આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Sunday, August 30, 2009

સફળતા મેળવવા માટે ટીકાઓનો મક્કમતાથી સામનો કરો : શિવ ખેરા






સફળતા મેળવવા માટે ટીકાઓનો મક્કમતાથી સામનો કરો : શિવ ખેરા

સુરત, તા.૩૦

જીવનમાં સફળતા મેળવવા વ્યકિતએ ટીકાઓ વચ્ચે પણ ટકી રહી મક્કમતાથી આગળ વધવું જોઇએ- એમ વક્તા શિવ ખેરાએ એકશન, એટિટયુડ અને એકોમ્પ્લીશમેન્ટ વિષય પરના સેમિનારમાં જણાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ તથા ઓરા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘યુ કેન વીન, એકશન, એટિટયુડ એન્ડ એકોમ્પ્લીશમેન્ટ ‘ વિષય પર સરદાર સ્મૃતિ ભવન ખાતે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર શિવ ખેરાએ સફળતાના મંત્રો તથા વિવિધ બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જીવનમાં કન્સ્ટ્રક્ટિવ ક્રિટીસીઝમની આવશ્યકતા દર્શાવી હતી. જે અંગે જણાવ્યું હતું કે વ્યકિતએ જીવનમાં ટીકાની પરવા કરવી જોઇએ નહિ. ટીકા બે પ્રકારની હોય છે. માણસને સુધારવા માટે વિવિધ સંજોગોમાં ઉપરી દ્વારા ટીકા કરવામાં આવતી હોય છે, પરંતુ ટીકા દવા જેવી છે, જેનો સપ્રમાણ ઉપયોગ થવો જોઇએ. વધુ ટીકા વ્યકિતના આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે. જયારે ઓછી ટીકા અસરકારક રહેતી નથી.

સારા કામોની પણ ટીકા થાય છે અને ખરાબ કામોની પણ ટીકા થાય છે. સામાન્ય રીતે નાસીપાસ થવાથી વ્યકિતની નિણર્ય ક્ષમતા ઘટે છે. જે બાબતને કેન્દ્રમાં રાખી વ્યકિતએ ટીકાઓથી નાસીપાસ થવાના સ્થાને શાંત મન રાખી મક્કમતાથી આગળ ધપવું જોઇએ.

દરેકે પોતાનું લક્ષ્ય નક્કી કરી આગોતરા આયોજન સાથે આગળ વધવું જોઇએ. કોઇપણ પ્રકારની હાર કે પછડાટથી નાસીપાસ થવાના સ્થાને છેવટ સુધી હાર માન્યા વિના આગળ ધપવાની જરૃર છે. વધુમાં તેમણે જણાવ્યંુ હતંુ કે, પેરેન્ટિંગ અને લીડરશિપ બે મહત્ત્વના ક્ષેત્રો છે. જેમાં વ્યકિતએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. પેરેન્ટિંગ અને લીડરશિપ બે ક્ષેત્રો કોઇ સ્પર્ધાના ક્ષેત્રો નથી.

વ્યકિતએ અત્યંત જવાબદારીપૂવર્ક આ ક્ષેત્રમાં ફરજ નિભાવવાની છે. પરિવાર તથા ઓફિસમાં શિસ્તના મૂલ્યોનું ઘણું મહત્ત્વ છે. સફળતા માટે પરિવારના દરેક સભ્યોમાં સારા મૂલ્યો તથા શિસ્તનું સિંચન થવું જરૃરી છે.

જીવનભર પોતાની જાતને જ છેતરી હોવાની કબૂલાત કરનાર ત્રણ ચોરના દ્રષ્ટાંત ટાંકી જણાવ્યું હતંુ કે જીવનના ક્ષેત્રોમાં પોતાના કામમાં દુર્લક્ષ સેવનાર તથા ઇમાનદારી અને પૂર્ણક્ષમતાના ઉપયોગ વિના કામ કરનાર વ્યકિત તેની જાત સાથે જ છેતરપિંડી કરે છે. આ પ્રકારની વ્યકિત સ્વયંને છેતરવા ઉપરાંત પરિવાર, દેશ સાથે પણ દ્રોહ કરી રહી છે.

કન્સ્ટ્રકિટવ ક્રિટીસીઝમની મહત્ત્વની ટીપ્સ

ટીકાની પરવા નહિ કરો
ટીકાઓમાંથી બોધ મેળવો, સ્પષ્ટ વાત કરો
વ્યકિતને નહિ તેની વર્તણૂક તથા ભૂલને ક્રિટીસાઇઝડ કરો
વ્યકિતની ટીકા કરવાથી આત્મસન્માનને ઠેસ પહોંચે છે, જે બાબતને કેન્દ્રમાં રાખી જે તે વ્યકિતની ભૂલના સંજોગોમાં વ્યકિતને જાહેરમાં કહેવાનું ટાળી અલગથી તેની ભૂલ સમજાવો
ભૂલ સુધારવા માટેના યોગ્ય ફાયદા દર્શાવો તથા ભૂલ નહિ સધારવાથી થનારા ગેરલાભ દર્શાવો
વ્યકિતને સુધારવા માટેની ટીકા ખપપૂરતી કરો અને તેની પાસેથી સમાધાન- ઉકેલ માગો
ટીકામાંથી બોધ મેળવો અને મક્કમતાથી આગળ વધો

Charity, for the sole

ભાવનગરનો એક નવયુવાન એન્જીનીયર યુવાધનને એક સાવ નિરાળો અને અનોખો રાહ ચીંધે છે ...

આ યુવાન વિશે મુંબઈના અનેક સમાચાર પત્રો અને સામયિકોમાં છપાયું છે ...

આ સમાચાર આપના સુધી પહોંચાડવા હું છેવટે મારી જાતને રોકી શક્યો નહિ ....








Charity, for the sole

By Priyanka Borpujari
Posted On Tuesday, August 11, 2009 at 07:17:15 PM


Nandan Pandya of Belapur distributes sandals among the poor people he sees barefoot at traffic signals or at railway stations


In a country where millions struggle for the bare necessities of food, clothing and shelter, a young engineering student, Nandan Pandya (in pic), is trying his best to meet the gap between the rich and the poor – by distributing footwear among those who do not have the financial capacity to purchase.

So, don't be surprised if, on any given day, you happen be in Navi Mumbai and see a young lad surrounded by street urchins. Pandya (21), who recently moved with his family from Kandivli to Belapur, is trying to understand his new neighbourhood better. Not by looking around for the nearest malls and cineplexes, but by looking for the spaces where poor people can be found in abundance — and small footwear shops.

The philanthropist in Nandan awoke one day in early 2008 when he noticed an old man near a temple at Kandivli walking barefoot. Upon enquiring why he didn’t wear any sandals to protect his feet, the man had replied that due to old age, his feet had expanded and he was unable to find cheap sandals for his large foot size anymore. A shaken yet determined Nandan bought a pair of slippers the next day and gave it to that man. Thus began the beginning of Nandan’s fascination with people’s feet.

“Then I would buy sandals randomly and would never have a plan about where would I being distributing them. I would give the sandals to whomever I would see was without any footwear. And Mumbai abounds with such kind of people; you will see them anywhere, from traffic signals to railway station platforms,” says the shy Nandan, who prefers to live and do his work in oblivion.

At the time, Nandan was studying at KJ Somaiya College in Sion and he had located the shops from where he could purchase sandals, at each station on his way from Kandivli to Sion. On any day, his notebooks would jostle for space with at least three pairs of average size rubber sandals in his bag, and he would spend Rs 800 a month buying them. Nandan is now extending his help around Belapur, as he tries to familiarise himself with the place.

“I feel it is necessary to buy sandals from the small shops so that they too can get a chance to earn. If I see someone without sandals at a particular place and I am not carrying the sandal of that size on that day, I buy it the next day and give it to them. When I am with my friends, I am no different and my friends have no qualms either,” says Nandan.

Nandan ensures to buy only rubber sandals as they are more durable, especially given Mumbai’s monsoon and flooding history. However, there have also been times where a person he remembers giving away a pair of sandals to was seen with no sandals the next day. But he shrugs it off, saying, “The poor cannot do much with a pair of sandals other than just passing it off to someone else. Of course, since the person to whom the sandal is being passed does not have a pair for himself or herself, I am fine in giving a pair of sandals twice to the same person.”

Just out of college, it comes as no surprise that Nandan is contemplating about starting an initiative with his friends, which will distribute food among the poor. All he needs is a push, some help from corporates to fund his work, and the constant encouragement from his parents who are proud of their young son.

Wednesday, August 12, 2009

સ્વાઇન ફલૂ રોકવા કયું માસ્ક અસરકારક ?

સ્વાઇન ફલૂ રોકવા કયું માસ્ક અસરકારક ?
Bhaskar News, AhmedabadWednesday, August 12, 2009 02:37 [IST]

ગુજરાતમાં સ્વાઇન ફલૂનો ખોફ ચારે તરફ ફેલાયો છે. લોકોએ બજારમાં માસ્ક ખરીદવા રીતસર દોટ મૂકી છે, પરંતુ કયાં માસ્ક સ્વાઇન ફલૂને રોકે છે તે અંગે તબીબો સાથેની વાતચીત બાદ મેળવેલી માહિતી અત્રે પ્રસ્તુત છે.
ફેસ માસ્ક

સર્જીકલ ડેન્ટલ, મેડિકલ, પ્રોસજિર, આઇસોલેશન અને લેઝર માસ્ક તરીકે ઓળખાય છે.

ફાયદા

૧) આ માસ્ક તેને પહેરનાર વ્યક્તિના મોંઢામાંથી થૂંક બહાર ઊડતું અટકાવે છે.
૨) સ્પ્રે અથવા તો પાણીની છાલકને મોં-નાક સુધી પહોંચતી રોકે છે.

ગેરફાયદા

૧.ફેસ માસ્ક અત્યંત નાની રજકણોને શ્વાસમાં જતી અટકાવી શકતા નથી તેથી માસ્ક પહેરનારાનું પૂરેપુરું રક્ષણ થઈ શકતું નથી.

બજારમાં મળતા માસ્કની કિંમત

N૯૫ રૂ.૫૦, N૯૦૦૪ રૂ.૨૫, સાદા માસ્ક રૂ.૧૦, સૌથી મોંઘા પી.એમ. માટેના માસ્ક રૂ.૨૫૦થી વધુના હોય છે

રેસ્પિરેટર

N૯૫ અથવા હાયર ફિલ્ટરીંગ ફેસ પીસ રેસ્પિરેટર તરીકે ઓળખાય છે. સૌથી અસરકારક સાબિત થતાં રેસ્પિરેટર વાઇરસથી ભરેલા રજકણો સામે રક્ષણ આપવા સક્ષમ છે.

ફાયદા

૧) આ માસ્ક પહેરનાર વ્યક્તિને શ્વાસમાં નાની રજકણોને (જેની ઉપર વાઇરસ હોઇ શકે છે) જતાં અટકાવે છે.
૨) ૦.૩ માઇક્રોન્સ અથવા એનાથી મોટી રજકણોને શ્વાસમાં પ્રવેશતું અટકાવતું હોવાથી ટ૯૫ માસ્ક લગભગ ૯૫ ટકા સુધી અસરકારક રહે છે.

ગેરફાયદા

૧. આ માસ્ક એક જ વાર વાપરીને ફેંકી દેવા પડે છે. જેના કારણે આ ખર્ચાળ છે.

એન-૯૫ માસ્ક ન હોય તો શું કરવું?

જીવલેણ બનેલા સ્વાઇન ફલૂ સામે રક્ષણ મેળવવા માટે એન-૯૫ માસ્કની ભારે માગ થતાં બજારમાંથી મળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સ્વાઇન ફલૂના ચેપને રોકવા તબીબો દ્વારા વૈકિલ્પક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. તેનો હાથવગા સાધન તરીકે ઉપયોગ કરી શકાય.

વૈકિલ્પક માસ્ક

એન-૯૫ માસ્ક ન મળે તો ઓપરેશન થિયેટરમાં ડોકટર પહેરે છે તે ઓ ટી માસ્ક પણ પહેરી શકાય છે. તેને રોજ સવારે ગરમ પાણીથી ધોઈને ઉપયોગ કરી શકાય છે.

ફાયદા

૧) સ્વચ્છ સુતરાઉ કાપડની ત્રણ ગડી કરવાથી એચ ૧ એન ૧ના સૂક્ષ્મ વાઇરસ તેમાંથી પ્રવેશી શકતા નથી તેથી વ્યક્તિને સુરક્ષા મળે છે.

ગેરફાયદા

૧) કાપડ ખેંચાવાથી તેના રેસા પહોળા થઈ જતા હોય છે ત્યારે વ્યક્તિને ૧૦૦ ટકા સુરક્ષા ન મળે તેનો ભય રહેલો હોય છે.
૨) કાપડ સ્વચ્છ ન હોય તો તે એચ ૧ એન ૧ વાઇરસને રોકવાને બદલે અન્ય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

સ્વાઇન ફલૂમાં ભય નહીં સતર્કતા જરૂરી

૧ ) એન્ટિબાયોટિક સાબુથી સતત હાથ ધોતા રહેવા. હાથ ઝડપથી ન ધોતાં પંદર સેકન્ડ જેટલો સમય લઈને વ્યવસ્થિત હાથ ધોવા.
૨ ) રોગપ્રતિકારક શકિતને ઉત્તમ સ્તરે રાખવા આઠ કલાકની પૂરતી ઊઘ લેવી જરૂરી છે.
૩ ) શરીરમાંથી ટોકસીન બહાર ફેંકાય તે માટે આઠથી દસ ગ્લાસ પાણી પીતા રહો. આથી સાઇનસના દર્દમાં રાહત રહેશે અને શરીરમાં મોઇશ્ચર જળવાશે.
૪) શરીર તાકતવર અને સ્ફૂર્તિલું રહે તે માટે આખા અનાજનો આહાર, લીલા શાકભાજી અને વિટામિનથી ભરપુર ફળોનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવો.
૫) સરકાર તરફથી આ મહામારીને નાથવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. તમે આ દરેક પગલાં અને ગાઇડલાઇનથી માહિતગાર રહો.
૬ ) સાધારણ કસરત પ્રતિકારક શકિતને વધારશે. બ્રિસ્ક વોકિંગ કે જોગિંગ જેવી કસરતો કરવી, જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે.
૭) કફ અને છીંકથી ફલૂના વાઇરસ હવામાં ઝડપથી ફેલાય છે. આ પ્રકારની તકલીફો ધરાવનારી વ્યક્તિઓના શારીરિક સંસર્ગથી દૂર રહેવું.
૮ ) તમને કફ કે તાવની ફરિયાદ જણાય તો તાત્કાલિક તમારા ડોકટરનો સંપર્ક કરો અને તેની તમામ સૂચનાઓને અનુસરો.
૯) વગર કામે ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. શ્રાવણ માસમાં ભરાતા મોટા મેળા અને મેળાવડાથી દૂર રહેવું.

બીમાર વ્યક્તિ ખાસ ઘ્યાન રાખે

૧) શકય હોય તો અસરગ્રસ્ત વ્યક્તિથી ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું.
૨) જો દર્દી બાળક હોય અને તેના સંપર્કમાં આવવું જરૂરી હોય તો ફેસ માસ્ક કે પછી એન ૯૫ માસ્ક પહેરીને જ તેના સંપર્કમાં રહેવું.
૩) એન ૯૫ કે પછી ફેસ માસ્ક મેડિકલ સ્ટોર પર કે બિલ્ડિંગ મટિરિયલ વેચતા હોય તેવી દુકાનોઐ સરળતાથી મળી રહે છે.
૪) શકય હોય તો ઐકવાર ઉપયોગમાં લેવાયેલા ફેસ માસ્ક કે પછી એન ૯૫ રેસ્પિરેટર ત્યજી નવાનો ઉપયોગ કરવો.
૫) ફેસ માસ્ક કે પછી એન -૯૫ રેસ્પિરેટરનો ઉપયોગ કર્યા બાદ હાથ સાબુથી બરાબર ધોઈ નાખવા. (આ પ્રકારે સાવચેતી રાખવા તબીબોએ જણાવ્યું છે)

વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ શું કહે છે

શ્રીકૃષ્ણજન્મની ઉજવણી માટે ઉત્સુક સેંકડો ભાવિક ભકતોની સુરક્ષા માટે ઇસ્કોન મંદિર દ્વારા જન્માષ્ટમીએ મંદિરને સ્વાઇન ફલૂ પ્રૂફ બનાવવાનો પ્રયત્ન કરાયો છે. જે અંતર્ગત આયુર્વેદિક ધૂપ ચિકિત્સા દ્વારા ધૂપથી ભકતોને આ રોગના વિષાણુ ન ફેલાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ઇસ્કોન-ગુજરાતના પ્રમુખ જશોમતીનંદનપ્રભુજીએ જણાવ્યું કે મંદિર પરિસરમાં આયુર્વેદિક ઔષધિઓનો ધૂપ કરવામાં આવશે. આ આયુર્વેદિક ઔષધિઓનો ધૂમ્ર ભકતોના શ્વાસમાં જઇ સ્વાઇન ફલૂના વાઇરસ સામે એક સુરક્ષા કવચ પૂરું પાડશે.જયારે આયુર્વેદિક ધૂપ અંગે આયુર્વેદાચાર્ય ડો.પ્રવીણભાઇ હિરપરાએ જણાવ્યું કે આ પ્રયોગ ખૂબ જ અકસીર છે.

આ ધૂપમાં તુલસીનાં સૂકાં પાંદડાં કે તેનો પાઉડર, લીમડાનાં સૂકાં પાન કે તેનો પાઉડર, ગૂગળ, લોબાન, ગાયનું ઘી અને ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં સ્વાઇન ફલૂ જેવી મહામારીને સંસ્કૃતમાં ‘જનપદોઘ્વંશ’ તરીકે ઓળખવામાં આવતી હતી.

ગાયનાં ઘીનું ટીપું નાકમાં લગાડી બહાર નીકળો

આયુર્વેદાચાર્ય ડો.પ્રવીણભાઇએ જણાવ્યું કે સ્વાઇન ફલૂથી બચવા માસ્ક પહેરવામાં આવે છે પરંતુ આયુર્વેદમાં બીજો એક અકસીર ઉપાય છે કે ગાયનાં ઘીનું ટીપું નાકમાં લગાડીને ઘરેથી બહાર જવામાં આવે. કેમકે ગાયનાં ઘીમાં ‘રક્ષોધ્ન’ નામનો ગુણ છે.

આ ગાયનું ઘી એક એવું કવચ પેદા કરે છે, જે કોષનું આવરણ એટલું શકિતશાળી બનાવે છે કે તેને વાઇરસ(વિષાણુ) ભેદી ન શકે. ઉપરાંત ગૌમૂત્ર અર્ક રોજ એક ચમચી લેવાથી પણ કોઇપણ પ્રકારનાં ફલૂને રોકવામાં મદદરૂપ બને છે.

‘કપાલભાતી’ શુદ્ધિ ક્રિયા સ્વાઇન ફલૂ સામે અકસીર

યોગમાં કરવામાં આવતી કપાલ ભાંતિની શુદ્ધિ ક્રિયા સ્વાઇન ફલૂના ઉપચાર માટે અકસીર ઇલાજ સાબિત થઇ શકે છે. આ ક્રિયા કમરથી સીધા બેસીને નાકમાંથી ઘર્ષણ અને અવાજ સાથે શ્વાસ બહાર ફેકવામાં આવે છે. રોજના લગભગ ૫૦૦ જેટલાં સ્ટ્રોક કરવાથી સ્વાઇન ફલૂનાં ઇન્ફેકશથી બચી શકાય છે.

જયારે આયુર્વેદમાં હળદર, સૂંઠ, ગળો, અરડુસી, લીડીં પીપર અને આમળા પાઉડર સરખા ભાગે મિકસ કરીને દરરોજ સવાર- સાંજ પાંચ ગ્રામ લેવાથી રોગ પ્રતિકારકશકિતમાં વધારો થાય છે, જેનાથી સ્વાઇન ફલૂનાં ચેપ સામે રક્ષણ મેળવી શકાય છે.

આઝાદીના એનેકડોટ્સ

આઝાદીના એનેકડોટ્સ
કાના બાંટવા
Wednesday, August 12, 2009 23:42 [IST]



ત્રણ દિવસ પછી આવનાર ઇન્ડિપેન્ડન્સ ડે ભારતનો કેટલામો સ્વાતંત્ર્યદિન છે. ત્યારે, ૧૯૪૭ની પંદરમી ઓગસ્ટની અડધી રાતે મળેલી આઝાદીની આજુબાજુ વણાયેલી કેટલીક ઘટનાઓના રસપ્રદ એનેકડોટ્સ...

હિન્દુસ્તાનને આઝાદ કરવા આડે માત્ર ૩૮ દિવસ બાકી હતા ત્યારે ઇંગ્લેન્ડથી સિરિલ રેડકિલફ નામના એક જજને હિન્દુ અને મુસ્લિમની વસ્તીના ધોરણે હિન્દુસ્તાનના ભાગલા પાડવા માટે મોકલવામાં આવ્યા હતા. રેડકિલફે તે વખતના વાઇસરોય હાઉસ અને આજના રાષ્ટ્રપતિ ભવનની પાછળના કવાર્ટરમાં બેસીને માત્ર ૯૦૦ કલાકમાં હિન્દુસ્તાનને ત્રણ ટુકડામાં વેતરી નાખ્યું હતું. મજાની વાત તો એ છે કે રેડકિલફનું ભારત વિશેનું જ્ઞાન ઝીરો હતું અને અગાઉ તેઓ હિન્દુસ્તાન આવ્યા નહોતા.


ભારત અને પાકિસ્તાન બંને બાખડતાં રહે તે રીતે નકશા ઉપર લાલ લીટીથી સરહદ દોરીને સિરિલ રેડકિલફે ભારત-પાકિસ્તાનની માત્ર ભૂગોળ જ નહોતી બદલી, ઇતિહાસ અને ભવિષ્ય પણ બદલી નાખ્યું હતું. પંજાબ પ્રાંતના બે ટુકડા જે રીતે કરવામાં આવ્યા તેને કારણે આઝાદી પછી લોહિયાળ હિજરત થઇ અને લગભગ ૨૦ લાખ જેટલા લોકોને મારી નાખવામાં આવ્યા. પૂર્વ અને પિશ્ચમ પાકિસ્તાનમાંથી કુલ પોણો કરોડ હિન્દુઓ અને શીખો ભારતમાં આવ્યા તેની સામે ૩૦ લાખ મુસ્લિમો ભારતમાંથી પાકિસ્તાન ગયા.


કત્લેઆમમાં પાકિસ્તાને કાળો કેર વર્તાવ્યો હોવા છતાં અને જાતિવાદના ધોરણે હિન્દુઓ અને શીખોને રીતસર હાંકી કાઢયા હોવા છતાં ૧૯૪૭ની ૩૦મી સપ્ટેમ્બરે જવાહરલાલ નહેરુએ ભાષણ કરતાં કહ્યું હતું કે વિદેશોના પ્રવાસો દ્વારા હું ત્યાંના લોકોના સંપર્કમાં રહી શકું છું. હવે હું વિદેશયાત્રાએ જઇ શકીશ નહીં કારણ કે ભારતનું નામ હિંસાના કાદવથી ખરડાયું છે, હવે હું વિદેશી લોકો સામે ચું મસ્તક રાખીને વાત કઇ રીતે કરી શકું?’ ભારતનો વડોપ્રધાન પોતે ઊઠીને હિંસા માટે ભારતને જવાબદાર ઠરાવે એ કેવું?


આ એ જ નહેરુ હતા જેમણે આઝાદ ભારતને ફરી ગુલામ બનાવતું એક પગલું લીધું હતું. બન્યું હતું એવું કે ભાગલા પછી ફાટી નીકળેલી હિંસાથી રઘવાયા થયેલા નહેરુએ સિમલામાં રજા ગાળી રહેલા વાઇસરોયને તરત પાછા ફરવાનો સંદેશો મોકલ્યો. માઉન્ટબેટને તે પછીની ઘટનાઓ અંગે લખ્યું છે. ‘આઝાદીના ત્રણ જ અઠવાડિયાં થયાં હતાં અને દિલ્હી પાછા ફરતાં જ નહેરુએ વિનંતી કરી કે પ્લીઝ, તમે દેશનો ચાર્જ સંભાળી લો,


તમે જેમ કહેશો તેમ અમે કરીશું.’ અને સ્થિતિને પહોંચી વળવા માટે બનાવાયેલી ઇમરજન્સી કમિટીના અઘ્યક્ષ તરીકેનો હોદ્દો લોર્ડ માઉન્ટબેટનને આપી દેવામાં આવ્યો. માઉન્ટબેટને તે અંગે નોંઘ્યું છે ‘વાઇસરોય તરીકે મને જે સત્તા નહોતી મળી એટલી સત્તા મને સોંપી દેવામાં આવી હતી’ અને એ જ માઉન્ટબેટને કાશ્મીરમાં લશ્કર મોકલવામાં મોડું કરાવ્યું હતું અને ભારતે કાશ્મીર ગુમાવ્યું હતું. સરદાર પટેલે કાશ્મીર અંગે ટકોર કરી ત્યારે માઉન્ટબેટને રોકડું પરખાવ્યું હતું કે ‘તમારે મને દેશ ચલાવવા દેવો છે કે નહીં?’


ભારતના ભાગલા તો મોહમ્મદ અલી ઝીણા અને અંગ્રેજૉની મરજી મુજબ ૧૯૪૭ની શરૂઆતમાં જ નક્કી થઇ ગયા હતા. અલગ પાકિસ્તાનનાં વિચારબીજ અને ‘સારે જહાં સે અરછા હિન્દોસ્તાં હમારા’ ગીત વરચે કોઇ સામ્ય તમને દેખાય છે, પ્રિય વાચક? ના? રીડરજી, આ સદાબહાર ક્રાંતિગીતના રચયિતા ઇકબાલે જ સૌ પ્રથમ વખત પાકિસ્તાન નામનો દેશ રચવાનું સૂચન ૧૯૩૦માં મુસ્લિમ લીગના અધિવેશનમાં કર્યું હતું. ત્યારે ઇકબાલ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. ઇકબાલનાં સપનાંને ઝીણાએ સાકાર કર્યું.


અંગ્રેજૉને ભાગલા ઉતાવળે પાડવામાં રસ હતો કારણ કે તો જ અંધાધૂંધી સર્જાય. ઝીણાને બીજી ઉતાવળ હતી. તેને ટીબી હતો અને પોતે હવે લાંબું જીવવાના નથી એ જાણી ગયા હતા. ભાગલા પહેલાં કેટલાક લોકોએ માઉન્ટ બેટનને કહ્યું હતું કે થોડા સમય રાહ જુઓ, આઝાદી મોડી આપશો તો વિભાજન રોકી શકાશે. ઝીણા જ નહીં હોય તો અલગ પાકિસ્તાનની માગણી નબળી પડી જશે પણ, માઉન્ટ બેટન અખંડ ભારત ઇરછતા જ નહોતા.


૩૧મી મે ૧૯૪૭ના રોજ ગાંધીજીએ પ્રાર્થનાસભાના ભાષણમાં કહ્યું હતું, ‘ભારત આખું ભડકે બળે તો પણ પાકિસ્તાનના સર્જનને મારી મંજૂરી નથી. મુસ્લિમો તલવારની અણીએ પાકિસ્તાન માગે તો પણ તેમને આપી શકાય નહીં.’ ભાગલા સામે ગાંધીજીનો વિરોધ હોવાને કારણે નહેરુ કે સરદાર તે મુદ્દે ગાંધીજી સાથે બહુ ચર્ચા નહોતા કરતા અને કોંગ્રેસ ઉપર એકચક્રી શાસન ચલાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીએ ભાષણમાં કહેવું પડયું,


‘કોંગ્રેસ જે નક્કી કરશે એ જ થવાનું છે. મારું કશું ચાલતું નથી. હું તો અરણ્યરુદન કરી રહ્યો છું. બધાએ મને તરછોડી દીધો છે.’ આ જ ગાંધીજી ભાગલા વખતે પૂર્વ સરહદે રહ્યા અને પિશ્ચમ સરહદ જેવી હિંસાને આ એકલો માણસ રોકી શકયો, ત્યારે લોર્ડ માઉન્ટબેટને કહ્યું હતું, ‘પૂર્વ સરહદે વન-મેન બાઉન્ડ્રી ફોર્સ છે, જેણે હિંસાને રોકી છે.’ આ વન-મેન બાઉન્ડ્રી ફોર્સનો એકમાત્ર સૈનિક એટલે મહાત્મા ગાંધી.


હવે વાચકને બીજો પ્રશ્ન: જે માણસે ભારતની આઝાદી માટે જીવતર ઘસી નાખ્યું હોય, આખો દેશ જેને સર્વમાન્ય એકમાત્ર નેતા માનતો હોય તે વ્યકિત ૧૫મી ઓગસ્ટે ભારતને આઝાદી મળી ત્યારે કયાં હોવો જોઇએ? દિલ્હીમાં સ્વાતંત્ર્યની ઉજવણીના માહોલમાં દેશવાસીઓ અને વિશ્વના અભિનંદન ઝીલતો હોવો જૉઇએ ને? મહાત્મા ગાંધી નામનો એ માણસ ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પિશ્ચમ બંગાળના એક નાનકડા ગામડામાંના એક ઝૂંપડામાં બેઠો હતો.


બીજી બાજુ મોહમ્મદ અલી ઝીણા હતા જેનું એકમાત્ર ઘ્યેય પાકિસ્તાનનું સર્જન કરવાનું હતું. આઝાદી પછી ભારતના વિદેશ પ્રધાન બનેલા મોહમ્મદ કરીમ ચાગલાએ ભાગલા પહેલાં ઝીણાને કહ્યું હતું, તમે મુસ્લિમ બહુમતી વડે પાકિસ્તાન બનાવવા માગે છો પણ ઉત્તરપ્રદેશ વગેરે વિસ્તારોમાં મુસ્લિમો લઘુમતીમાં છે છતાં સંખ્યા ઘણી મોટી છે તેમનું શું થશે? ઝીણાએ જવાબ આપ્યો હતો કે તેઓ તેમનું ફોડી લેશે.


અત્યારે ભારતના વડાપ્રધાન અને વિપક્ષના નેતા બંનેએ ભાગલાની યાતનાઓ વેઠી છે. છતાં બંનેની વિચારસરણી એકદમ અલગ છે. ડૉ. મનમોહનસિંહનો પરિવાર લાહોરથી ભાગીને ભારત આવ્યો હતો. લાલકૃષ્ણ અડવાણી પહેરેલે કપડે ભારત પહોંચ્યાં હતા. અડવાણીએ ઝીણાને બિન સાંપ્રદાયિક ગણાવ્યા હતા ત્યારે શરૂ થયેલો વિવાદ આજે વર્ષોપછી પણ પૂરેપૂરો શમ્યો નથી, પણ ઝીણાની તરફેણમાં એટલું કહેવું પડે કે પાકિસ્તાનની બંધારણ સભાની પ્રથમ બેઠકમાં ઝીણાએ કહ્યું કે, ‘આજથી તમે મસ્જિદમાં કે મંદિરમાં કે ગમે તે ધર્મસ્થાનમાં જવા માટે મુકત છો. તમારા ધર્મ કે નાત-જાત સાથે પાકિસ્તાનની સરકારને કશું લાગતું વળગતું નથી.’ મજાની વાત એ છે કે ઝીણાના આ શબ્દો અત્યારે પાકિસ્તાનની સરકારે ઇતિહાસમાંથી કઢાવી નાખ્યા છે.


સારે જહાં સે અરછા હિન્દોસ્તાં હમારાના લેખક ઇકબાલને પાકિસ્તાને રાષ્ટ્રકવિનું બિરુદ આપ્યું અને લાહોર નજીકની તેની મઝાર પર બારેમાસ સંત્રીઓ એટેન્શનમાં ભા રહે છે. ભારતના રાષ્ટ્રગીતની પસંદગી કંઇ રીતે થઇ? જે ગીતે આખા ભારતને એકસૂત્રે બાંઘ્યું હતું તે ગીત તો વંદે માતરમ્ હતું. આઝાદીનું આ અનઓફિશિયલ રાષ્ટ્રગીત હતું. છતાં, માતૃવંદનાના નામે મુસ્લિમોએ તેનો વિરોધ કર્યોઅને પહેલેથી જ મુસ્લિમ આળપંપાળના વાઇરસ જેમના લોહીમાં છે એવી ભારતીય નેતાગીરીએ ઇંગ્લેન્ડના રાજા પંચમ જયોર્જની ભાટાઇ માટે રવીન્દ્રનાથ ટાગોરે લખેલાં મહાકાવ્યમાંથી એક ટુકડો ઉપાડીને તેને રાષ્ટ્રગીત તરીકે પસંદ કર્યું.


આપણા જનગણ મન... રાષ્ટ્રગીતમાં ભારત ભાગ્ય વિધાતા... એવા શબ્દો છે એ ભારત ભાગ્ય વિધાતા એટલે કોણ? ઇંગ્લેન્ડનો રાજા પંચમ જયોર્જ જ. છતાં આપણે એ ગીતને રાષ્ટ્રગીત બનાવ્યું જયારે પાકિસ્તાને શું કર્યું જાણો છો? ઇકબાલે પાકિસ્તાનની રચનાની પ્રથમ ઇંટ મૂકી હોવા છતાં તેના ગીતમાં હિન્દુ હૈ હમ શબ્દ હોવાના એકમાત્ર કારણસર પાકિસ્તાને તેને રિજેકટ કર્યું, ઇકબાલે પોતે છઠ્ઠી પંકિતમાં હિન્દુ હૈ હમને બદલીને ‘મુસ્લિમ હૈ હમ, વતન હૈ પાકિસ્તાન’ એવો સુધારો સ્વહસ્તે કર્યો, છતાં એ જ ગીત જયારે કોંગ્રેસના અધિવેશનોમાં, આઝાદી પહેલાં ગવાતું ત્યારે કોંગ્રેસીઓ સાંપ્રદાયિક ગણાવાની બીકે હિન્દુ હૈ હમ ગાવાને બદલે હિન્દી હૈ હમ ગાતા હતા. આ ભારતીય માનસિકતા છે. છતાં, મારી પ્રિય આઝાદીને બાસઠમા વર્ષના આરંભે સો સો સલામ, એટેન્શન પ્લીઝ.

Monday, August 3, 2009

સર્જનાત્મક વિચારણાનું વિજ્ઞાન



સર્જનાત્મક વિચારણાનું વિજ્ઞાન
સાયન્સ અને ટેકનોલોજી

Written by GS News
Saturday, 25 July 2009




I think, therefore I am - Raine D'kart

ઈ.સ. ૧૫૫૬ની ૩૧મી માર્ચ... ફ્રાન્સના તૂરીન પ્રદેશનું લ-હાય નામનું નાનકડું ગામ કે જ્યાં એક અદ્ભૂત વ્યક્તિત્વ પોતાના નાનકડાં મગજમાં વિશિષ્ટ કોષો લઈને જન્મ લે છે. જેના ૨૫ વર્ષ બાદ તેના મુખમાંથી ઉપર લખેલા શબ્દો સરે છે. જર્મન ભાષામાં ‘કૉજીયે ઓર્ગો સમ’ એમ ઉચ્ચારાયેલા આ શબ્દોનો અર્થ છે, ‘હું વિચારું છું, તેથી હું છું’ આ મહાન વ્યક્તિત્વ એટલે ફિલસુફી, ખગોળ અને ગણિતશાસ્ત્રની ત્રિવિધ આંતરશક્તિ ધરાવનાર જર્મન ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ રૈને દ’કાર્ત.

આ મહાન ફિલસૂફનો જન્મ થયો ત્યારે જર્મનીમાં વેટીકનના ધર્મસંસ્થાનોનું અંધાઘૂંધ વર્ચસ્વ પ્રવર્તતું હતું. આ ધર્મસ્થાનોની જાણબહાર કંઇક પણ વિચારવું અને એ વિચારોને જાહેરમાં પ્રગટ કરવા એ ધર્મગુરૂઓનો વિદ્રોહ ગણાતો. એ સમયે ‘I think, therefore I am’ કહેનારન દ’કાર્તને વિચારક્રાન્તિનો પ્રણેતા જ કહેવો પડે.


દ’કાર્તે પોતાના જીવનમાં ‘સંશય’ને એક ઉમદા ગુણ તરીકે સ્વીકાર્યો હતો. તેણે પોતાના ‘ફિલસૂફીના સિદ્ધાંતો’ નામના પુસ્તકની પ્રસ્તાવના કરતાં લખ્યું છે કે ‘‘હું સ્વતંત્ર રીતે વિચારું છું, તેથી જ હું શંકા કરું છું, તેથી જ હું પ્રશ્નો કરું છું, તેથી જ હું, ઉત્તરનો સ્વીકાર કે અસ્વીકાર કરું છું અને તેથી જ મને લાગે છે કે હું છું.’’


દ’કાર્તના મતે એ જ માણસ ખરા અર્થમાં જીવિત ગણાય કે જે બીબાંઢાળ જીવન ન જીવે, પરંતુ પોતાની સમક્ષ આવતી દરેક બાબતને ‘સંશય’ની એરણ પર ચડાવે, તર્કના ચારણે ચાળે અને પછી જો તે ખરી લાગે તો જ તેને સ્વીકારે.


પૃથ્વી પર જન્મ લેનારું પ્રત્યેક બાળક સ્વભાવગત જિજ્ઞાસુ હોય છે. પોતાની જીવનયાત્રા દરમિયાન તેનામાં રહેલી કુદરતી નિરીક્ષણ શક્તિને કારણે તેના કુમળા માનસમાં અસંખ્ય પ્રશ્નો ઊઠે છે. જે સાક્ષાત ‘પ્રશ્નોપનિષદ’નું સ્વરૂપ ધારણ કરે છે. આ પ્રશ્નો તેના ‘અન્વેષક મન’ને કારણે ઉદ્ભવે છે, કુદરતી કુતુહલવૃત્તિને કારણે ઉદ્ભવે છે. ટૂંકમાં, દરેક બાળક એક સ્વયંભૂ ‘સંશોધક’ છે તેમ કહી શકાય.


બચપણમાં પોતાના તમામ પ્રશ્નોના ઉકેલ સ્વજનો અને અન્ય લોકો પાસેથી પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતું બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ ‘સ્વતંત્ર વિચારણા’ બાબતે પણ પોતાના ‘પગભર’ થાય તે ઇચ્છનીય જ નહીં પરંતુ અનિવાર્ય ગણાય.


વિચાર એ એક ઊર્જા છે. વિચાર સર્જનાત્મક પણ હોઈ શકે અને ખંડનાત્મક પણ હોઈ શકે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ખંડનાત્મક વિચારસરણીનું જોર વધી રહ્યું છે ત્યારે દેશના ભાવિ નાગરિકો એવા બાળકોને સર્જનાત્મક વિચારોની દુનિયામાં ‘વિચરતા’ કરવા એ પ્રવર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. હવે પ્રશ્ન એ થાય કે આ સર્જનાત્મક વિચારણા તેમનામાં વિકસાવવી શી રીતે?


તો આવો, વિચાર પ્રક્રિયાને જરા મનોવૈજ્ઞાનિક રીતે સમજવા પ્રયત્ન કરીએ...
મનુષ્ય સતત જે પ્રકારના સામાજિક પર્યાવરણમાં પોતાનું જીવન વ્યતિત કરતો હોય, તેના સતત સંપર્કમાં મનુષ્યને થતી કોઈપણ સંવેદના કે અનુભવ તેના માનસપટ પર કોઈક મનોવ્યાપાર જન્માવે છે, જે જ્ઞાનમાં પરિણમે છે. જેમ કે, પર્યાવરણના સંપર્કમાં ઠંડી કે ગરમીનો અનુભવ થતાં માણસે ઠંડી-ગરમીથી રક્ષણ મેળવવાના ઉપકરણો શોઘ્યા તે વિચારણાનું પરિણામ છે.


વિચારની પ્રક્રિયા દ્વારા વ્યક્તિના માનસપટ પર વ્યક્તિ, વસ્તુ કે ઘટનાનું એક માનસિક રૂપ ઊભું થાય છે. એ માટે જરૂરી નથી કે તે વસ્તુ, વ્યક્તિ કે ઘટનાનું અસ્તિત્ત્વ હોવું જ જોઈએ! જેમ કે, વિચાર તો ‘ઊડતી માછલી’નો પણ કરી શકાય અને ‘હવામાં તરતા માણસ’નો પણ કરી શકાય. જેને કારણે જ બાળકો માટેની ઍનીમેશન ફિલ્મોનો આવિષ્કાર થયો છે. ટૂંકમાં, પ્રત્યક્ષની ગેરહાજરીમાં પણ વ્યક્તિ, વસ્તુ કે ઘટનાના સંબંધમાં માનસપટ પર આકાર લેતી કાલ્પનિક પ્રતિમા એટલે વિચાર. માનવ બાળમાં વિચાર પ્રક્રિયા પ્રથમ મૂર્ત સ્વરૂપથી શરૂ થઈ, ધીમે ધીમે અમૂર્ત સ્વરૂપમાં થઈ નવી નવી શોધખોળો સુધી પહોંચી શકે છે. વૈજ્ઞાનિક ઢબે અપાતું વિચારશિક્ષણ માણસને કોઈ સમસ્યાના ઉકેલ માટે, પ્રસંગ કે ઘટના પાછળનું રહસ્ય જાણવા માટે તથા નવસર્જન કે આવિષ્કાર માટે ઉપયોગી નીવડે છે. વ્યક્તિ દિવસ દરમ્યાન નિરર્થક વિચારો તો ઘણાં કર્યા કરે છે.

પરંતુ બાળકોમાં નાનપણથી જ વિચારપ્રક્રિયા કોઈ ઘ્યેયના સંદર્ભમાં વિકસાવી શકાય તો જ સર્જનાત્મકતાને વેગ આપી શકાય. આ માટે બાળકોને પ્રત્યેક બાબત અંગે સંશય કે પ્રશ્ન ઉઠાવવાની તાલીમ આપવામાં આવે, વિચારવાની યોગ્ય દિશા, પ્રતીકો કે સંકેતો, પ્રતીમા સર્જન, સ્મૃતિ વગેરેની મદદ લેવામાં આવે તો બાળકમાં રહેલી મૂળભૂત સંશોધનવૃત્તિને પ્રોત્સાહન મળે અને એ દ્વારા તેની ગર્ભિત શક્તિઓને જરૂર બહાર લાવી શકાય.

પ્રતીકો અને સંકેતોને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ તો... શબ્દ સાંભળતાની સાથે જ જે તે ચીજવસ્તુના લક્ષણોની સ્મૃતિ આપણાં મનમાં ઊભી થાય છે. ઘણીવાર તે સાચી ન હોવા છતાં સાચી હોવાની અનુભૂતિ થાય છે. જેને ‘પ્રતિમા’ (ૈંસચયી) કહેવાય. જેમ કે, ‘પાંખોવાળો ઘોડો’ એમ વિચારતાની સાથે જ આપણાં મનમાં ‘પાંખોવાળા ઘોડા’ની પ્રતિમા રચાય છે. આ રીતે દરેક સંવેદના આપણા મનમાં એક વિશિષ્ટ ભાત ઉપસાવે છે.

આ થઈ ‘દ્રશ્ય પ્રતિમા’. અવાજ સાથે સંબંધિત પ્રતિમા એ ‘શ્રવણ પ્રતિમા’ છે. જેમ કે, પ્રિય વ્યક્તિના મૃત્યુ બાદ ક્યારેક તેના અવાજની ઝાંખી થાય છે. જે ‘શ્રવણ પ્રતિમા’ને કારણે છે. ‘પાંઉભાજી’ શબ્દના ઉચ્ચારણ સાથે ‘સ્વાદ પ્રતિમા’ રચાય છે, તો ‘ગુલાબનું ફૂલ’ બોલતાની સાથે જ ‘ગંધ પ્રતિમા’ માનસપટ પર ઉપસે છે.


વસ્તુની ગેરહાજરીમાં એ વસ્તુ વિશે આપણે સાંભળીએ ત્યારે જે તે વસ્તુની સ્મૃતિ પેદા કરી આપે તે ‘પ્રતીક’ કે ‘સંકેત’ છે. આવા સંકેતો, પ્રતીકો કે પ્રતીમાઓની મદદથી જ આપણા મનમાં અદ્રશ્ય મનોવ્યાપાર (વિચાર) ચાલ્યા કરે છે. હવે જો આ અદ્રશ્ય મનોવ્યાપારો નવા આકાર ધારણ કરી શકે, જુદી જુદી કાલ્પનિક પ્રતિમાઓ પર નવી વિચારણાના નવા સંબંધો ક્રમશઃ ગોઠવાતા રહે તો વ્યક્તિ નવસર્જન કે નવા આવિષ્કાર કરી શકે. જેમ કે, વારંવાર ટોસ્ટર સેન્ડવીચ બનાવતા બનાવતા બ્રેડની ગેરહાજરીમાં એક દિવસ ઠંડી રોટલીનો ઉપયોગ કરીને કોઈ ગૃહિણી ‘ચપાટી સેન્ડવીચ’નો આવિષ્કાર કરી બેસે તે સર્જનાત્મક વિચારણા છે.


આવી સર્જનાત્મકતા વિચારણા માટે જરૂરી છે, પૂર્વ અવલોકન, ચિંતન, અંતઃસ્ફૂરણા તથા સ્મૃતિ. જ્યારે વ્યક્તિ સમક્ષ કોઈ સમસ્યા ઉદ્ભવે ત્યારે ખૂબ ચિંતન કરી, તે પોતાની સ્મૃતિમાં રહેલી એક પછી એક અનુભવ પ્રતિમાઓને એકબીજા સાથે બંધબેસતી ગોઠવી અને અંતઃસ્ફૂરણા દ્વારા એક નવી ‘ભાવ પ્રતિમા’નું સર્જન કરે છે જે આવિષ્કાર કે નવી શોધ રૂપે પ્રગટ થાય છે.


આવી સર્જનાત્મક વિચારણા બાળકોમાં વિકસાવવા માટે ‘બ્રેઇન સ્ટોર્મિંગ’નો આઘુનિક ખ્યાલ ખૂબ ઉપયોગી થઈ શકે.


‘બ્રેઇન સ્ટોર્મિંગ’ એ અંગ્રેજી ભાષાનો સમાસ છે, જે ગુજરાતીમાં જેમનો તેમ સ્વીકારી લેવામાં આવ્યો છે.
માનવ મગજ કોઈપણ પરિસ્થિતિમાં મુખ્યત્વે બે રીતે વર્તે છે. એક, તે માહિતી ગ્રહણ કરે છે અને બીજું, તે પ્રત્યાઘાત આપે છે. માહિતી ગ્રહણ કરીને જાત સાથેના સંવાદથી ‘ચિંતન’ વિકસાવી શકાય જ્યારે પ્રત્યાઘાત દ્વારા અન્ય સાથેના સંવાદથી ઊભી થનાર વિવાદની શક્યતા દ્વારા મગજને વઘુ સતેજ બનાવી શકાય. અન્ય સાથેની તંદુરસ્ત ચર્ચા મગજને વઘુ સતેજ બનાવે છે અને આવું ઉત્તેજિત મગજ વઘુ ઉમદા વિચારો પેદા કરી શકે છે. કોઈ મુદ્દા પર સામુહિક ચર્ચા દરમિયાન સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થતાં એક કરતાં વઘુ ઉત્તેજિત મગજો અકલ્પનીય વિચારોને પ્રગટાવી શકે છે જેના ફળ સ્વરૂપે ચર્ચામાં સંલગ્ન પ્રત્યેક વ્યક્તિને નવો રાહ મળે છે. આ પ્રક્રિયા ‘બ્રેઇન સ્ટોર્મંિગ’ તરીકે ઓળખાય છે. ટૂંકમાં બ્રેઈન સ્ટોર્મંિગ એટલે ‘ચર્ચા અથવા પરિસંવાદ દ્વારા નિશ્ચિત મુદ્દા પર જુદા જુદા લોકોની બૌદ્ધિક શક્તિને કામે લગાડીને તે મુદ્દા અંગે શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત કરવા.’ જેવી રીતે ગામડાની નારી છાશમાંથી માખણ તારવવા માટે ઘમ્મર વલોણાને બે વિરૂદ્ધ દિશામાં ફેરવી છાશના કણેકણમાં તોફાન (સ્ટ્રોમ) પેદા કરી માખણ તારવે છે તેમ બ્રેઇન સ્ટોર્મંિગ દ્વારા માનવ મગજોમાં ‘વિચારોનું તોફાન’ પેદા કરી ‘સર્જનાત્મક વિચાર’ પેદા કરી શકાય છે.

સમાજમાં બાળકને ઉઠતા વિવિધ પ્રશ્નોનાં રેડીમેઇડ ઉત્તરો આપી દેવાને બદલે તેને ઉત્તરો જાતે શોધવા પ્રોત્સાહન આપવું ઇચ્છનીય છે. તે સમસ્યાનો અનુભવ કરે, તેને પ્રશ્નો ઉદ્ભવે, તેનો ઉકેલ શોધવા ખાંખાંખોળા શરૂ થાય, જવાબો શોધાય, જવાબમાં સંશય ઊભો થાય, ફરીથી વિચારણા શરૂ થાય, ઉકેલ મેળવાય... આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વડિલો મૂક પ્રેક્ષક ન બની રહે પરંતુ ‘દીવાદાંડી’ની ગરજ સારે તો ભવિષ્યમાં આપણે વિચારવાન નાગરિકો પામી શકીશું. એક શિક્ષક કે વાલી બહુ મોટી ક્રાન્તિના ખ્યાલો છોડી પોતાના વર્ગ કે ઘર પૂરતી વિચારક્રાન્તિ લાવી શકે, બાળકને વિચારતા શીખવી શકે, દ’કાર્તની માફક ‘સંશયાત્મા’ બનાવી શકે તો જરૂરથી શિક્ષણકર્મ મહાનતાને સ્પર્શી શકે. વર્ષો જૂના ગાઢ અંધકારને દૂર કરવા શું એક દીપક પૂરતો નથી?
અંતે... વર્જિલ નામના લેટિન કવિના શબ્દોમાં કહું તો...
We can, If we think that we can

Saturday, August 1, 2009

આજની નવી શોધ - ડાયાબીટીસના દર્દીઓ વાંચે અને વંચાવે (ડોક્ટરને ખાસ)




આજની નવી શોધ

ડાયાબીટીસના દર્દીઓ વાંચે અને વંચાવે (ડોક્ટરને ખાસ)

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોગના સ્માર્ટ ફુડ સેન્ટરના લીન્ડા ટપસેલ નામના પ્રોફેસરે અને એમની ટીમે એક નવી શોધ કરી છે કે... દરરોજ અખરોટ ખાનારા ડાયબીટીક ટાઈપ-બે (એટલે જેનો ડાયાબીટીસ વધુ રહેતો હોય પણ કેન્ટ્રોલમાં આવી શકે) દરદીનો ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહે છે.

પ્રોફેસર સંશોધકોની આ ટુકડીના કહેવા પ્રમાણે યોગ્ય પ્રકારની ચરબી ઉત્પન્ન કરનાર ખોરાકમાં અખરોટ ખાવાથી (વર્ષ-બે વર્ષ સુધી ખાધા પછી અસર થાય છે. તરત અસર ઇચ્છનાર ખત્તા ખાય છે.) ડાયાબીટીસને કન્ટ્રોલમાં રાખનાર ચરબી ઉત્પન્ન કરે છે. (શરીરને ચરબીની પણ જરૃર છે અને ગળપણની પણ)

વધુ પડતા વજનવાળા અને ઈન્સ્યુલીન નહીં લેનાર ડાયાબીટીસના ૫૦ દર્દીઓ પર આ પ્રયોગ કરવામાં આવ્યા પછી આ તારણ કાઢવામાં આવ્યું છે. સંશોધકોએ જોયું કે દરરોજ ૩૦ ગ્રામ અખરોટ ખાનારમાં સારા પ્રકારની ચરબીનું પ્રમાણ વધુ રહેવાથી એમનો ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહેતા હતો. આની અસર ત્રણ મહિનામાં દેખાવા લાગી હતી. એ સારી ચરબીના કારણે શરીરમાં ઈન્સ્યુલીનનું પ્રમાણ પણ વધવા લાગ્યું હતું.

આ સમાચાર 'યુરોપિયન જર્નલ ઓફ ક્લીનીકલ ન્યુરેશન'માં આવ્યા છે.

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory