચપર્વા (૧૯૮૩)
કિંજલ્કિની (૧૯૮૩)
વિભાવન (૧૯૮૩)
દ્વા સુપર્ણા (૧૯૮૩)
આંબે આવ્યા મોર (બાળકાવ્ય) ૧૯૮૫
ચંદન ભીની અનામિકા (૧૯૮૭)
નીલાંજના (૧૯૮૯)
આરણ્યક (૧૯૯૨)
સ્મૃતિ સંવેદના (૧૯૯૮)
વિરહ માઘુરી (૧૯૯૯)
વ્રજ વૈકુંઠે (૨૦૦૨)
હા... હું સાક્ષી છું (૨૦૦૩)
પ્રેમનો પર્યાય (૨૦૦૪)



રાજેન્દ્રભાઇએ મૌલિક કાવ્યસર્જનો ઉપરાંત કેટલાક અનુવાદો પણ કર્યા હતા. જેમાં જયદેવ રચિત ગીત ગોવિંદ (૧૯૮૯) વિદ્યાપતિ (૧૯૮૦) જીવનાનંદદાસ (૧૯૮૫) બુદ્ધદેવ બસુ (૧૯૯૦) તૃણપર્ણ (વોલ્ટ વ્હિમટન કૃત ૧૯૯૧) કોલારિજકૃત કથાકાવ્ય ‘ધ રાઇમ ઓવ ધી એન્શન્ટ મેરિનરનો અનુવાદ ગાથા એક વૃદ્ધ નાયિકની (૧૯૯૮) રવિન્દ્રનાથ કૃત બલાકા (૧૯૯૩) ઇશાવસ્ય ઉપનિષદ (૧૯૯૫) વગેરેનો સમાવેશ થાય છે. પછીના વર્ષોમાં કાલિદાસકૃત ‘મેઘદૂત’ અને બિલ્હણકૃત ‘ચારે પંચાશિકા’ પણ પ્રગટ થયા હતા.



ઇંધણાં વીણવા ગૈતી મોરી સૈયર... ઇંધણાં...!

અમદાવાદ, રવિવાર


‘ઇંધણા વીણવા ગૈતી મોરી સૈયર, ઇંધણાં વીણવા ગઈ’તી રે લોલ’ એ ગીત સાથે ટીવીના નાનકડા પડદે નવરાત્રિપર્વે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકને જોઈને દર્શકો ઝૂમી ઉઠે કે પછી આલ્બમનું ગીત સાંભળીને યુવા પેઢીના શ્રોતાઓ ડોલી ઉઠે છે. પણ યુવાપેઢીને ભાગ્યે જ ખબર હશે કે આ રઢિયાળું ગીત કવિ રાજેન્દ્ર શાહની રચના છે.



એમના પહેલા કાવ્યસંગ્રહ ‘ઘ્વનિ’ (૧૯૫૧)નું આ કાવ્ય અત્યારે ૬૦ વર્ષ પછી પણ યુવાપેઢીને આકર્ષે છે. આ કાવ્યમાં બપોરની વેળા, ચૈતર મહિનાનું આભ, કોયલનો ટહૂકો, અને આવા વાતાવરણ વચ્ચે જોવાતી વાટની અનોખી વાત છે. છેલ્લે તો કવિ કહે છે કે ‘વાતરક વ્હેણમાં નૈતી મોરી સૈયર, વાતરક વ્હેણમાં નહી’તી રે લોલ...’ આ બધામાંથી એક અદ્ભૂત ચિત્ર ઊભું થાય છે અને એટલે જ આ ગીત ‘કોઈકની વાટ જોનારા’ પ્રત્યેકના દિલને ડોલાવે એવું છે.





અક્ષર દેહના સ્વામી વહેલી સવારે ચિરનિદ્રામાં

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહ અતિત બન્યા

મુંબઈ, તા.૩



ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ, સમર્થ ગીતકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ- વિજેતા સર્જક શ્રી રાજેન્દ્ર શાહ શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ગોરેગામ (પૂર્વ)માં દિંડોશી પાસે આવેલા તેમના પુત્ર કૈવલ્યના નિવાસસ્થાને શાંતિપૂર્વક ચિરનિદ્રામાં પોઢી ગયા હતા. તેમની ઊંમર ૯૭ વર્ષની હતી. ગઈકાલે સવારે તેમનાં સ્વજનો અને જાણીતા સાહિત્યકારોની ઉપસ્થિતિમાં તેમના અક્ષરદેહના અંતિમસંસ્કાર કરાયા હતા.



‘કેવડિયાનો કાંટો અને ‘બોલીએ ના કંઈ જેવી લોકપ્રિય રચનાઓના સર્જકની વિદાયઃ મારું જીવનકાર્ય પૂરું થયું છેઃ કવિના અંતિમ શબ્દો



૧૯૦૩માં ગુજરાતના નડિયાદ જિલ્લામાં કપજવંજ ખાતે જન્મેલા રાજેન્દ્રભાઈએ યુવાન વયથી જ સુંદર ઊર્મિકાવ્યો લખવાની શરૂઆત કરી હતી. તેમનાં કાવ્યો ઉંડા પ્રકૃતિપ્રેમ, માનવસ્વભાવના માર્મિક નિરીક્ષણ, લયમાઘુર્ય અને નાદમાઘુર્યથી છલકાતાં હોવાથી ગાંધીયુગના તત્કાલીન કવિઓમાં તેમણે આગવી ઓળખ ઊભી કરી હતી.



૩૯ વર્ષની વય ૧૯૪૨માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઘ્વનિ’ પ્રગટ થતાંવેંત તેમની રચનાઓ ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો’ અને ‘બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ’ જેવાં ગીતો લોકજીભે ચડી ગયાં હતાં અને વરસો સુધી પાઠયપુસ્તકોમાં અચૂક સ્થાન પામ્યાં હતાં.

તેમના અન્ય કાવ્યસંગ્રહોમાં ‘શ્રુતિ’, ‘શાંત કોલાહલ’, ‘આંદોલન’નો સમાવેશ થાય છે. ૨૦૦૪માં રાજેન્દ્રભાઈને ગુજરાતી કાવ્યધારામાં અનેરા યોગદાન બદલ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

છેલ્લાં થોડાક વરસોથી તેઓ ગુજરાતી ડિકશનેરીના કાર્યમાં વ્યસ્ત રહેતા હતા. બેએક દિવસ પહેલાં તેમને થોડીક અસ્વસ્થતા જણાતાં હોસ્પિટલમાં સારવાર લેવાનું તેમના પુત્ર કૈવલ્યે કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મારું જીવનકાર્ય હવે પૂરું થઈ ગયું છે. છતાં ગઈકાલે ડોક્ટરે તેમને કહ્યું કે તમને સારવાર આપીને આવતીકાલે તાજામાજા કરી દઈશું ત્યારે તેમણે મક્કમતાથી કહ્યું હતું કે ‘પણ આવતીકાલે હું હોઈશ તોને?’ આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.’



રાજેન્દ્રભાઈના પરિવારમાં બે પુત્રો અને ત્રણ પુત્રીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રઘ્વજને છાતીએ ચાંપી ટાવર પરથી ભૂસકો મારેલો!
અમદાવાદ, રવિવાર



મેટ્રિકની પરીક્ષા ન આપીને આઝાદીની લડાઈ અંતર્ગત અસહકારના આંદોલનમાં જોડાયેલા રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિતાના ક્ષેત્રે જેમ ટોચ પર બિરાજતા હતા તેમ એમના રાષ્ટ્રપ્રેમ પણ ટોચનો હતો.

૧૯૩૦માં ત્રણ મહિનાની આકરી સજા અમદાવાદ અને યરવડાની જેલમાં ભોગવી પછી વતન કપડવંજમાં પાછા ફર્યા હતા. એ પછીના એક દિવસે કપડવંજના ટાવર પર રાષ્ટ્રઘ્વજ ફરક્યો હતો. એને ઉતારવા પોલીસ પ્રયાસ કરી રહી છે તેવું રાજેન્દ્રભાઈના ઘ્યાનમાં આવ્યું. એ સાથે જ આ તરવરિયા યુવાન સડસડાટ ટાવર પર ચડી ગયા. કોઈ કશું વિચારે એ પહેલાં જ રાષ્ટ્રઘ્વજને છાતી સરસો ચાંપી લઈ ઊંચા ટાવર પરથી સીધો ભૂસકો લગાવ્યો હતો! એટલી ઊંચાઈએથી પટકાયા પછી ઘ્વજને નહીં છોડનારા રાજેન્દ્રભાઈને પોલીસે પણ ઢોર માર માર્યો હતો. એના કારણે એમને લાંબી માંદગી પણ ભોગવવી પડી હતી.

Friday, January 1, 2010

ગુજરાતને વિશ્વનું ઘર બનાવવાની નેમ







ગુજરાતને વિશ્વનું ઘર બનાવવાની નેમ
Bhaskar News, Gandhinagar
ગુજરાતના ૫૦ વર્ષના ૬૭૫ લોકપ્રતિનિધિઓની વિધાનસભામાં ઉપસ્થિતિ : સૌએ લીધો સ્વર્ણિમ સંકલ્પ

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક સ્વર્ણિમ સંસદીય પરિષદ સાથે ગુજરાતની સ્થાપનાની સુવર્ણજયંતિની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો હતો. વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષના અત્યાર સુધીના ૬૯૫ જેટલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગુજરાતને વધુ ‘સ્વર્ણિમ’ બનાવવાનો સર્વપક્ષીય સંકલ્પ કરાયો ત્યારે ગુજરાતની ગરિમા દીપી ઊઠી હતી.

આ સંકલ્પની રજૂઆત વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર સૌને સાથે લઇને ચાલશે. જૉ કે માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિકાસના તબક્કાને સમર્થન આપી મીઠી ટકોર પણ કરી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ મોકલેલા સંદેશામાં ગુજરાતને ભારતનો ‘ કોહિનૂર ’ ગણાવ્યો હતો. ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતા અડવાણીએ ગુજરાત જેવી ઉજવણી તમામ રાજયમાં થવી જૉઇએ તેવું સૂચન કર્યું હતું.

નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત ન રહી શકેલા સાંસદ અહેમદ પટેલે પણ એક સંદેશામાં ગુજરાતની પ્રગતિને પ્રેરણારૂપ ગણાવીને રાજયના નાગરિકોન બિ રદાવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવા જણાવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજયના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતુ ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની ગેરહાજરી નોંધપાત્ર બની હતી.

ગુજરાત વિધાનસભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ગાંધીનગરમાં એવા પણ સભ્યો ઉત્સાહ સાથે આવ્યા હતા કે ઉમરના કારણે તેમની શારીરિક સ્થિતિ નબળી પડી હતી. ઘણાં વર્ષોપછી સભાગહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જૂના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા.

શુક્રવારે બપોરેવિધાનસભાગૃહમાં પરિષદના પ્રારંભ પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિર્ણમ સંકલ્પની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતની સ્થાપના પછીનાં ૫૦ વર્ષના ડેવલપમેન્ટ ગ્રાફમાં કોઇ એક સરકાર કે કોઇ એક વ્યકિતનું યોગદાન નથી પરંતું વિકાસની ઊચાઇઓ સર કરવામાં પાયો નાખનારા મહાનુભાવોથી લઇને વિકાસની કેડી કંડારનારા તમામ સહભાગી છે. આ તબક્કે હું અત્યાર સુધીમાં સત્તાસ્થાને આવેલા તમામ મુખ્યમંત્રીઓનો ઋણી છે. વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને તેને પ્રેરક, અસરકારક વળાંક આપવાનો છે.

ગુજરાતની પ્રજાના સપનાને પૂરાં કરવા માગતા ગુજરાત સરકારના સ્વિર્ણમ સંકલ્પને વધાવી રાજયપાલ ડો. કમલાએ કહ્યું હતું કે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત તેજી સાથે વિકાસનાં કામોમાં કોઇ કસર નહીં છોડે. છેલ્લાં પ૦ વર્ષમાં આવેલા તમામ મુખ્યમંત્રીઓએ રાજયનો નિરંતર વિકાસ કર્યોછે. હું રાજસ્થાની છું અને અમારા રાજયએ ગુજરાતને સગાભાઇની જેમ જૉયું છે. ગુજરાતે જ અમને લગન, મહેનત અને સરચાઇ શીખવી છે. તપસ્યા એ ગુજરાતીઓની એક ખૂબી રહી છે. પરિષદ પૂર્વે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટે તેમના સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૧૦ની પહેલી મે થી એક વર્ષ સુધી રાજયમાં સ્વિર્ણમ સિદ્ધિ અને સોપાનનું તર્પણ ગુજરાતની પ્રજાને થવાનું છે.

ગાંધીનગરના સાંસદ એલ. કે. અડવાણીએ કહ્યું હતું કે, ગુજરાત દેશ માટે અનુકરણનીય છે. ગુજરાતનો વિકાસ કોઇ એક નેતાના કારણે નહીં પણ રાજયની જનતાના કારણે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જૉ પક્ષાપક્ષીથી દૂર રહેવાશે તો અકલ્પનીય વિકાસ સાધી શકાશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિતરણ વિનાની સમૃઘ્ધિ ખરાબ છે.

સંસ્કારના ઝરણા પણ જૉઇએ. ગુજરાતના ઘણા પ્રાણપ્રશ્નો બાકી છે તેને હલ કરવા માટે રાજકીય એકતા જરૂરી છે. વિપક્ષી નેતા શકિતસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં કોંગ્રેસ હંમેશા ખભેખભો મિલાવીને સમર્થન આપશે. સાંસદ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે સત્ય અને સાદગી રાખીને ખુશામતખોરી અને સ્વરછંદતા દૂર થવી જૉઇએ તેવી ટકોર કરી હતી. આ પ્રસંગ કેન્દ્રીય મંત્રી પ્રણવ મુકરજીના સ્વિર્ણમ સંકલ્પને સમર્થન આપતા સંદેશાનું વાચન કરવામાં આવ્યું હતું.

વિધાનસભામાં સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદનો શિક્ષિત- સંસ્કારી, સમૃદ્ધ ને સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ








વિધાનસભામાં સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદનો
શિક્ષિત- સંસ્કારી, સમૃદ્ધ ને સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ


ગાંધીનગર, શુક્રવાર


આજે ગુજરાત વિધાનસભામાં મળેલી ઐતિહાસિક સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદમાં સર્વપક્ષીય સંકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો ‘‘આજે આ ઐતિહાસિક સભાગૃહ ઠરાવ કરે છે કે, અમે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના વર્તમાન અને ભૂતપૂર્વ સૌ જનપ્રતિનિધિઓ, ગુજરાતના સ્વર્ણિમ જયંતી વર્ષને એક અદ્વિતીય તક ગણીને રાજ્યનો સર્વાંગી, સાર્વદેશિક, સર્વ સમાવેશ વિકાસ માટે અમે સમર્પિત થઈએ છીએ. આ સંકલ્પ દ્વારા આપણે શિક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ, વૈશ્વિક સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણનો સંકલ્પ લઈએ છીએ.’’

ગુજરાતની પ્રગતિ ૫૦ વર્ષોના સહિયારા પુરુષાર્થનો પરિપાક બધા જ મુખ્યમંત્રીઓનો ઋણ સ્વીકાર ઃ મોદી, મુખ્યમંત્રીએ રજૂ કરેલા સંકલ્પને માધવસિંહ, કેશુભાઈ, અડવાણી અને દિનશાનું સમર્થન

ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતા હોઈ ગુજરાત વિધાનસભામાં ૧૯૬૦થી આજદિન સુધીના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદોની પરિષદ યોજવામાં આવી હતી.

રાજ્યપાલ ડો. કમલાજીની અઘ્યક્ષતામાં મળેલી આ પરિષદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, કેશુભાઈ પટેલ, પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, રાજ્યસભામાં વિપક્ષી નેતા અરૂણ જેટલી, કેન્દ્રીય મંત્રીઓ દિનશા પટેલ, ભરત સોલંકી અને તુષાર ચૌધરી, પ્રદેશ ભાજપ પ્રમુખ પુરૂષોત્તમ રૂપાલા તથા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ઉપરાંત પૂર્વ ગવર્નર વીરેન્દ્ર શાહ અને કુમુદબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા.

૫૭૫ જેટલા પૂર્વ અને વર્તમાન સભ્યોની હાજરીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંકલ્પ રજૂ કર્યો હતો. તેમના પ્રવચનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ંકે, ‘‘ગુજરાતનો વિકાસ એ કોઈ એક સરકારના કારણે શક્ય નથી. ડો. જીવરાજ મહેતાથી લઈને તમામ મુખ્યમંત્રીઓએ ગુજરાતના વિકાસ માટે પોતાનું યોગદાન આપ્યું છે. ગુજરાતને વિકસિત બનાવવા માટેનો મજબૂત પાયો નાખ્યો છે. ગુજરાતની પ્રગતિ આજે જે દેખાય છે તેમાં ૫૦ વર્ષો સુધીના સૌના સહિયારા પુરુષાર્થ અને પરિશ્રમનો પરિપાક છે. મારા માટે બધા જ મુખ્યમંત્રીઓના ઋણ સ્વીકારનો આ અવસર છે.

તેમણે જણાવ્યું હતું કે, પર સેવા માટે પરસેવો પાડે એ ગુજરાતી માત્ર ગુજરાતમાં જ નહિ પણ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓએ સદા કાળ ગુજરાત ખડું કર્યું છે. એકવીસમી સદીમાં આપણો સંકલ્પ એ હોય કે આખું વિશ્વ ગુજરાતને પોતાનું ઘર બનાવે.’’

વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે સંકલ્પને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ‘૫૦ વર્ષમાં ગુજરાતે ઘણા તડકા- છાયડા જોયા છે અનેક આપત્તિઓનો સામનો કરવામાં ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓ અભિનંદનને પાત્ર છે. સાડા પાંચ કરોડ ગુજરાતીઓ ગુજરાતમાં રહેતા અને ૧ કરોડ ગુજરાતીઓ વિશ્વનાં દેશોમાં રહીને પણ ગુજરાતની આપત્તિ સમયે હરહંમેશ મદદ કરવા તત્પર રહ્યા છે.

ગુજરાતીઓ ગુજરાતના પ્રશ્ને હંમેશા એક રહ્યા છે. નર્મદા વિરોધીઓનો સામનો કરવામાં મજદૂર હોય કે ઉદ્યોગપતિ, સંત હોય કે ફકીર સહુ કોઈએ તેમને ભગાવ્યા હતા. યશ કોને મળે છે એ જરૂરી નથી, ગુજરાત યશસ્વી બને એ મહત્ત્વનું છે. ગુજરાત આપણા થકી નથી, પણ ગુજરાત થકી આપણે છીએ. સ્વર્ણિમ વર્ષમાં ઝુપડામાં બેઠેલાના એક પણ દુઃખી જોઈને આપણી આંખ ભીની થાય એવો સંકલ્પ આપણે કરવો જોઈએ.’

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતની ભૂમિમાં એવો પ્રાણ છે કે આપણે આ ભૂમિ માટે ગૌરવ લઈ શકીએ છીએ. મહાભારત કાળમાં કૃષ્ણ એ પણ મથુરાની રાજધાની છોડીને ગુજરાત પસંદ કર્યું હતું અને દ્વારકામાં રાજધાની સ્થાપી હતી. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવામાં સહુથી મોટું યોગદાન છે એ ગાંધીજીએ પણ ગુજરાતમાં જ જન્મ લીધો. દેશની એકતા માટે ગૌરવભેર નામ લેવાય છે એ સરદાર પટેલ ગુજરાતના, પાર્લામેન્ટમાં પ્રથમ સ્પીકર માવલંકર દાદા ગુજરાતના અને પાકિસ્તાનના પ્રથમ પ્રમુખ ઝીણા પણ ગુજરાતમાં જન્મ્યા હતા.’

તેમણે જણાવ્યું હતું કે, ‘પક્ષાપક્ષીથી પર રહીને ગુજરાતના વિકાસની ભાવના રાખીશું તો ન કલ્પ્યો હોય એવો વિકાસ કરી શકીશું. મુખ્યમંત્રીની ભાવનાઓ સાથે સંમત થાવ છું.’

કેશુભાઈ પટેલે સમર્થન આપતા જણાવ્યું કે, ‘સંસ્કારી ગુજરાત બનાવવાનું કામ એકલી સરકારનું નથી. જ્યાંથી સંસ્કારના ઝરણા નીકળે છે એ બધા જ ઝરણાઓને એકત્ર કરવા પડશે.’

લોકભાગીદારીથી વિકાસ કરવો હોય તો લોકભાગીદારી માટે પ્રથમ લોકચેતનાની જરૂર પડશે. આ કામ અહીં એકત્ર થયેલા લોકપ્રતિનિધિઓએ કરવું પડશે.

તેમણે સૂચવ્યું હતું કે, ગુજરાતના મહત્ત્વના બે-પાંચ પ્રશ્નો અલગ તારવીને આ પ્રશ્નોમાં કોઈ રાજકારણ નહી પણ એ ભાવનાથી પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને એક થઈને કામ કરવું પડશે.

લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગરના પ્રતિનિધિ તરીકે તમામને આવકારી જણાવ્યું હતું કે, ગુજરાતની સુવર્ણ જયંતિ નિમિત્તે આજે જ કાર્યક્રમનું આયોજન થયું છે, તે તમામ રાજ્યો માટે પ્રેરણાદાયી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે આજે જે ઉંચાઈ હાંસલ કરી છે તે કોઈ સરકારોના કારણે નહી પરંતુ ગુજરાતની જનતાના કારણે છે. ગુજરાતીઓની આગવી સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય દેશ અને વિદેશમાં થયો છે.

તેમણે માધવસિંહની વાતને ટાંકીને જણાવ્યું કે જ્યારે કૃષ્ણ મથુરાથી ગુજરાતને પસંદ કર્યું એવું વિધાન થયું ત્યારે મને પણ મારું સ્મરણ તાજું થયું. મારા પિતાએ પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ગુજરાતને પસંદ કરી કચ્છમાં સ્થાયી થયા હતા.

તેમણે કહ્યું કે આજે ભલે નંબર વન માટે વિવાદો ચાલતા હોય, તેમાં આપણે ન પડીએ તો પણ દરેક ગુજરાતી એક ડગલું આગળ વધે તો ગુજરાતના વિકાસની ગતિને કોઈ રોકી શકશે નહિ.

કેન્દ્રીય રાજ્યમંત્રી દિનશા પટેલે સંકલ્પને સમર્થન આપવાની સાથે જણાવ્યું હતું કે કલાપીની એક પંક્તિ છે કે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. ગુજરાતના વિકાસની કેડી કંડારવી હશે તો ઝુંપડામાં બેઠેલાને વિકાસની દિશા બતાવવાની જવાબદારી અહીં જે બેઠા છે તેમની છે. ઇન્દુ ચાચાના સાદગી- સત્યના વિચારો અપનાવવા પડશે. સાથોસાથ વહીવટની સ્વચ્છતા, નાના માણસનો વિચાર કરો એવા ઇન્દુ ચાચાના વિચારોને યાદ રાખવા પડશે. ગુજરાત ૧૮ હજાર ગામડાથી બનેલું છે ત્યારે ગામડા તરફ નજર રાખવી પડશે. વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ૨૦૧૦ની પહેલી તારીખે આપણે સૌ ગુજરાતના ઇતિહાસની સોનેરી ક્ષણોમાં મળી રહ્યા છીએ. ગુજરાતની નીતિ નિર્ધારક જનપ્રતિનિધિઓના આ સભા એક રીતે લોકતાંત્રિક પરંપરાઓમાં અનોખી છે. દુનિયાના ઇતિહાસમાં પ્રજાનો અવાજ રજૂ કરતા જનપ્રતિનિધિઓ જ્યારે એક સાથે સંકલ્પ કરે છે ત્યારે તેના અદ્વિતીય પરિણામો મળ્યા છે. આ પ્રસંગે ‘સ્વર્ણિમ ગુજરાત સંસદીય સ્મૃતિકા- ૨૦૧૦’ પુસ્તકનું રાજ્યપાલ ડો. કમલાજીએ વિમોચન કર્યું હતું

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory