આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Wednesday, June 17, 2009

Government slashes holidays for central staff - For Banks, the number of holidays have been restricted to 15

Government slashes holidays for central staff
For Banks, the number of holidays have been restricted to 15

The Rediff News Service
Published on June 16, 2009


New Delhi, June 16: Government employees will have fewer holidays in 2010. Although the government has yet to act upon the Second Administrative Reforms Commission's recommendations to reduce staff holidays, it has decided that central government employees outside Delhi will have just 6 holidays in 2010.

This is so because 8 other holidays in the list published by the Department of Personnel fall on Saturdays or Sundays, which in any case are off days. Employees can also avail of 3 restricted holidays that would be decided by the coordination committees in State capitals from a list of 12 such holidays. Central staff, outside Delhi, will just have a total of nine holidays.

Those, in Delhi, however will have 11 holidays in total: 9 holidays plus two restricted holidays as they are entitled to a total of 17 holidays, eight of which are on Saturdays or Sundays, and two restricted holidays of their choice from a list of 34. Republic Day, Independence Day and Mahatma Gandhi's birth anniversary are three national holidays, but the last two occur on Sunday and Saturday. Here is the list of holidays for employees outside Delhi:

Republic Day --- January 26
Good Friday --- April 2
Buddha Purnima --- May 27
Diwali --- November 5
Id-ul-Zuha (Bakr Id) --- November 17
Muharram --- December 17

The other holidays that fall on weekends are:

Id-e-Milad-un-Nabi
Mahavir Jayanti
Independence Day
Id-ul-Fitr
Gandhi Jayanti
Dussehra (Vijaya Dashmi)
Guru Nanak Jayanti, and
Christmas.

The government notification stipulates that 'no substitute holidays should be allowed if any of the festival holidays initially declared subsequently happens to fall on a weekly off or any other working day or in the event of more than one festivals falling on the same day.' Three other holidays are to be decided by the employees' coordination committees in State capitals from a list of 12 as under:

Makar Sankranti/Pongal --- January 14
Basant Panchami --- January 20
Holi --- March 1
Baisakhi, Vishu, Bhag Binu, Cheti Chand, Gudi Padwa and first Navratra --- March 16
Ram Navmi --- March 24
Rath Yatra --- July 13
Onam --- August 23
Janamashthami --- September 2
Ganesh/Vinayak Chaturthi --- September 11
Maha Ashtami --- October 15.

Strangely, Shivaji Jayanti that falls on February 19 and Parsi New Year on August 19 are in the list of restricted holidays for Delhi, but not in Maharashtra which is where they are mostly celebrated. Only two holidays -- Diwali (November 5) and Muharram (December 16) -- fall on Fridays which enable employees to get three days off as the next two days are the off-days.

The notification says that public sector undertakings and other government organisations would observe up to 16 holidays in 2010, including 3 national holidays: Republic Day, Independence Day and Gandhi Jayanti. The rest of the holidays will be decided by the organisations themselves. The same applies to the Union Territories.

In case of banks, the notification says the number of holidays have been restricted to 15.

Wednesday, June 10, 2009

લીમડાના રસ અને ગૌમૂત્રથી કાપડનું પ્રોસેસિંગ







લીમડાના રસ અને ગૌમૂત્રથી કાપડનું પ્રોસેસિંગ
Riddhish Sukhadiya, SuratMonday, June 08, 2009 02:43 [IST]

કાપડને જંતુમુકત બનાવવા તથા સાત્વિકતાને સાંકળવા શહેરના ટેકસટાઇલ પ્રોસેસર દ્વારા નવતર પ્રયોગ

૧ ટેકસટાઇલ પ્રોસેસિંગમાં લીમડાનો રસ, ગંગાજળ તથા ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે

૨ ડાઇંગ અને પ્રિન્ટિંગ બાદ અંતિમ વોશિંગ પ્રક્રિયા દરમિયાન લીમડાના રસનો ઉપયોગ થાય છે

૩ વોશિંગ માટેનાં ડ્રમ તથા પસાર થતા ગરમ પાણીમાં લીમડાનાં પાનનો મોટો જથ્થો રાખવામાં આવે છે


દેશવિદેશમાં સિન્થેટિક સાડી-ડ્રેસ મટિરિયલ્સ માટે જાણીતા સુરતના ઉધોગસાહસિકોએ સાડી તથા ડ્રેસ મટિરિયિલ્સના ઉત્પાદનમાં લીમડાનો રસ, ગૌમૂત્ર તથા ગંગાજળનો ઉપયોગ શરૂ કર્યો છે. ખાસ કરીને કાપડને જંતુમુકત બનાવવાના તથા સાત્ત્વિકતાનો ટચ આપવા લીમડાનો રસ, ગંગાજળ તથા ગૌમૂત્ર જેવા ઔષધીય ગુણ ધરાવતાં તત્ત્વોનો ઉપયોગ શરૂ કર્યોછે.

કાપડઉધોગ સાથે સંકળાયેલાં વર્તુળો મુજબ સુરતના કાપડઉધોગકારો કાપડની ગુણવત્તા પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. ખાસ કરીને વૈશ્વિક સ્પર્ધામાં આગળ ધપવા શ્રેષ્ઠ ઉત્પાદનો વિકસાવવાના પ્રયત્નો આદર્યા છે, જેના ભાગરૂપે ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. શહેરના લક્ષ્મીપતિ ગ્રુપના સિદ્ધિવિનાયક પ્રોસેસિંગ એકમમાં ટેકસટાઇલ પ્રોસેસિંગમાં લીમડાનો રસ, ગંગાજળ તથા ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જયાં ડાઇંગ અને પ્રિન્ટિંગ બાદ અંતિમ વોશિંગ પ્રક્રિયા દરમિયાન લીમડાના રસનો ઉપયોગ કરવામાં આવે છે. વોશિંગ માટેનાં ડ્રમ તથા પસાર થતા ગરમ પાણીમાં લીમડાનાં પાનનો મોટો જથ્થો રાખવામાં આવે છે, જે પાણી દ્વારા અંતિમ વોશિંગ પ્રક્રિયા પાર પાડવામાં આવે છે. પ્રતિદિન લગભગ ૨૫ કિલો જેટલા લીમડાનો ઉપયોગ થાય છે. આ જ પ્રકારે પ્રોસેસિંગ માટેની વોટર ટેંકમાં પ્રતિદિન એક-એક લિટર ગૌમૂત્ર તથા ગંગાજળનું મિશ્રણ કરવામાં આવે છે.

કાપડને જંતુમુકત બનાવવાનો આશય

લીમડો, ગંગાજળ તથા ગૌમૂત્રના ઉપયોગ વિશે સંસ્થાના ડિરેક્ટર સંજય સરાવગીએ જણાવ્યું હતું કે લીમડાના ઉપયોગ પાછળ કાપડને ઇકોફ્રેન્ડલી ઇફેકટ આપવાનો તથા ફેબ્રિકસને જંતુમુકત બનાવવાનો તર્ક રહેલો છે. લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ખાસ કરીને લીમડાના પાણીથી સ્નાન કરનારાઓને ચામડીના રોગ થતા નથી. આ બાબતને કેન્દ્રમાં રાખીને ફેબ્રિકસ પ્રોસેસિંગમાં લીમડાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ઊચા ઉષ્ણતામાને થતી પ્રોસેસ દરમિયાન જીવાણુઓ તથા કિટાણુઓ નાશ પામતા હોય છે.

આમ છતાં ડાઇંગ- પ્રિન્ટિંગ પ્રોસેસ બાદ પણ જો કોઈ જીવાણુ રહ્યા હોય તો તેનો નાશ કરી કાપડને જંતુમુકત બનાવવાનો આશય રહેલો છે. પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આવેલી આ પ્રોસેસમાં કાપડના ફીલિંગ અને સુંવાળપમાં સુધારો જોવાયો છે. ટૂંકમાં નવી પ્રોસેસ બાદના ફેબ્રિક્સનું પરીક્ષણ કરાવી એનાલિસસિ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે ફેબ્રિકસને પવિત્રતા અને સાત્ત્વિકતાનો સ્પર્શ આપવાના આશયથી ગૌમૂત્ર તથા ગંગાજળ પાણીની ટાંકીમાં મિશ્રિત કરવામાં આવે છે.

Tuesday, June 9, 2009

આવકવેરા ઇ-રિટર્ન માટે હવે પાસવર્ડ એન્ટર કરવો ફરજિયાત

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે ત્રીજી જૂને પરિપત્ર કર્યો
આવકવેરા ઇ-રિટર્ન માટે હવે પાસવર્ડ એન્ટર કરવો ફરજિયાત





(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,


સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે ત્રીજી જૂને પરિપત્ર કરીને આવકવેરાનું ૨૦૦૯-૧૦ના આકારણી વર્ષનું ઇ-રિટર્ન ફાઈલ કરવા માટેની પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. નવા ફેરફાર હેઠળ ઇ-રિટર્ન ફાઈલ કરનાર કરદાતાઓ પૅન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) ઉપરાંત આઠ અક્ષરના પાસવર્ડમાં આલ્ફા ન્યુમરિક નંબર સાથે સ્પેશિયલ કેરેક્ટર નાખશે તો જ ઇ-રિટર્ન ફાઈલ થઈ શકશે.

પૅન ઉપરાંત આલ્ફા ન્યુમરિક નંબર ને સ્પેશિયલ કેરેક્ટર્સવાળો પાસવર્ડ ને ડીજિટલ સર્ટીફિકેટ આવશ્યક

ઈ-ફાઇલિંગ માટે કરદાતા તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટેની પ્રક્રિયા દરમિયાન કરદાતાએ તેમના ડિજિટલ સર્ટિફિકેટનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી કરદાતા તેના પાસવર્ડની ચકાસણી કરવા માટે ચોક્કસ ઇમેજનો પણ ઉપયોગ કરી શકશે. કરદાત ઇચ્છે ત્યારે આ ઇમેજમાં પણ ફેરફાર કરીને તેના પાસવર્ડને ગોપનીયતાને જડબેસલાક બનાવી શકશે.

કરદાતા તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ઇમેઈલ મારફતે યુઆરએલ મોકલીને કરદાતા તેના યુઝર્સ એકાઉન્ટને સક્રિય-એક્ટિવેટ કરાવી શકશે. પરંતુ ૩૬ કલાક સુધી યુઝર્સ એક્ટિવેશન મળતા નથી. પરિણામે દસ દિવસની મુદત ચૂકી જવાની શક્યતા વધી જાય છે. એકવાર ઇ-ફાઈલિંગ કરવા માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યા પછી કરદાતાએ માત્ર દસ જ દિવસમાં તેનું યુઝર્સ એકાઉન્ટ ખોલાવી દેવાનું રહેશે. દસ દિવસમાં એકાઉન્ટ ખોલાવવામાં તે નિષ્ફળ જાય તો તેના યુઝર્સ એકાઉન્ટની મુદત પૂરી થઈ જશે અને એકાઉન્ટ બંધ પડી જશે. યુઝર્સ એકાઉન્ટ બંધ પડી જશે તો કરદાતાએ રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા નવેસરથી કરાવવી પડશે.

કરદાતા ડિજિટલ સિગ્નેચર કરીને પણ તેમના રિટર્ન ફાઈલ કરી શકશે. આ ડિજિટલ સિગ્નેચર કરાવવા માટે તેણે રૂા. ૧૦૦૦નો ખર્ચ કરવો પડશે. આ રીતે રિટર્ન ફાઈલ કર્યા પછી મળતી એક્રોલેજમેન્ટ રિસિપ્ટ ૧૫ દિવસમાં આવકવેરા ખાતાના સંબંધિત વિભાગના અધિકારીને બતાવીને તેના પર સિક્કો મરાવી લેવાનો રહેશે. આ એક્રોલેજમેન્ટની રશીદ કરદાતાએ એ ફોર સાઈઝના કરવામાં વાળ્યા-ફોલ્ડ કર્યા વિના મૂકીને બેન્ગલોરના આવકવેરાના યુનિટમાં રજિસ્ટ્રેશન માટે પોસ્ટથી ૩૦ દિવસમાં મોકલવાની રહેશે. આ રશીદ પર બૅન્ગ્લોર ઑફિસ સિક્કો મારીને સ્કેન કરીને ઇ-મેઈલ કરીને કરદાતાને મોકલી આપશે.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની વિગતોની અન્ય કોઈને જાણ ન થાય તે માટે કરદાતાઓને કેટલાક અંગત સવાલો પૂછીને તેમની પાસેથી જવાબો મેળવવામાં આવશે. કરદાતાના એકાઉન્ટને વઘુ સલામત બનાવવા માટે આ પ્રક્રિયા કરવામાં આવશે. વર્તમાન કરદાતા લોગ ઇન કર્યા પછી તેના સવાલો અને તેના જવાબોમાં ફેરફાર કરી શકે છે.

ઇ-ફાઈલિંગ કરાવવા માટે ડિજિટલ સર્ટિફિકેટ અપલોડ કરવું ફરજિયાત બનાવાયું છે. માય એકાઉન્ટના મેનુમાં જઈને કરદાતા ડિજિટલ સર્ટિફિકેટને અપડેટ કરી શકશે. ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરાયેલી એક્સએમએલ ફાઈલમાં કોઈ ક્ષતિ કે ભૂલ થશે તો એક સાથે આખી ફાઈલ ડિસ્પ્લે થાય અને જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એક્સએમએલ ફાઈલ અપલોડ થઈ ગયા પછી ઇ-ફાઈલિંગના નેટવર્કનો ઉપયોગ કરનાર ઇન્કમ ટેક્સ રિટર્નના તેના ફોર્મ્સ ડાઉનલોડ કરી શકશે. ફાઈલ કરેલા રિટર્નની એક્રોલેજમેન્ટ આપતી પીડીએફ ઝીપ ફાઈલ સાચવી રાખવી જરૂરી છે.

Tuesday, June 2, 2009

ગર્ભધારણનું વિજ્ઞાન Prof. Prahaladbhai Patel










ગર્ભધારણનું વિજ્ઞાન
Prof. Prahaladbhai PatelTuesday, June 02, 2009 19:51 [IST]

















આપણે આપણી ઇચ્છા પ્રમાણે ઉત્તમ પુત્ર કે ઉત્તમ પુત્રી પેદા કરી શકીએ છીએ

એક જ દિવસે અને એક જ સમયે જન્મતાં બાળકો પૈકી એક બાળક તેજસ્વી અને બીજું બાળક ઠોઠ, એક બાળક તંદુરસ્ત અને બીજું બાળક રોગીષ્ઠ, એક બાળક બલીષ્ઠ અને બીજું બાળક નબળું કેમ હોય છે? તેનું કારણ છે મા-બાપ તરફથી બાળકને મળતા અલગ અલગ પ્રકારનાં રંગસૂત્રો!

દરેક સજીવને પોતપોતાનાં આગવાં રંગસૂત્રો હોય છે. દરેક રંગસૂત્રમાં એક રાસાયણિક ઘટક મોલેકયુલ હોય છે. તેને વિજ્ઞાનની ભાષામાં ડી.એન.એ.(ડી ઓકિસ રીબો ન્યુકિલક એસિડ) કહે છે. ડી.એન.એ.મોલેકયુલમાં હજારો જનીન હોય છે. તે આનુવંશિકતા માટે જવાબદાર હોય છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે બાળકનાં રૂપ, રંગ અને ગુણધર્મો, તેનાં મા-બાપ તરફથી વારસામાં મળતા જનીન ઉપર આધાર રાખે છે. પુરુષનાં રંગસૂત્રોમાં X અને Y એમ બે પ્રકારનાં રંગસૂત્રો હોય છે, જયારે સ્ત્રીનાં રંગસૂત્રોમાં એક જ X પ્રકારનાં બે રંગસૂત્રો હોય છે.

પ્રોબેબિલિટી (સંભવિતતા)ના સિદ્ધાંત પ્રમાણે ગમે તે એક પુરુષબીજ, ગમે તે એક સ્ત્રીબીજનું ફલીનીકરણ કરે તો ગર્ભ રહે છે. તેની પસંદગી કુદરત (પ્રોબેબિલિટી) કરે છે! ફલીનીકરણમાં પુરુષબીજ 2 (Sperm) સ્ત્રીબીજ (Ovum) ઉપરના આવરણને પોતાના શિરથી તોડીને પોતાની પૂંછડીને બહાર છોડીને, ધડ સાથે સ્ત્રીબીજમાં પ્રવેશે છે અને આ રીતે ગર્ભધારણ થાય છે.

મનુષ્યના પ્રજનનની સામાન્ય પ્રક્રિયામાં શ્રેષ્ઠ પુરુષબીજ અને શ્રેષ્ઠ સ્ત્રીબીજનું ફલીનીકરણ થાય ત્યારે કુદરતી રીતે શ્રેષ્ઠ બાળક પેદા થાય છે. પરંતુ આપણે આપણી ઇચ્છા પ્રમાણે ઉત્તમ પુત્ર કે ઉત્તમ પુત્રી પેદા કરી શકીએ છીએ. યોગ્ય પ્રયત્નથી આપણે ઇરછીએ તે પ્રાપ્ત કરી શકીએ છીએ!

ઉત્તમ બાળક પેદા કરવા માટે પુરુષનાં અને સ્ત્રીનાં જનીનને ઉત્તમ બનાવવાં પડે. આપણા આયુર્વેદમાં આનો સચોટ ઉપાય છે. આયુર્વેદમાં મન ઉપર વિશેષ ઘ્યાન આપવામાં આવ્યું છે. આપણા મનમાં અદભૂત શકિત છે. આપણું મન સુપર કોમ્પ્યૂટર છે. આપણા મનમાં ઉત્તમ વિચાર લાવી આપણે સારાં જનીનને સક્રિય અને નરસાં જનીનને નિષ્ક્રિય કરી શકીએ છીએ. જીન્સમાં કરવાની આવતી પરિવર્તનની આ ક્રિયા ઉત્તમ બાળક પેદા કરવામાં ચમત્કારિક પરિણામ લાવે છે! આપણે આપણી ઇચ્છા મુજબ સુંદર, બુદ્ધિશાળી, તંદુરસ્ત અને અતિ તેજસ્વી બાળક પેદા કરી શકીએ છીએ!!

હવે આપણે સારાં જનીનને સક્રિય અને નરસાં જનીનને નિષ્ક્રિય કેવી રીતે કરી શકાય તેની વિગતવાર ચર્ચા કરીએ. આ આખી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં મનના વિચારોની પુરુષબીજ ઉપર અને સ્ત્રીબીજ ઉપર કેવી સારી અને નરસી અસર થાય છે તે અનેક ઉદાહરણ આપી સમજીએ. ત્યારબાદ ઉત્તમ જીન જ ફલીનીકરણ કરે જેથી ઉત્તમ બાળક પેદા થાય તેની ચર્ચા કરીશું. ઉત્તમ બાળક મેળવવા માટેની પ્રથમ શરત એ છે કે ખુદ માતાપિતાએ ઉત્તમ બનવું જોઇએ. તેઓ બાળકમાં જે જે વિશિષ્ટ ગુણો જોવા ઇરછતા હોય તે ગુણો પહેલાં પોતાનામાં વિકસાવવા જોઇએ.

ગર્ભાધાન પહેલાં કે પછી કાળજી રાખવી જોઇએ. મહાન ભારતીય વિચારક જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે, ‘આપણે ડોકટર, એન્જિનિયર, પ્રોફેસર કે ઉધોગપતિ તૈયાર કરવા માટે અનેક યુનિવર્સિટીઓ શરૂ કરી છે, પરંતુ અફસોસ છે કે ઉત્તમ બાળક અને ઉત્તમ મા-બાપો તૈયાર કરવા માટે હજુ સુધી કોઇએ કશું કર્યું નથી! માતા-પિતા બનવું તે તો કુદરત આધારિત સામાન્ય કાર્ય છે, પરંતુ ઉત્તમ બાળકના ઉત્તમ માતા-પિતા બનવું એ સૌથી વિશેષ મહત્ત્વનું જવાબદારીભર્યું જટિલ કાર્ય છે.

પ્રાચીનકાળમાં સંતાન પ્રાપ્ત કરવા માટે પુત્રેષ્ટિ યજ્ઞો થતા હતા. કઠોર તપશ્ચર્યાઓ થતી હતી. તેનાં સંખ્યાબંધ દ્રષ્ટાંતો પ્રાચીન ગ્રંથોમાં મળે છે. રાજા દશરથે સંતાનપ્રાપ્તિ માટે વિષ્ણુયાગ કર્યો હતો. પરિણામે શ્રી રામ તેમના ઘરે અવતર્યા હતા. આપણા પૂર્વજો ઉત્તમ સંતાનપ્રાપ્તિનું મહત્ત્વ સમજીને શ્રેષ્ઠ રૂપ અને ગુણ ધરાવતું સંતાન મેળવવા ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. ઈશ્વરને પ્રાર્થના કરતા હતા કે શ્રેષ્ઠ સંતાન અમને આપ. તે સમયે ભારતમાં ગર્ભવિજ્ઞાન સોળે કળાએ ખીલેલું હતું.

જેનેટિક સાયન્સના કારણે એ સિદ્ધ થઇ ગયું છે કે વ્યકિતના સમગ્ર વ્યકિતત્વની બ્લ્યૂપ્રિન્ટ ધરાવતાં જીન્સ તે પોતાનાં સંતાનોને આપે છે. આ જીન્સમાં માનવીના દેહના બંધારણથી માંડીને તેની શારીરિક માનસિક અને બૌધિક ક્ષમતા સુધી તમામ બાબતોનો નકશો હોય છે. આ નકશા પ્રમાણે સંતાન સામાન્ય, મઘ્યમ કે ઉત્તમ બને છે.

સમાગમ વખતે સ્ત્રી અને પુરુષના જે મનોભાવ તથા શારીરિક અને માનસિક અવસ્થા હોય તે પણ બાળકમાં ઊતરે છે. આ રીતે સ્ત્રીબીજ કે પુરુષબીજ ઉત્પન્ન થાય ત્યારના અને સમાગમ વખતના મનોભાવ ગર્ભાધાન ઉપર અસર કરે છે.

- લેખક ભૌતિકશાસ્ત્રના પૂર્વ અઘ્યાપક અને અમરનાથધામના મેનેજિંગ ટ્રસ્ટી છે.

Tuesday, May 26, 2009

Divya Bhasker News - વૃદ્ધ મા-બાપને તરછોડનારા સંતાનો દંડાશે

વૃદ્ધ મા-બાપને તરછોડનારા સંતાનો દંડાશે

Bhaskar News, GandhinagarWednesday, May 27, 2009 02:29 [IST]


- માતા-પિતાના ભરણપોષણ પેટે હવે સંતાનોને મહિને રૂપિયા ૫,૦૦૦ ચૂકવવા પડશે

રાજયમાં વૃદ્ધ માતા-પિતા અને સિનિયર સિટિઝનની સેવા કરવાને બદલે તેમને તરછોડી દેનાર સંતાનો સામે સરકારે લાલ આંખ કરવાનો નિર્ણય કર્યો છે. હવે આવાં સંતાનો સામે સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.

પાછલી ઉમરે તરછોડનાર સંતાનો સામે મા-બાપ સરકારે રચેલી ટ્રિબ્યુનલમાં જશે તો સંતાનોને તેમનાં મા-બાપને પ્રતિમાસ પાંચ હજાર રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવા પડશે. આ ઉપરાંત ગુજરાત સરકારે નિરાધાર વૃદ્ધો તથા સિનિયર સિટિઝનોને સાચવવા માટે પ્રત્યેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

સત્તાવાર માહિતી અનુસાર રાજય સરકારે ગુજરાત મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટિઝન રૂલ્સ, ૨૦૦૯ની રચના કરી તેને અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે અગાઉ કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૦૭માં આ અંગેનો એક કાયદો બનાવ્યો હતો અને તેના અમલ માટે તમામ રાજય સરકારોને તાકીદ કરી હતી.

દરમિયાનમાં ગુજરાત સરકારે ૧૯મી ઓકટોબર, ૨૦૦૮ના રોજ આ કાયદાના અમલ માટે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યોહતો તથા ત્યારબાદ ૧૯મી મે, ૨૦૦૯ના રોજ રાજયના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના ગેઝેટમાં તે પ્રસિદ્ધ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં દેશના રાજસ્થાન, મઘ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરળ, નાગાલેન્ડ, કણાટર્ક, ઝારખંડ, ત્રિપુરા, દિલ્હી, ઓરિસ્સા જેવાં ૧૧ રાજયોએ અમલ શરૂ કરી દીધો છે. ગુજરાત ૧૨મું રાજય છે.

જાણવા મળ્યા મુજબ આ કાયદા અનુસાર વૃદ્ધ માતા-પિતા અને સિનિયર સિટિઝન તેમની સેવા ન કરનાર પોતાના જ સંતાનો વિરુદ્ધ પગલાં હાથ ધરી શકશે અને પોતાના ભરણપોષણ માટે દાવો કરી શકશે. આ માટે રાજયના દરેક જિલ્લામાં ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીના વડપણ હેઠળ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે. તેના વડા દ્વારા સંતાનો સામે તપાસના આદેશો આપી શકાશે અને આવી તપાસ દરમિયાન જો માતા-પિતાનો દાવો સાચો નીકળશે. તો દોષિત સંતાનોએ પોતાનાં મા-બાપના ભરણપોષણની જવાબદારી સ્વીકારવી પડશે તથા દરેક મહિને આ માટે પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડશે.

આ અંગે સમાજકલ્યાણ વિભાગના જિલ્લા કક્ષાના અધિકારીને જવાબદારી પણ સોંપવાનું નક્કી કરાયું છે. દોષિત સંતાનો દ્વારા ચૂકવવા પાત્ર ભરણપોષણની રકમમાં રાજય સરકાર દ્વારા સમયાંતરે ફેરફાર કરવામાં આવશે.

ગુજરાત રાજય મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટિઝન રૂલ્સ-૨૦૦૯ હેઠળ રાજય સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ ખોલવામાં આવશે. જયાં નિરાધાર વૃદ્ધો તથા માતા-પિતાને આશ્રમ આપવામાં આવશે. ટિ્રબ્યુનલ દ્વારા સંતાનો વિરુદ્ધ અપાયેલા ચુકાદા મુજબ વૃદ્ધો તથા માતા-પિતાને કપડાં, ખોરાક, આશ્રમ અને દવાના ખર્ચ પેટે દવાની રકમ ચૂકવવી પડશે.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. જયારે સરકારના અલગઅલગ વિભાગ દ્વારા ચલાવતી વિવિધ સેવાઓનો પણ લાભ અપાશે. સરકાર દ્વારા ગેઝેટમાં ટ્રિબ્યુનલોને સિવિલ કોટર્ની સત્તા આપવામાં આવી છે. તેના ચુકાદાને માત્રને માત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જ પડકારી શકાશે. કેમ કે તેમને એપેલેટ તરીકે નીમવામાં આવશે. આમ રાજય સરકારે વૃદ્ધો તથા માતા-પિતાની પાછલી ઉમરે સેવા ન કરનાર સંતાનો વિરુદ્ધ હવે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.

રાજય સરકારના નિર્ણય

- મા-બાપ, વૃદ્ધોને નહીં સાચવનાર સામે ફરિયાદ થઈ શકશે.

- ડેપ્યુટી કલેકટરોને અઘ્યક્ષ સ્થાને ટ્રિબ્યુનલો રચાશે

- દાવા માટે તપાસ અધિકારી નિમાશે

- સંતાનોને કપડાં, ખોરાક, દવા, આશ્રયની જવાબદારી સ્વીકારવી પડશે નહીં તો ભરણપોષણ પેટે પ્રતિમાસ પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડશે.

- ટ્રિબ્યુનલને સિવિલ કોર્ટની સત્તા અપાશે, તેના ચુકાદાને માત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પડકારી શકાશે

- જિલ્લા મેજિસ્ટ્રેટને એપેલેટ તરીકે નિમાશે- ૨૦૦૭માં કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો હતો તેનો અમલ કરનાર ગુજરાત ૧૨ મુ રાજય બનશે.

- દરેક જિલ્લામાં સરકારના વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધો તથા તરછોડાયેલાં મા-બાપને સચવાશે, આરોગ્યલક્ષી સેવા, સરકારના અલગ અલગ વિભાગની સેવાઓ પણ અપાશે.

Saturday, December 6, 2008

આભાર ... આભાર ... આભાર ...

http://www.hikanyakumari.com/ દ્વારા આયોજિત INDIAN BLOG CONTEST માં Regional Language શ્રેણીમાં વિજેતા બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.



http://www.hikanyakumari.com/ સાઇટ પર કરવામાં આવેલ જાહેરાત મુજબ મારા આ બ્લોગ ને ક્ષેત્રિય ભાષાની શ્રેણીમાં પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવેલ છે.



આનું શ્રેય માત્ર અને માત્ર આપને જાય છે ... આપનો ખૂબ ખૂબ આભાર ...





Winners of Great Indian Blog Contest


First Prize (Ist English): http://magicalharsh.wordpress.com (35.54% votes)Two days accommodation with food in the resort Indian Hermitage (12 km from Kanyakumari) for a couple - Worth Rs. 10,000


First prize (Ist Regional Language): http://gujaratikavitayen.blogspot.com/ (46.71% votes) Two days accommodation with food in the resort Indian Hermitage (12 km from Kanyakumari) for a couple - Worth Rs. 10,000




Second Prize (English): http://alakananda.blogspot.com (29.97% votes)Two days accommodation in New Cape Hotel, Kanyakumari + Kanyakumari site seeing for a couple - Worth Rs. 4500




ધન્યવાદ ... આભાર ... શુક્રિયા ...




આપનો,




વિજયકુમાર દવે

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory