આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Thursday, December 24, 2009

ચાઇનીઝ દોરી ઉપર ગુજરાતમાં પ્રતિબંધ



















Friday, Dec 25th, 2009, 3:51 am [IST]

ચાઇનીઝ દોરી ઉપર ગુજરાતમાં પ્રતિબંધ
Gautam Purohit

ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ છવાયા પહેલાં પતંગ માટે વાપરવામાં આવતી ચાઇનીઝ દોરીએ રાહદારી તેમજ વાહનચાલકોના ગળા કાપવાનું શરૂ કરતાં રાજ્ય સરકારે અગમચેતી વાપરીને આવી દોરી ઉપર રાજ્યવ્યાપી પ્રતબિંધ મૂકી દીધો છે. આ સાથે પરંપરાગત દોરી સિવાયની અન્ય પ્લાસ્ટીક દોરી ઉપર પણ બાન મૂકવામાં આવ્યો છે. પગંત અને દોરીની ખરીદી પહેલાં સરકારે વેપારીઓ અને પતંગ રસિયા નાગરિકોને આ ચેતવણી આપી છે.

ગુજરાતમાં ઉત્તરાયણની ખરીદી સામાન્યરીતે ડિસેમ્બરના અંત સમયમાં શરૂ થતી હોય છે. તૈયાર દોરીના રસિયાઓ હંમેશા પ્લાસ્ટીક અને ચાઇનીઝ દોરીનો આગ્રહ રાખતા હોવાથી તેઓ જાન્યુઆરીમાં ખરીદી કરે છે. અમદાવાદમાં ચાઇનીઝ દોરીએ અત્યાર જ લોકોના ગળા કાપવાનું શરૂ કરતાં જિલ્લા કલેકટર કચેરીએ અનેક રજુઆતો કરવામાં આવી છે.

રાજ્યની પોલીસને પણ આ પ્રકારની અનેક ફરિયાદો મળી છે. જીવલેણ સાબિત થતી ચાઇનીઝ દોરીના વપરાશ માટે શું કરવું તેની પળોજણ સરકારના વિભાગોમાં ચાલતી હતી. છેવટે રાજ્યના વન અને પયૉવરણ મંત્રાયલ તરફથી પ્રોટેકશન એકટની કલમ-૫ મુજબ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વન અને પયૉવરણ વિભાગના અગ્રસચિવ ડો.એસ.કે.નંદાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવ શોકમાં પલ્ટાઇ જાય નહીં તે માટે આ વિભાગે એક આદેશ કરીને એવું જાહેર કયું છે કે ચાઇનીઝ કે પ્લાસ્ટીકની દોરી વેચનાર કે રાખનાર વેપારી, આ દોરીનો ઉપયોગ કરનાર ગ્રાહક કે અન્ય વ્યક્તિ કે જેઓ ચાઇનીઝ દોરીનો કારોબાર કરતા હોય તેવા તમામ લોકો સામે પગલાં લઇ શકાશે.

પોલીસ અને કલેકટર કચેરીઓ તરફથી મળેલી રજુઆતના આધારે સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ અને પ્લાસ્ટીકની દોરી ઉપર પ્રતબિંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતબિંધ મેગ્નેટીક દોરી માટે પણ લાગુ પડશે. આ દોરીના કારણે વાહનચાલકો જ નહીંપક્ષીઓના પણ ગળા કપાય છે. વિભાગે મૂકેલા પ્રતબિંધનો અમલ ગુરુવારથી કરવામાં આવશે.

આ દોરીના ઉપયોગ બદલ કોઇપણ વ્યક્તિને દંડ અને સજા થઇ શકે છે. આ દોરીને ક્રાઇમ ગણી લેવામાં આવી છે તેથી પોલીસ ધરપકડ પણ કરી શકે છે.

ચાઇનીઝ દોરીમાં પોલીમર કન્ટેઇન હોવાથી તેમાં ઇલેકટ્રીસિટી પસાર થઇ શકે છે જે જીવલેણ સાબિત થાય છે. ઉત્તરાયણ પછી પણ વીજળીના તાર ઉપર લટકતી દોરી પક્ષીઓ માટે જોખમી બની શકે છે. આ તમામ બાબતોનો અભ્યાસ કરી રાજ્ય સરકારે ટ્રેડશિનલ દોરીના વપરાશ ઉપર ભાર મૂકયો છે. મેગ્નેટીક અસરવાળી દોરી અથવા મેગ્રેટીક પટ્ટી પણ પતંગના છેડે લગાવી શકાશે નહીં. રાજ્ય સરકારે પોલીસને આ પ્રતબિંધનો અમલ કરવા તમામ જગ્યાએ એલર્ટ કરી દીધી છે.









પંતગ ઉતારવા જતા માસૂમ ગંભીર રીતે દાઝ્યો
Mihir Bhatt, Ahmedabad

ઘાતક બની રહેલી ચાઇનીઝ દોરીની ચારે તરફ બુમરેંગ છે, ત્યારે હાઇ ટેન્શન વાયર પરથી લટકતી આવી એક દોરીને ખેંચવા જતા એક દસ વર્ષીય કિશોર ગંભીર રીતે દાઝતા તેને વા.સા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાંમાં વધુ એક બાળક અને યુવક દાઝયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર, ફતેવાડી ભાઠા વિસ્તારમાં રહેતા યુસુફખાન પઠાણ લાલદરવાજા ખાતે એએમટીએસ સ્ટોપ પર પાનનો ગલ્લો ધરાવે છે. સોમવારે સવારે યુસુફખાનની પત્ની ફેમીનાંબાનુની તબીયત ખરાબ હોઇ હોસ્પિટલ ગયા હતા. જયારે તેમનો મોટો પુત્ર મહમ્મદ અલી મદરેશાએથી ઘરે આવી રહ્યો હતો.

આ સમયે રસ્તામાંથી પસાર થતા એક હાઇ ટેન્શન વીજ વાયર પર પતંગ પડેલો જોઇ મહમ્મદ અલીએ તેની દોરી ખેંચી પતંગ ઉતારવા કોશીષ કરી હતી. મહમ્મદ અલીએ પતંગની દોરી પકડતાની સાથેજ તેનાં શરીર પર એક ઘાતક ધડાકો થયો હતો અને સુદબુધ ખોઇ મહમ્મદ અલી ફસડાઇ પડયો હતો.

હાઇ વોલ્ટેજને કારણે શરીર પર થયેલો ધડાકો એટલો મોટો હતો કે નજીકમાં ઉભેલા એક ત્રણ વર્ષનાં બાળક તથા એક પુરૂષ પણ દાઝી ગયા હતા. આ ઘટનાની જાણ થતાની સાથેજ સ્થાનીક લોકોએ ત્રણેણ જણાને હોસ્પિટલ ખસેડ્યાં હતા. જો કે ૯૦ ટકા જેટલા દાઝી ગયેલા મહમ્મદ અલીને વા.સા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જયાં ડોક્ટરઓ તેની સારવાર હાથ ધરી છે, બીજી તરફ અસલાલી પોલીસે પણ આ અંગે નોંધ લઇ તપાસ આદરી છે.









Sunday, Dec 20th, 2009, 2:38 am [IST]

ચાઇનીઝ દોરીના વપરાશ સામે અભિયાન છેડાયું
Bhaskar News, Ahmedabad

ખતરનાક એવી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તેમ જ તેની ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી ઉગ્ર બની છે. ઝુંડાલની સ્વામિનારાયણ સંસ્કાર કોલેજના વિધાર્થીઓએ ચાઇનીઝ દોરી ન વાપરવાના સોગંદ લીધા છે અને પોતાની સોસાયટીઓમાં પણ તે ન વપરાય તે માટે અભિયાન ચલાવવાનું પણ નક્કી કર્યું છે.

ચાઇનીઝ દોરીની ખતરનાક અસરો પ્રત્યે અમદાવાદ શહેર જાગૃત બની રહ્યું છે. ચાંદખેડા- ગાંધીનગર રોડ ઉપર ઝુંડાલ ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ફાર્મસી કોલેજના વિધાર્થીઓ અને પ્રાઘ્યાપકોએ ચાઇનીઝ દોરી ન વાપરવાનો નિર્ણય લીધો છે.

એટલું જ નહીં તેઓએ પોતપોતાની સોસાયટીમાં ચાઇનીઝ દોરી ન વાપરવાનું અભિયાન પણ છેડવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ લાલ દરવાજા ખાતે પતંગ અને દોરીના વેપારી રાજુ ઉસ્તાદ બરેલીવાળાએ એક મોટું હોર્ડિંગ લગાવીને ચાઇનીઝ દોરી મામલે લોકોને ચેતવ્યા છે.

‘દિવ્ય ભાસ્કરે’ ચાઇનીઝ દોરી સામે શરૂ કરેલા જનજાગતિ અભિયાનને દિવસે દિવસે જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ, વેપારીઓ, જીવદયા અને પર્યાવરણ પ્રેમીઓએ ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. શનિવારે બપોરે ઝુંડાલની શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ફાર્મસી કોલેજના ૨૬૦ વિધાર્થીએ જીવલેણ ચાઇનીઝ દોરી પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો. કોલેજના પ્રટાગણમાં પ્રાઘ્યાપકો અને વિધાર્થીઓએ ચાઇનીઝ દોરી ન વાપરવાના શપથ લીધા હતા.

કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, ‘ માનવી અને પક્ષીઓના જીવ લેતી ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવો જોઇએ. ઉત્તરાયણમાં અસંખ્ય અબોલ જીવો આ દોરીનો શિકાર બને છે. ચાઇનીઝ દોરીમાં નાઇલોનનો ઉપયોગ થતો હોય તે પર્યાવરણ માટે પણ જોખમી છે.’

ચાઇનીઝ દોરીમાં બાઇન્ડર નામનો પદાર્થ હોય છે. જે અસ્ત્રા જેવું કામ કરે છે. જયારે તે માણસના શરીર ઉપર ઘસાય ત્યારે ચામડી ચીરી નાખે છે. બીફાર્મના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ધવલ પટેલ અને ચેતન મિસણે ચાઇનીઝ દોરી પ્રત્યે પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ‘ દેશને નુકસાન કરે તેવા વિદેશી માલ-સામાન અમને ન ખપે. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકી દો.’ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનું છોડી તેઓ પક્ષી બચાવવાનું કામ કરશે. બીજા એક વિધાર્થી અંકિત પટેલે જણાવ્યું હતું કે, ‘ અમારા મિત્ર મંડળમાં કોઇ ચાઇનીઝ દોરી ન વાપરે તેની કાળજી લઇશું.’

ચાઇનીઝ દોરીને ત્રાસવાદી સાથે સરખાવતું હોર્ડિંગ !

૨૫ વર્ષથી દોરીનો વેપાર કરતા રાજુ ઉસ્તાદ બરેલીવાળાએ એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. તેમણે લાલ દરવાજા રોડ ઉપર ૬ ફૂટ લાંબું અને ૨૫ ફૂટ પહોળું એક હોર્ડિંગ મૂકયું છે. જેમાં ચાઇનીઝ દોરીને ત્રાસવાદી જેટલી ઘાતક ચીતરવામાં આવી છે. તેમણે કહે છે, ‘ ચાઇનીઝ દોરીના આગમન બાદ હવે ચિત્ર પલટાઇ ગયું છે. માટે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ જરૂરી છે.’

Friday, November 13, 2009

‘દિવ્ય ભાસ્કર’ દુનિયાના સૌથી ઝડપી પ્રિન્ટિંગ મશીન પર છપાવાનું શરૂ








દિવ્ય ભાસ્કર’પ્રિન્ટ પ્લેનેટ આજે ગુજરાતને સમર્પિત કરાશે
Bhaskar News, Ahmedabad

- મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે : મુખ્ય અતિથિપદે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન પ્રફુલ્લ પટેલ, વિશેષ અતિથિપદે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટ, કેન્દ્રના રાજ્યકક્ષાના વીજપ્રધાન ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે

હવે ગુજરાતી ભાષા દુનિયામાં શિરમોર થશે. આજથી પહેલીવાર ‘દિવ્ય ભાસ્કર’ દુનિયાના સૌથી ઝડપી પ્રિન્ટિંગ મશીન પર છપાવાનું શરૂ કરાશે. દિવ્ય ભાસ્કરના નવા અત્યાધુનિક પ્રિન્ટિંગ પ્રેસ ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે આજે શનિવારે સાંજે ઉદ્ઘાટન કરવામાં આવશે. ભાસ્કર જૂથે આ પ્રિન્ટ પ્લેનેટની સ્થાપના માટે અમદાવાદ પાસેના ચાંગોદરમાં ૨૨૧ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે.

શનિવારે સાંજે પાંચ વાગ્યે પ્રિન્ટ પ્લેનેટના વિશાળ સંકુલમાં યોજાનારા ભવ્ય સમારોહમાં ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટનું ઉદ્ઘાટન થશે. આ સમારોહના મુખ્ય અતિથિપદે કેન્દ્રીય નાગરિક ઉયનપ્રધાન પ્રફુલ્લ પટેલ, વિશેષ અતિથિપદે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટ તેમજ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના વીજ પ્રધાન ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે.

આ શુભ અવસરે ભાસ્કર જૂથ દ્વારા પ્રસ્તુત કોફી ટેબલ બુક મેકર્સ એન્ડ શેપર્સ ઓફ ગુજરાત ( ધ પાવર ૧૦૦ અંક-૨)નું વિમોચન કરાશે. નવા સ્થપાયેલો આ પ્લાન્ટ કલાકમાં ૨ લાખ ૫૫ હજાર કોપી છાપી શકે છે. કેબીએ પ્રિઝ્માની ઉત્પાદકતાને ઘ્યાનમાં રાખીને ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટમાં ક્રેયૂઝે જર્મનીનું સૌથી ઝડપી સીટીપી મશીન પણ વસાવવામાં આવ્યું છે, જે કલાકની ૬૦૦ બ્રોડશીટ પ્લેટની ઝડપે પ્લેટ બનાવી શકે છે.

આ પ્લાન્ટની વામેક મેલરૂમ નામની સંપૂર્ણપણે સ્વયંસંચાલિત પેકગિં લાઇન અખબારની નકલોની ગણતરી કરે છે, બંડલ બનાવે છે, લેબલ લગાવે છે, પ્લાસ્ટિકના આવરણમાં લપેટે છે અને દોરી વડે બાંધીને રવાનગી માટે તૈયાર અખબારનાં બંડલ બનાવી આપે છે. આ સમગ્ર પ્રક્રિયા આપોઆપ જ થાય છે, જેમાં સહેજ પણ માનવીય સ્પર્શ થતો નથી.

‘દૈનિક ભાસ્કર’ પહેલેથી જ ભારતનું સૌથી વધુ વિકાસશીલ અખબાર જૂથ રહ્યું છે. હાલમાં અમદાવાદમાં દિવ્ય ભાસ્કર દ્વારા રોજ રાત્રે એક કરતાં વધુ મશીનો દ્વારા આશરે પાંચ લાખ કોપી છાપવામાં આવે છે. ડબલ વિડ્થના હાઇસ્પીડ મશીનોનો ઉપયોગ કરવાથી પ્રિન્ટિંગની ગુણવત્તામાં નોંધપાત્ર વદ્ધિ કરી શકાય તેમ છે. વધુમાં પ્રિન્ટિંગ મશીનની સંખ્યા ઘટવાથી પ્રિન્ટિંગથી પેકિંગ સુધીનું સંપૂર્ણ ઘટનાચક્ર કોઈ અંતરાય વિના એકધારી રીતે થશે.

ભાસ્કર જૂથ હંમેશાં નવા પરિવર્તનને સ્વીકારવા માટે તત્પર અને પડકારો ઉઠાવવા માટે તૈયાર રહે છે. જયારે હિન્દી ભાષાના પત્રકારો કોમ્પ્યુટર કેવું હોય તે પણ જાણતા નહોતા તેવા સમયે ૧૯૯૫માં ‘દૈનિક ભાસ્કરે’ પોતાના પત્રકારોને કોમ્પ્યુટરથી માહિતગાર કરીને નવી પહેલ કરી હતી.

ગૂગલ અને ગ્રાફિકલ ઇન્ટરનેટ હતા જ નહીં તેવા સમયે ભાસ્કરે ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. પ્રાદેશિક ભાષાનાં અખબારોમાં રંગોનો પ્રારંભ કરનારું સૌપ્રથમ અખબાર પણ દૈનિક ભાસ્કર જ હતું. દૈનિક ભાસ્કર મેટ્રિક્સ તરીકે ઓળખાતી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેના થકી વિશ્વના કોઈ પણ ખૂણે રહેલો દિવ્ય ભાસ્કરનો પત્રકાર પોતાની ભાષામાં કામ કરી શકે છે. ભારતમાં ગુજરાતી એકમાત્ર એવી પ્રાદેશિક ભાષા છે કે જેને આ પ્રિન્ટ પ્લેનેટનું ગૌરવ મળ્યું છે.

પ્રિન્ટ પ્લેનેટની મુખ્ય ખાસિયતો

- અતિઉચ્ચ ઉત્પાદન ક્ષમતા. પ્રત્યેક ફોલ્ડરની પ્રતિકલાક ૮૫,૦૦૦ કોપીની મુદ્રણ ક્ષમતા. કુલ ક્ષમતા ૨,૫૫,૦૦૦ કોપી/ પ્રતિકલાક.

- કલાકની ૬૦૦ બ્રોડશીટ પ્લેટની ઝડપે પ્લેટ બનાવી શકતું ક્રેયૂઝે જર્મનીનું સૌથી ઝડપી સીટીપી મશીન.- આ મશીન ૭૨ રંગીન પેજ છાપવાની ક્ષમતા ધરાવે છે.

- સંપૂર્ણપણે સ્વયંસંચાલિત. સંપૂર્ણ મશીન ઇન્ટરનેટના માઘ્યમથી જર્મનીસ્થિત કેબીએની મુખ્ય ઓફિસ સાથે જોડાયેલું છે, જેથી કોઈ ખામી સર્જાતાં જર્મન નિષ્ણાતો ત્યાં બેઠાં બેઠાં રિમોટ દ્વારા ઉકેલ લાવી શકે છે.

- કલર રજિસ્ટ્રેશન, વેબિંગ, ઇન્ક વોટર બેલેન્સ, રીલ ચેન્જની કામગીરીમાં સહેજ પણ માનવીય સ્પર્શ નહીં.- પ્રથમથી લઈ આખરી કોપી સુધી એકસમાન ગુણવત્તા.

- વામેક મેલરૂમ કે જે ફોલ્ડરમાંથી પ્રિન્ટેડ કોપી ઉઠાવી, સંપૂર્ણપણે ગણતરી કરેલું અને પેક થયેલા બંડલ તૈયાર કરે છે.

- ડબલ વિડ્થ સિંગલ સર્કમફેરન્સ પ્રકારનું મશીન હોવાના કારણે આ મશીન હાલની તુલનાએ બમણી ગતિએ બે ગણી વધુ કોપીનું મુદ્રણ કરે છે.

Tuesday, November 10, 2009

Postponed of Seminar on Industrial Automation

Dear Mr Dave,

Please note that the Seminar on Industrial Automation, has been postponed because of certain unavoidable Circumstances.

Hence the new dates will be informed to you soon.

Regards,Nida

-------------------------------------
Nida Faruqui
Executive
Confederation of Indian Industry
201-203, Abhishek Complex
Akshar Chowk, Old Padra Road
Vadodara- 390 020
Phone: 0265-6532016 / 17
Fax: 0265- 2327108

Forthcoming Events at Vadodara:

• Seminar on Bussiness Opportunities in Industrial Automation on 12 November.
• One Day Workshop on Winning Presentation Skills to be held on 14 November.
• One Day Workshop on GST held on 26 November.

Monday, November 9, 2009

Advanced Training Programme on ENERGY MANAGEMENT

Advanced Training Programme on ENERGY MANAGEMENT
0900 - 1730 hrs: Thursday: 3 December 2009: Hotel Express Residency: Vadodara

INTRODUCTION:
Energy conservation practices have acquired top priority, in the present context of acute power shortage and liberalization of economy. Industry needs to be aware of the latest trends in reducing energy costs, so as to be globally competitive. Some of the states like Gujarat, Punjab, Tamilnadu and Kerala have already made Energy Audit mandatory for all industrial establishments where maximum load exceeds 200 KVA.

To create and spread awareness on energy conservation in Indian Industry, the Energy Management Cell of CII has been organizing seminars and training programmes on Energy Conservation and audit at various industrial centers.

Against this backdrop, CII is organizing a one day advanced training program on Energy Management on 3 December 2009 at Hotel Express Residency, Alkapuri Society, Vadodara.

OBJECTIVE:
• To develop knowledge on techniques for effective energy management, which will result in reducing both thermal and electrical energy consumption.
• To highlight benefits of carrying out detailed energy audits
• To create in house skills on Energy Management tools like pumps, boilers compressors etc.
• To provide an opportunity for industry to reduce their costs and improve competitiveness.
• To sustain energy efficient culture at the work place.

CONTENT:
• Energy audit methodology • Motors
• Electrical Distribution • Centrifugal Pumps
• Air Compressors • Lighting
• Introduction & Concept of GBC

FACULTY:
Mr Dipesh Shah is the Head of Energy Management Cell of CII – WR. He has 15 years of hands on experience in the field of Energy Management & Conservation, Project Management, Detailed Engineering & Project Implementation, Engineering Maintenance, Process & Yield Monitoring. He has been involved in both national & international projects on energy conservation, management. He has trained more than 250 companies in efficient energy management and also has been involved in policy work with state Government. He is also a certified Energy Auditor of Bureau of Energy Efficiency – Govt of India.

TARGET AUDIENCE:
Top-level managers, Maintenance Engineers, Operation/Production Managers, Energy Consultants, Energy Auditors, Energy Managers, Supervisors etc. from all range of manufacturing and process industries.

REGISTRATION DETAILS:
• CII Members: Rs 3000/- (inclusive of service tax)
• Non Members: Rs 4000/- (inclusive of service tax)

The delegate fee should be in the form of a DD/Cheque in favour of “Confederation of Indian Industry” payable at Vadodara. You may kindly confirm your nomination by returning the attached Reply Form, duly filled-in. Kindly ensure that the delegate fee is received prior to the workshop. Also note that the workshop is designed for a maximum of 35 delegates, so that there can be greater one to one discussion. The registration is on first-come-first-serve basis. Prior registration is a must and there will be no spot-registration.

I am writing to request you to take advantage of the workshop by nominating representatives from your organization. I am sure that your participation and that of your colleagues would surely be of great benefit.

Look forward to receiving your positive response.
Yours Sincerely,

Dibyajyoti Bhuyan
Head, Vadodara Zonal Office
Encl: a) Program Agenda
b) Reply Form
c) Note on EMC

For Registration and further details, contact:

Dhanya Pillai
Executive
Confederation of Indian Industry
201-203, Abhishek Complex
Akshar Chowk, Old Padra Road
Vadodara- 390 020Phone: 0265-6532016 / 17Fax: 0265- 2327108

Friday, November 6, 2009

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નૂતનવર્ષ સાઇબર સ્નેહમિલન








મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નૂતનવર્ષ સાઇબર સ્નેહમિલન

Agency, Gandhinagar
Friday, November 06, 2009 18:49 [IST]

ગુજરાતના સુવર્ણજ્યંતિ અવસરે પ્રજાકીય પુરૂષાર્થની પરાકાષ્ઠા સર્જવા સમાજશકિતને પ્રેરક આહ્‍વાન કરતા નરેન્દ્ર મોદીસમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર છે એટલો સંતોષ માની લેવાનું ગુજરાતીના સ્વભાવમાં નથી...એકેએક નાગરિક ગુજરાતની પ્રગતિ માટે સંકલ્પનું એક ડગલું પ્રતિદિન આગળ માંડે...



ગુજરાતની સમાજ-ઊર્જા જ હરેક ક્ષેત્રમાં વિકાસના આંદોલનનું નેતૃત્વ જાગર કરેહિન્દુસ્તાનના જાહેરજીવનમાં ગુજરાત રાજ્યની સુવર્ણજ્યંતિનો અવસર ઐતિહાસિક મિશાલ બનશેગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ, વિડિયો કોન્ફરન્સ માધ્યમથી નૂતનવર્ષ સાઇબર સ્નેહમિલનનો નવતર ઉપક્રમ યોજીને, ગુજરાતની સુવર્ણ જ્યંતિ-ર૦૧૦ના અવસરે પ્રજાકીય પુરૂષાર્થની પરાકાષ્ઠાની મિશાલ સર્જવાનું પ્રેરક આહ્વાન કર્યું હતું.



૧લી મે ર૦૧૦થી ગુજરાતની સુવર્ણ જ્યંતિની વાર્ષિક ઉજવણી શરૂ થવાની છે તે સમગ્ર હિન્દુસ્તાનમાં એક ઐતિહાસિક ધટના રૂપે સુવર્ણાક્ષરે નોંધાય તેવી સુનિશ્ચિત દિશાની રૂપરેખા તેમણે આપી હતી અને એકેએક નાગરિક ગુજરાતની પ્રગતિ માટે રોજ એક ડગલું આગળ ચાલવાનો સંકલ્પ કરે અને ગુજરાતની સમાજશકિતનું વિકાસના જનઆંદોલનનું સામર્થ્ય, દેશ અને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરે એવી અપીલ સાથે નવા વર્ષની શુભકામના તેમણે કોટી કોટી નાગરિકોને પાઠવી હતી.


ગુજરાતના બધા જ ર૬ જિલ્લાઓને આવરી લેતા સાઇબર ટેકનોલોજી નેટવર્કથી રાજ્યની ઇ-ગ્રામ પંચાયતો, શિક્ષણ સંકુલો, ઇ-ગવર્નન્સ કેન્દ્રોના મળીને એકંદરે ર૦,૦૦૦થી વધુ સાઇબર કનેકટીવિટી કેન્દ્રોમાં ઉપસ્થિત એકંદરે એક કરોડથી પણ અધિક નાગરિક જનસમૂદાય, જનપ્રતિનિધિઓ, પંચાયતો અને સ્થાનિક સ્વરાજની શહેરી નગરપાલિકાઓના પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંગઠ્ઠનો, પ્રબુદ્ધ નાગરિકો, માતૃ-નારી શકિત, યુવાવર્ગ અને વિઘાર્થી પેઢી, બાળકો સહિત સમાજના વિવિધ નાગરિકોએ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે સીધા સંવાદરૂપે નવા વર્ષની શુભેચ્છા સાથે, અભિનવ સંકલ્પસિદ્ધિઓના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.આ સાઇબર સ્નેહ મિલનમાં વરિષ્ઠ મંત્રીઓ સર્વ નરોત્તમભાઇ પટેલ, આનંદીબેન પટેલ, નીતિનભાઇ પટેલ, રમણભાઇ વોરા, મુખ્ય સચિવ ડી. રાજગોપાલન, પોલીસ મહાનિદેશક એસ. એસ. ખંડવાવાલા અને વરિષ્ઠ સચિવોએ હાજરી આપી હતી. ર૬ જિલ્લાઓમાંથી વિવિધ વર્ગોના સ્વર્ણિમ સંકલ્પસિદ્ધિ અને નવા સંકલ્પોના ઉત્સાહપ્રેરક પ્રતિભાવો આ સંવાદમાં પ્રાપ્ત થયા હતા.


છેલ્લા એક વર્ષથી સંકલ્પ જ્યોત યાત્રાના કારણે, ગુજરાતભરમાં સ્વર્ણિમ સંકલ્પમય વાતાવરણ બની ગયું છે તેને આવકારતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમાજશકિતના આ ભરોસાના આધારે, તેઓ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીને હિન્દુસ્તાનના જનજીવનની ઐતિહાસિક ધટનારૂપે, સાડાપાંચ કરોડ ગુજરાતીઓના સહિયારા પ્રજાકીય પુરૂષાર્થની પરાકાષ્ઠાનું દર્શન કરાવવા સંકલ્પબદ્ધ બન્યા છે.

"સમગ્ર દેશ કરતાં ગુજરાત આગળ છે, મોખરે છે એનાથી સંતોષ માની લેવાનો ગુજરાતીનો સ્વભાવ જ નથી ''રાજકીય આગેવાનો, વિભિન્ન રાજકીય વિચારધારાને વિસારે પાડીને કોટી-કોટી સામાન્ય નાગરિક જીવનમાં સંકલ્પ લઇને વાણી-વિચાર અને વ્યવહારનો સાક્ષાત્કાર કરાવે એમ તેમણે પ્રેરક અપીલમાં જણાવ્યું હતું.નવા વર્ષે ગુજરાતની વિકાસ ક્ષમતાનો વાવટો અવિરત ઉંચાઇ ઉપર ફરકતો રહે, જન-જનની આશા-આકાંક્ષાની પૂર્તિ થાય અને સમાજજીવનને સુખ, શાંતિ સુવિધાની અનુભૂતિ થાય એવી શુભેચ્છા સેટેલાઇટ ટેકનોલોજીથી નરેન્દ્રભાઇ મોદીએ પાઠવી હતી.


નૂતન વર્ષના નવા આયામોમાં શિક્ષણમાં સર્વસ્તરે ગુણવત્તા સુધારણા અને તે સંદર્ભમાં તા.૧ર-૧૩-૧૪ નવેમ્બરે યોજાનારા ગૂણોત્સવ અભિયાનમાં, માત્ર શિક્ષકો જ નહીં, સમગ્ર સમાજ, વાલીઓ અને ગુજરાતની આવતીકાલની ચિન્તા કરનારા સૌને પોતાનું યોગદાન આપવા તેમણે દર્દભરી અપીલ કરી હતી. ગુજરાતમાં શિક્ષણની ગુણાત્મક સુધારણાને માટે સમાજ પ્રેરિત થશે તો કલંક મિટાવતાં વાર નહીં લાગે. આપણો ભૂતકાળ ગમે તેવો વીત્યો હોય, ભવિષ્યના સામર્થ્યવાન ગુજરાત માટે, આપણે સમાજ-ઊર્જાને ઉજાગર કરીને, નાગરિક ધર્મના કર્તવ્યભાવનાની કેડી કંડારવી છે એમ તેમણે જણાવ્યું હતું.


મુખ્યમંત્રીએ ગુજરાતનું એકેએક ગામ નિર્મળ ગ્રામ બને તે માટે સરપંચોને નેતૃત્વ પુરૂં પાડવા, પ્રત્યેક ગામમાં કુપોષણથી પીડાતા ગરીબ પરિવારોની સગર્ભા માતા અને બાળકને પોષક આહારરૂપે સુખડીની અને દૂધની ગ્રામસમસ્ત જવાબદારીની મિશાલ ખડી કરવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.ગુજરાતની આર્થિક પ્રગતિને કારણે રોજગારી માટે સ્થળાંતરિત અન્ય રાજ્યોના નાગરિકો સહિત શહેરી શ્રમજીવી પરિવારો શહેરી ગરીબીના ખપ્પરમાં હોમાઇ જાય નહીં પરંતુ શહેરોની ઝૂંપડપટ્ટી તથા શહેરી ગરીબોના જીવનધોરણ ઉચું લાવનારી પાયાની સુવિધા-સુખાકારી માટે સંવેદનશીલ સંકલ્પોનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. નગરરચના નહીં પણ સમાજ સંરચના એ શહેરી વિકાસનું ધ્યેય છે તેમ તેમણે જણાવ્યું હતું.ગ્રામવિકાસમાં પર્યાવરણ અને હરિયાળા વૃક્ષોના સંવર્ધનને પ્રાથમિકતા આપવા તેમણે સરપંચોને આહવાન કર્યું હતું. ગ્રામવિકાસના છૂટાછવાયા પ્રયાસોને અને નવા આયામોને એકસૂત્રીય સામાજિક જનઅભિયાનની સુનિશ્ચિત દિશામાં પ્રેરિત કરવા સમાજનું યુવા નેતૃત્વ આગળ આવે તેના ઉપર મુખ્યમંત્રીએ ભાર મૂકયો હતો. ગુજરાતના એકેએક નગર-મહાનગર અને ગામે-ગામ સમાજજીવનમાં સ્વર્ણિમ સંકલ્પનું સાર્વત્રિક વાતાવરણ સર્જીને ગુજરાતની સુવર્ણ જ્યંતિનો અવસર ઉજવવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.


જિલ્લાઓના સ્વર્ણિમ સંકલ્પો અને અભિનવ આયામોને આવકારતાં મુખ્યમંત્રીએ ધર્મસંપ્રદાયો, મંદિર-ટ્રસ્ટો, ધાર્મિક સંતો-મહંતો અને ગાદીપતિઓ દ્વારા ચાલતા અન્નક્ષેત્ર-ભોજનાલય દ્વારા સમાજમાંથી કુપોષણની નાબૂદીને માટેનું નેતૃત્વ લેવાનું પ્રેરક સૂચન કર્યું હતું.મુખ્યમંત્રીએ ગુજરાતની યુનિવર્સિટીઓ, યુવાશકિત અને પ્રબુદ્ધ સંગઠ્ઠનોને ગુજરાતના સાંસ્કૃતિક વિરાસત સમા કલા, સાહિત્ય અને સંસ્કાર વૈભવનું સંવર્ધન કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પણ આપ્યું હતું અને રોટરી-લાયન્સ-જેસીસ-ચેમ્બર ઓફ કોમર્સના અભિયાનો શિક્ષણ અને સંસ્કારના ગૂણોત્સવ માટે પ્રેરક ઊર્જા પૂરી પાડે તેવી અભ્યર્થના વ્યકત કરી હતી.


ગુજરાતની સુવર્ણ જ્યંતિના વર્ષમાં રાજ્યની નવી પેઢી માટે જ્ઞાનશકિતની ઉપાસના સ્વરૂપે વિરાટ વાંચન અભિયાન, ખેલકૂદ ક્ષેત્રે યુવાકૌશલ્ય માટે ગુજરાત ઓલિમ્પીક-ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવાના નિર્ધારની રૂપરેખા તેમણે આપી હતી.પર્યાવરણ ક્ષેત્રે નગરો અને ગ્રામ પંચાયતોના તંત્રો દ્વારા "કચરામાંથી કંચન''ના પ્રોજેકટ હાથ ધરવા અને ધનકચરાને ધનકંચનમાં રૂપાંતરિત કરવાની જરૂર ઉપર તેમણે ભાર મૂકયો હતો.સમાજજીવનમાં પ્રજાકીય પુરૂષાર્થની પરાકાષ્ઠા માટે ગુજરાતમાં નેતૃત્વ પ્રત્યેક ક્ષેત્રમાં પ્રગટે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી.

Thursday, November 5, 2009

મળે તો ... - સુરેન્દ્ર કડિયા

મિત્રો,

આપની સમક્ષ ફરી એકવાર કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની એક ગઝલ પ્રસ્તુત કરી રહ્યો છું. આમ તો મારા આગ્રહને વશ થઈ તેઓએ અન્ય છ કવિતાઓ પણ ઉપલબ્ધ કરાવી છે, જેને આપના રસાસ્વાદ માટે ટૂંક સમયમાં જ આપની સામે પ્રસ્તુત કરીશ.

લ્યો, તો ચાલો માણો નવનીત સમર્પણ સામયિકના દીપોત્સવી અંકમાં પ્રકાશિત થયેલ તેમની એક ગઝલ ...

આપના મંતવ્યો કોમેન્ટ સ્વરૂપે આપ આ પોસ્ટની નીચે આપેલ લીંક દ્વારા મૂકી શકો છો. આપ તેમને આ ગઝલ વિશેના આપના મંતવ્યો સીધા તેમના ઈમેલ s.kadiya@sbi.co.in પર પણ જણાવી શકો છો.


મળે તો ...

થઈ જવું ચોધાર, અનરાધાર, એવું સ્થળ મળે તો
પથ્થરોની પાર, પેલી પાર, ટીપું જળ મળે તો.

ઝાડ અથવા પહાડ નહિ પણ છે તમન્ના કે ઉપાડું
એક કીડીના સ્વપનનો ભાર, થોડું બળ મળે તો.

આ નથી વરસાદ, ઉપનિષદ બધાં વરસી પડ્યાં છે
મર્મ નિતારી જુઓ, નિતાર જો નિર્મળ મળે તો.

એજ નાટક, એજ પડદો, એજ વૃક્ષો, એ નદી છે
રાહ જોઉં – ચીતરેલાં નીર ખળ-ખળ-ખળ મળે તો.

થઈ જશે નિર્ભ્રાંત ચૌદે ચૌદ ભુવન એક પળમાં
જો મળે ગેબી, ગહન ગુફા અને ઝળહળ મળે તો.

સુરેન્દ્ર કડિયા
નવનીત દીપોત્સવી, ઓક્ટો-09, પૃષ્ઠ-95.



(તેમની રચનાઓ મારા બ્લોગ માટે ઉપલબ્ધ કરાવવા માટે શ્રી સુરેન્દ્ર કડિયાનો હું ઋણી છું.)

Tuesday, October 27, 2009

Seminar on Business Opportunities in Industrial Automation

Seminar on Business Opportunities in Industrial Automation

Thursday, 12 November 2009;

0930 – 1330 Hrs;

GETRI Auditorium, Gotri, Vadodara


About the Seminar

Automation is playing an increasingly important role in the global economy by making manufacturing industry more competitive and cost effective. Global automation market is in the middle of a growth cycle with overall annual market growth of 10%. Industrial automation provides unique opportunity for new ventures given the rapid growth of the manufacturing sector in the country.

In the above backdrop, CII is organizing a half a day seminar on industrial automation along with ISA as the instititional partner with specific focus on comprehensive review of the value chain involved in automation industry, recent technology, market opportunities and the wider business possibilities available in the sector.

Key Expert Sessions

The seminar will help the participants understand the emerging business opportunities that automation provides in various industrial sectors with specific focus on manufacturing, process and service sectors. The seminar will also showcase successful businesses built by entrepreneurs in the field of industrial automation emphasizing the emergence of the sector as a sun rise sector.

We have invited successful entrepreneurs and professionals working in industrial automation sector to share their experiences and insights about the business opportunities as are coming up in the sector.

Audience Profile

· Entrepreneurs / Professionals working in established companies who are aware of the processes and products and looking for new business opportunities available in industrial automation.
· First generation entrepreneurs / students in engineering looking for start up ventures in the field of industrial automation.

Registration Details

CII/ ISA Members: Rs 750/- (including Service Tax) per person
Non Members: Rs 1000/- (including Service Tax) per person
Students: Rs 150/- (including Service Tax) per person

Please note that the Cheque /DD should be in the name of “Confederation of Indian Industry” payable at Vadodara. Kindly send your nominations through the attached reply form.

Look forward to your nominations.
Yours sincerely,


Madhukumar Mehta
Convenor
CII Gujarat Task Force on Techno-Entrepreneurship
-----------------------------------------------------------

For registration & further details, contact
-----------------------------------------------------------

Nida Faruqui

Executive

Confederation of Indian Industry

201-203, Abhishek Complex

Akshar Chowk, Old Padra Road

Vadodara- 390 020.

Phone: 0265- 6532016 / 17

TeleFax: 0265- 2327108

Forthcoming Events at Vadodara: • One Day Workshop on GST to be held on 26 November

Tuesday, October 20, 2009

એ..એ..એ.. બચી ગયો...

એ..એ..એ.. બચી ગયો...
Divya Bhasker - Agency, Perm
Tuesday, October 20, 2009 15:09 [IST]

રામ રાખે તેને કોણ ચાખે, રશિયાના પર્મ શહેરમાં વ્યસ્ત માર્ગ પર આવી જ અજબ ગજબની એક ઘટના ઘટી હતી. સિગ્નલ બંધ હતું, બધા વાહન ચાલકો સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. આ સમયે એક વ્યક્તિ ચાલીને માર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે બ્રેક થેઈલ થઈ ગયેલી એક બસ પુરપાટે આવી અન્ય વાહનોને હડફેટે લીધા હતા. જેમાં આ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.








Thursday, October 1, 2009

મારૂં ગુજરાત

માણો ગુજરાત વિશેના આ બીજા વિડીયોને ....


જીત્યું હંમેશા ગુજરાત

મલજીના બ્લોગ પરની મુલાકાતે મને આ વિડીયો જોવા મળી ગયો. આપ સર્વે મુલાકાતીઓ માટે અને ગુજરાતીઓ માટે ખાસ અહીં પ્રસ્તુત કરવાનું મન થઈ આવ્યું. તો આ વિડીયોને જરૂરથી માણશો ....


Wednesday, September 2, 2009








‘કૃષ્ણ માત્ર કલ્પના નથી’

Rajnambisan, Mumbai
Monday, August 31, 2009 03:34 [IST]

















૫૦૦૦ વર્ષથી પણ અગાઉ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો

હિન્દુ પૌરાણિક કથાઓમાં વિર્ણત ભગવાન કૃષ્ણ કોરી કલ્પના નહીં, પરંતુ વાસ્તવિક વ્યક્તિત્વ હતું . બ્રિટનમાં વસી રહેલા મૂળ ભારતીય સંશોધક ખગોળીય ઘટના , ભાષા અને દંતકથાઓનો આધાર લઇને ઉપર મુજબ દાવો કર્યો છે.

બ્રિટનમાં પરમાણુ ઔષધોના તબીબ ડો. મનીષ પંડિતે કહ્યું છે કે ‘ મને હંમેશાં લાગતું હતું કે કૃષ્ણ એક કાલ્પનિક પાત્ર છે, ટેનેસીની મેફિસ યુનિ.ના ફિઝિક્સના પ્રોફેસર ડો. નરહરિ અચર દ્વારા ૨૦૦૪-૦૫માં થયેલા સંશોધનની વિગતો વાંચતા આશ્ચર્ય થયું.

ડો. અચરે ખગોળવિજ્ઞાનની મદદથી મહાભારતકાળની વિગત મેળવી છે. ત્યારબાદ મેં તારામંડળ સોફ્ટવેરની મદદથી અચરના સંશોધનોની ચકાસણી કરતાં તેમનાં તારણો સાચાં લાગ્યાં.

ડોકયુમેન્ટ્રીમાં આપ્યા પુરાવા

>>મહાભારતમાં આપવામાં આવેલા ૧૫૦ ખગોળીય વર્ણનોનો સંદર્ભ >>લુપ્ત થયેલી સરસ્વતીના પુરાવા
>>ગ્રીકના રાજા હેલિડોરસ દ્વારા કૃષ્ણ સન્માનિત થયાના પ્રાચીન પુરાવા
>>કૃષ્ણ-બલરામની તસવીરો ધરાવતા પૌરાણિક પુરાવા
>>પાણીમાં ડૂબેલી દ્વારકાની શોધ
>>દ્વારકામાં મળી મહોરો

કૃષ્ણ જન્મ : ઇ.સ.પૂર્વે ૩૧૧૨

પૂણેના ડો.પંડિતે પોતાની પ્રથમ દસ્તાવેજી ફિલ્મ ‘ કૃષ્ણ : હિસ્ટ્રી ઓર મિથ?’ માં જણાવ્યું છે કે કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતની લડાઇ ઇસ્વીસનપૂર્વે ૩૦૬૭માં થઇ હતી. તેમની ગણતરી મુજબ કૃષ્ણનો જન્મ ઇસ્વીસનપૂર્વે ૩૧૧૨માં થયો હતો. અર્થાત્ મહાભારત યુદ્ધ વખતે તેમની વય ૫૪-૫૫ વર્ષની હતી.

ખગોળ અને મહાભારત

ડો.પંડિતે કહ્યું હતું કે મહાભારતના વર્ણનમાં ૧૪૦થી વધુ ખગોળીય ઘટનાઓનું વર્ણન છે. આ ખગોળીય ઘટનાઓના વર્ણનના આધારે સંશોધન કરતાં મહાભારતકાળે આકાશ કેવું હતું તે આધારે નિષ્કર્ષ સુધી પહોંચ્યા છે કે ઇસ્વીસનપૂર્વે ૨૨ નવેમ્બર ૩૦૬૭ના રોજ મહાભારત યુદ્ધ શરૂ થયું હતું.

Sunday, August 30, 2009

સફળતા મેળવવા માટે ટીકાઓનો મક્કમતાથી સામનો કરો : શિવ ખેરા






સફળતા મેળવવા માટે ટીકાઓનો મક્કમતાથી સામનો કરો : શિવ ખેરા

સુરત, તા.૩૦

જીવનમાં સફળતા મેળવવા વ્યકિતએ ટીકાઓ વચ્ચે પણ ટકી રહી મક્કમતાથી આગળ વધવું જોઇએ- એમ વક્તા શિવ ખેરાએ એકશન, એટિટયુડ અને એકોમ્પ્લીશમેન્ટ વિષય પરના સેમિનારમાં જણાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ તથા ઓરા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘યુ કેન વીન, એકશન, એટિટયુડ એન્ડ એકોમ્પ્લીશમેન્ટ ‘ વિષય પર સરદાર સ્મૃતિ ભવન ખાતે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર શિવ ખેરાએ સફળતાના મંત્રો તથા વિવિધ બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જીવનમાં કન્સ્ટ્રક્ટિવ ક્રિટીસીઝમની આવશ્યકતા દર્શાવી હતી. જે અંગે જણાવ્યું હતું કે વ્યકિતએ જીવનમાં ટીકાની પરવા કરવી જોઇએ નહિ. ટીકા બે પ્રકારની હોય છે. માણસને સુધારવા માટે વિવિધ સંજોગોમાં ઉપરી દ્વારા ટીકા કરવામાં આવતી હોય છે, પરંતુ ટીકા દવા જેવી છે, જેનો સપ્રમાણ ઉપયોગ થવો જોઇએ. વધુ ટીકા વ્યકિતના આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે. જયારે ઓછી ટીકા અસરકારક રહેતી નથી.

સારા કામોની પણ ટીકા થાય છે અને ખરાબ કામોની પણ ટીકા થાય છે. સામાન્ય રીતે નાસીપાસ થવાથી વ્યકિતની નિણર્ય ક્ષમતા ઘટે છે. જે બાબતને કેન્દ્રમાં રાખી વ્યકિતએ ટીકાઓથી નાસીપાસ થવાના સ્થાને શાંત મન રાખી મક્કમતાથી આગળ ધપવું જોઇએ.

દરેકે પોતાનું લક્ષ્ય નક્કી કરી આગોતરા આયોજન સાથે આગળ વધવું જોઇએ. કોઇપણ પ્રકારની હાર કે પછડાટથી નાસીપાસ થવાના સ્થાને છેવટ સુધી હાર માન્યા વિના આગળ ધપવાની જરૃર છે. વધુમાં તેમણે જણાવ્યંુ હતંુ કે, પેરેન્ટિંગ અને લીડરશિપ બે મહત્ત્વના ક્ષેત્રો છે. જેમાં વ્યકિતએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. પેરેન્ટિંગ અને લીડરશિપ બે ક્ષેત્રો કોઇ સ્પર્ધાના ક્ષેત્રો નથી.

વ્યકિતએ અત્યંત જવાબદારીપૂવર્ક આ ક્ષેત્રમાં ફરજ નિભાવવાની છે. પરિવાર તથા ઓફિસમાં શિસ્તના મૂલ્યોનું ઘણું મહત્ત્વ છે. સફળતા માટે પરિવારના દરેક સભ્યોમાં સારા મૂલ્યો તથા શિસ્તનું સિંચન થવું જરૃરી છે.

જીવનભર પોતાની જાતને જ છેતરી હોવાની કબૂલાત કરનાર ત્રણ ચોરના દ્રષ્ટાંત ટાંકી જણાવ્યું હતંુ કે જીવનના ક્ષેત્રોમાં પોતાના કામમાં દુર્લક્ષ સેવનાર તથા ઇમાનદારી અને પૂર્ણક્ષમતાના ઉપયોગ વિના કામ કરનાર વ્યકિત તેની જાત સાથે જ છેતરપિંડી કરે છે. આ પ્રકારની વ્યકિત સ્વયંને છેતરવા ઉપરાંત પરિવાર, દેશ સાથે પણ દ્રોહ કરી રહી છે.

કન્સ્ટ્રકિટવ ક્રિટીસીઝમની મહત્ત્વની ટીપ્સ

ટીકાની પરવા નહિ કરો
ટીકાઓમાંથી બોધ મેળવો, સ્પષ્ટ વાત કરો
વ્યકિતને નહિ તેની વર્તણૂક તથા ભૂલને ક્રિટીસાઇઝડ કરો
વ્યકિતની ટીકા કરવાથી આત્મસન્માનને ઠેસ પહોંચે છે, જે બાબતને કેન્દ્રમાં રાખી જે તે વ્યકિતની ભૂલના સંજોગોમાં વ્યકિતને જાહેરમાં કહેવાનું ટાળી અલગથી તેની ભૂલ સમજાવો
ભૂલ સુધારવા માટેના યોગ્ય ફાયદા દર્શાવો તથા ભૂલ નહિ સધારવાથી થનારા ગેરલાભ દર્શાવો
વ્યકિતને સુધારવા માટેની ટીકા ખપપૂરતી કરો અને તેની પાસેથી સમાધાન- ઉકેલ માગો
ટીકામાંથી બોધ મેળવો અને મક્કમતાથી આગળ વધો

Charity, for the sole

ભાવનગરનો એક નવયુવાન એન્જીનીયર યુવાધનને એક સાવ નિરાળો અને અનોખો રાહ ચીંધે છે ...

આ યુવાન વિશે મુંબઈના અનેક સમાચાર પત્રો અને સામયિકોમાં છપાયું છે ...

આ સમાચાર આપના સુધી પહોંચાડવા હું છેવટે મારી જાતને રોકી શક્યો નહિ ....








Charity, for the sole

By Priyanka Borpujari
Posted On Tuesday, August 11, 2009 at 07:17:15 PM


Nandan Pandya of Belapur distributes sandals among the poor people he sees barefoot at traffic signals or at railway stations


In a country where millions struggle for the bare necessities of food, clothing and shelter, a young engineering student, Nandan Pandya (in pic), is trying his best to meet the gap between the rich and the poor – by distributing footwear among those who do not have the financial capacity to purchase.

So, don't be surprised if, on any given day, you happen be in Navi Mumbai and see a young lad surrounded by street urchins. Pandya (21), who recently moved with his family from Kandivli to Belapur, is trying to understand his new neighbourhood better. Not by looking around for the nearest malls and cineplexes, but by looking for the spaces where poor people can be found in abundance — and small footwear shops.

The philanthropist in Nandan awoke one day in early 2008 when he noticed an old man near a temple at Kandivli walking barefoot. Upon enquiring why he didn’t wear any sandals to protect his feet, the man had replied that due to old age, his feet had expanded and he was unable to find cheap sandals for his large foot size anymore. A shaken yet determined Nandan bought a pair of slippers the next day and gave it to that man. Thus began the beginning of Nandan’s fascination with people’s feet.

“Then I would buy sandals randomly and would never have a plan about where would I being distributing them. I would give the sandals to whomever I would see was without any footwear. And Mumbai abounds with such kind of people; you will see them anywhere, from traffic signals to railway station platforms,” says the shy Nandan, who prefers to live and do his work in oblivion.

At the time, Nandan was studying at KJ Somaiya College in Sion and he had located the shops from where he could purchase sandals, at each station on his way from Kandivli to Sion. On any day, his notebooks would jostle for space with at least three pairs of average size rubber sandals in his bag, and he would spend Rs 800 a month buying them. Nandan is now extending his help around Belapur, as he tries to familiarise himself with the place.

“I feel it is necessary to buy sandals from the small shops so that they too can get a chance to earn. If I see someone without sandals at a particular place and I am not carrying the sandal of that size on that day, I buy it the next day and give it to them. When I am with my friends, I am no different and my friends have no qualms either,” says Nandan.

Nandan ensures to buy only rubber sandals as they are more durable, especially given Mumbai’s monsoon and flooding history. However, there have also been times where a person he remembers giving away a pair of sandals to was seen with no sandals the next day. But he shrugs it off, saying, “The poor cannot do much with a pair of sandals other than just passing it off to someone else. Of course, since the person to whom the sandal is being passed does not have a pair for himself or herself, I am fine in giving a pair of sandals twice to the same person.”

Just out of college, it comes as no surprise that Nandan is contemplating about starting an initiative with his friends, which will distribute food among the poor. All he needs is a push, some help from corporates to fund his work, and the constant encouragement from his parents who are proud of their young son.

Wednesday, August 12, 2009

સ્વાઇન ફલૂ રોકવા કયું માસ્ક અસરકારક ?

સ્વાઇન ફલૂ રોકવા કયું માસ્ક અસરકારક ?
Bhaskar News, AhmedabadWednesday, August 12, 2009 02:37 [IST]

ગુજરાતમાં સ્વાઇન ફલૂનો ખોફ ચારે તરફ ફેલાયો છે. લોકોએ બજારમાં માસ્ક ખરીદવા રીતસર દોટ મૂકી છે, પરંતુ કયાં માસ્ક સ્વાઇન ફલૂને રોકે છે તે અંગે તબીબો સાથેની વાતચીત બાદ મેળવેલી માહિતી અત્રે પ્રસ્તુત છે.
ફેસ માસ્ક

સર્જીકલ ડેન્ટલ, મેડિકલ, પ્રોસજિર, આઇસોલેશન અને લેઝર માસ્ક તરીકે ઓળખાય છે.

ફાયદા

૧) આ માસ્ક તેને પહેરનાર વ્યક્તિના મોંઢામાંથી થૂંક બહાર ઊડતું અટકાવે છે.
૨) સ્પ્રે અથવા તો પાણીની છાલકને મોં-નાક સુધી પહોંચતી રોકે છે.

ગેરફાયદા

૧.ફેસ માસ્ક અત્યંત નાની રજકણોને શ્વાસમાં જતી અટકાવી શકતા નથી તેથી માસ્ક પહેરનારાનું પૂરેપુરું રક્ષણ થઈ શકતું નથી.

બજારમાં મળતા માસ્કની કિંમત

N૯૫ રૂ.૫૦, N૯૦૦૪ રૂ.૨૫, સાદા માસ્ક રૂ.૧૦, સૌથી મોંઘા પી.એમ. માટેના માસ્ક રૂ.૨૫૦થી વધુના હોય છે

રેસ્પિરેટર

N૯૫ અથવા હાયર ફિલ્ટરીંગ ફેસ પીસ રેસ્પિરેટર તરીકે ઓળખાય છે. સૌથી અસરકારક સાબિત થતાં રેસ્પિરેટર વાઇરસથી ભરેલા રજકણો સામે રક્ષણ આપવા સક્ષમ છે.

ફાયદા

૧) આ માસ્ક પહેરનાર વ્યક્તિને શ્વાસમાં નાની રજકણોને (જેની ઉપર વાઇરસ હોઇ શકે છે) જતાં અટકાવે છે.
૨) ૦.૩ માઇક્રોન્સ અથવા એનાથી મોટી રજકણોને શ્વાસમાં પ્રવેશતું અટકાવતું હોવાથી ટ૯૫ માસ્ક લગભગ ૯૫ ટકા સુધી અસરકારક રહે છે.

ગેરફાયદા

૧. આ માસ્ક એક જ વાર વાપરીને ફેંકી દેવા પડે છે. જેના કારણે આ ખર્ચાળ છે.

એન-૯૫ માસ્ક ન હોય તો શું કરવું?

જીવલેણ બનેલા સ્વાઇન ફલૂ સામે રક્ષણ મેળવવા માટે એન-૯૫ માસ્કની ભારે માગ થતાં બજારમાંથી મળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સ્વાઇન ફલૂના ચેપને રોકવા તબીબો દ્વારા વૈકિલ્પક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. તેનો હાથવગા સાધન તરીકે ઉપયોગ કરી શકાય.

વૈકિલ્પક માસ્ક

એન-૯૫ માસ્ક ન મળે તો ઓપરેશન થિયેટરમાં ડોકટર પહેરે છે તે ઓ ટી માસ્ક પણ પહેરી શકાય છે. તેને રોજ સવારે ગરમ પાણીથી ધોઈને ઉપયોગ કરી શકાય છે.

ફાયદા

૧) સ્વચ્છ સુતરાઉ કાપડની ત્રણ ગડી કરવાથી એચ ૧ એન ૧ના સૂક્ષ્મ વાઇરસ તેમાંથી પ્રવેશી શકતા નથી તેથી વ્યક્તિને સુરક્ષા મળે છે.

ગેરફાયદા

૧) કાપડ ખેંચાવાથી તેના રેસા પહોળા થઈ જતા હોય છે ત્યારે વ્યક્તિને ૧૦૦ ટકા સુરક્ષા ન મળે તેનો ભય રહેલો હોય છે.
૨) કાપડ સ્વચ્છ ન હોય તો તે એચ ૧ એન ૧ વાઇરસને રોકવાને બદલે અન્ય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

સ્વાઇન ફલૂમાં ભય નહીં સતર્કતા જરૂરી

૧ ) એન્ટિબાયોટિક સાબુથી સતત હાથ ધોતા રહેવા. હાથ ઝડપથી ન ધોતાં પંદર સેકન્ડ જેટલો સમય લઈને વ્યવસ્થિત હાથ ધોવા.
૨ ) રોગપ્રતિકારક શકિતને ઉત્તમ સ્તરે રાખવા આઠ કલાકની પૂરતી ઊઘ લેવી જરૂરી છે.
૩ ) શરીરમાંથી ટોકસીન બહાર ફેંકાય તે માટે આઠથી દસ ગ્લાસ પાણી પીતા રહો. આથી સાઇનસના દર્દમાં રાહત રહેશે અને શરીરમાં મોઇશ્ચર જળવાશે.
૪) શરીર તાકતવર અને સ્ફૂર્તિલું રહે તે માટે આખા અનાજનો આહાર, લીલા શાકભાજી અને વિટામિનથી ભરપુર ફળોનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવો.
૫) સરકાર તરફથી આ મહામારીને નાથવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. તમે આ દરેક પગલાં અને ગાઇડલાઇનથી માહિતગાર રહો.
૬ ) સાધારણ કસરત પ્રતિકારક શકિતને વધારશે. બ્રિસ્ક વોકિંગ કે જોગિંગ જેવી કસરતો કરવી, જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે.
૭) કફ અને છીંકથી ફલૂના વાઇરસ હવામાં ઝડપથી ફેલાય છે. આ પ્રકારની તકલીફો ધરાવનારી વ્યક્તિઓના શારીરિક સંસર્ગથી દૂર રહેવું.
૮ ) તમને કફ કે તાવની ફરિયાદ જણાય તો તાત્કાલિક તમારા ડોકટરનો સંપર્ક કરો અને તેની તમામ સૂચનાઓને અનુસરો.
૯) વગર કામે ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. શ્રાવણ માસમાં ભરાતા મોટા મેળા અને મેળાવડાથી દૂર રહેવું.

બીમાર વ્યક્તિ ખાસ ઘ્યાન રાખે

૧) શકય હોય તો અસરગ્રસ્ત વ્યક્તિથી ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું.
૨) જો દર્દી બાળક હોય અને તેના સંપર્કમાં આવવું જરૂરી હોય તો ફેસ માસ્ક કે પછી એન ૯૫ માસ્ક પહેરીને જ તેના સંપર્કમાં રહેવું.
૩) એન ૯૫ કે પછી ફેસ માસ્ક મેડિકલ સ્ટોર પર કે બિલ્ડિંગ મટિરિયલ વેચતા હોય તેવી દુકાનોઐ સરળતાથી મળી રહે છે.
૪) શકય હોય તો ઐકવાર ઉપયોગમાં લેવાયેલા ફેસ માસ્ક કે પછી એન ૯૫ રેસ્પિરેટર ત્યજી નવાનો ઉપયોગ કરવો.
૫) ફેસ માસ્ક કે પછી એન -૯૫ રેસ્પિરેટરનો ઉપયોગ કર્યા બાદ હાથ સાબુથી બરાબર ધોઈ નાખવા. (આ પ્રકારે સાવચેતી રાખવા તબીબોએ જણાવ્યું છે)

વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ શું કહે છે

શ્રીકૃષ્ણજન્મની ઉજવણી માટે ઉત્સુક સેંકડો ભાવિક ભકતોની સુરક્ષા માટે ઇસ્કોન મંદિર દ્વારા જન્માષ્ટમીએ મંદિરને સ્વાઇન ફલૂ પ્રૂફ બનાવવાનો પ્રયત્ન કરાયો છે. જે અંતર્ગત આયુર્વેદિક ધૂપ ચિકિત્સા દ્વારા ધૂપથી ભકતોને આ રોગના વિષાણુ ન ફેલાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ઇસ્કોન-ગુજરાતના પ્રમુખ જશોમતીનંદનપ્રભુજીએ જણાવ્યું કે મંદિર પરિસરમાં આયુર્વેદિક ઔષધિઓનો ધૂપ કરવામાં આવશે. આ આયુર્વેદિક ઔષધિઓનો ધૂમ્ર ભકતોના શ્વાસમાં જઇ સ્વાઇન ફલૂના વાઇરસ સામે એક સુરક્ષા કવચ પૂરું પાડશે.જયારે આયુર્વેદિક ધૂપ અંગે આયુર્વેદાચાર્ય ડો.પ્રવીણભાઇ હિરપરાએ જણાવ્યું કે આ પ્રયોગ ખૂબ જ અકસીર છે.

આ ધૂપમાં તુલસીનાં સૂકાં પાંદડાં કે તેનો પાઉડર, લીમડાનાં સૂકાં પાન કે તેનો પાઉડર, ગૂગળ, લોબાન, ગાયનું ઘી અને ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં સ્વાઇન ફલૂ જેવી મહામારીને સંસ્કૃતમાં ‘જનપદોઘ્વંશ’ તરીકે ઓળખવામાં આવતી હતી.

ગાયનાં ઘીનું ટીપું નાકમાં લગાડી બહાર નીકળો

આયુર્વેદાચાર્ય ડો.પ્રવીણભાઇએ જણાવ્યું કે સ્વાઇન ફલૂથી બચવા માસ્ક પહેરવામાં આવે છે પરંતુ આયુર્વેદમાં બીજો એક અકસીર ઉપાય છે કે ગાયનાં ઘીનું ટીપું નાકમાં લગાડીને ઘરેથી બહાર જવામાં આવે. કેમકે ગાયનાં ઘીમાં ‘રક્ષોધ્ન’ નામનો ગુણ છે.

આ ગાયનું ઘી એક એવું કવચ પેદા કરે છે, જે કોષનું આવરણ એટલું શકિતશાળી બનાવે છે કે તેને વાઇરસ(વિષાણુ) ભેદી ન શકે. ઉપરાંત ગૌમૂત્ર અર્ક રોજ એક ચમચી લેવાથી પણ કોઇપણ પ્રકારનાં ફલૂને રોકવામાં મદદરૂપ બને છે.

‘કપાલભાતી’ શુદ્ધિ ક્રિયા સ્વાઇન ફલૂ સામે અકસીર

યોગમાં કરવામાં આવતી કપાલ ભાંતિની શુદ્ધિ ક્રિયા સ્વાઇન ફલૂના ઉપચાર માટે અકસીર ઇલાજ સાબિત થઇ શકે છે. આ ક્રિયા કમરથી સીધા બેસીને નાકમાંથી ઘર્ષણ અને અવાજ સાથે શ્વાસ બહાર ફેકવામાં આવે છે. રોજના લગભગ ૫૦૦ જેટલાં સ્ટ્રોક કરવાથી સ્વાઇન ફલૂનાં ઇન્ફેકશથી બચી શકાય છે.

જયારે આયુર્વેદમાં હળદર, સૂંઠ, ગળો, અરડુસી, લીડીં પીપર અને આમળા પાઉડર સરખા ભાગે મિકસ કરીને દરરોજ સવાર- સાંજ પાંચ ગ્રામ લેવાથી રોગ પ્રતિકારકશકિતમાં વધારો થાય છે, જેનાથી સ્વાઇન ફલૂનાં ચેપ સામે રક્ષણ મેળવી શકાય છે.

આઝાદીના એનેકડોટ્સ

આઝાદીના એનેકડોટ્સ
કાના બાંટવા
Wednesday, August 12, 2009 23:42 [IST]



ત્રણ દિવસ પછી આવનાર ઇન્ડિપેન્ડન્સ ડે ભારતનો કેટલામો સ્વાતંત્ર્યદિન છે. ત્યારે, ૧૯૪૭ની પંદરમી ઓગસ્ટની અડધી રાતે મળેલી આઝાદીની આજુબાજુ વણાયેલી કેટલીક ઘટનાઓના રસપ્રદ એનેકડોટ્સ...

હિન્દુસ્તાનને આઝાદ કરવા આડે માત્ર ૩૮ દિવસ બાકી હતા ત્યારે ઇંગ્લેન્ડથી સિરિલ રેડકિલફ નામના એક જજને હિન્દુ અને મુસ્લિમની વસ્તીના ધોરણે હિન્દુસ્તાનના ભાગલા પાડવા માટે મોકલવામાં આવ્યા હતા. રેડકિલફે તે વખતના વાઇસરોય હાઉસ અને આજના રાષ્ટ્રપતિ ભવનની પાછળના કવાર્ટરમાં બેસીને માત્ર ૯૦૦ કલાકમાં હિન્દુસ્તાનને ત્રણ ટુકડામાં વેતરી નાખ્યું હતું. મજાની વાત તો એ છે કે રેડકિલફનું ભારત વિશેનું જ્ઞાન ઝીરો હતું અને અગાઉ તેઓ હિન્દુસ્તાન આવ્યા નહોતા.


ભારત અને પાકિસ્તાન બંને બાખડતાં રહે તે રીતે નકશા ઉપર લાલ લીટીથી સરહદ દોરીને સિરિલ રેડકિલફે ભારત-પાકિસ્તાનની માત્ર ભૂગોળ જ નહોતી બદલી, ઇતિહાસ અને ભવિષ્ય પણ બદલી નાખ્યું હતું. પંજાબ પ્રાંતના બે ટુકડા જે રીતે કરવામાં આવ્યા તેને કારણે આઝાદી પછી લોહિયાળ હિજરત થઇ અને લગભગ ૨૦ લાખ જેટલા લોકોને મારી નાખવામાં આવ્યા. પૂર્વ અને પિશ્ચમ પાકિસ્તાનમાંથી કુલ પોણો કરોડ હિન્દુઓ અને શીખો ભારતમાં આવ્યા તેની સામે ૩૦ લાખ મુસ્લિમો ભારતમાંથી પાકિસ્તાન ગયા.


કત્લેઆમમાં પાકિસ્તાને કાળો કેર વર્તાવ્યો હોવા છતાં અને જાતિવાદના ધોરણે હિન્દુઓ અને શીખોને રીતસર હાંકી કાઢયા હોવા છતાં ૧૯૪૭ની ૩૦મી સપ્ટેમ્બરે જવાહરલાલ નહેરુએ ભાષણ કરતાં કહ્યું હતું કે વિદેશોના પ્રવાસો દ્વારા હું ત્યાંના લોકોના સંપર્કમાં રહી શકું છું. હવે હું વિદેશયાત્રાએ જઇ શકીશ નહીં કારણ કે ભારતનું નામ હિંસાના કાદવથી ખરડાયું છે, હવે હું વિદેશી લોકો સામે ચું મસ્તક રાખીને વાત કઇ રીતે કરી શકું?’ ભારતનો વડોપ્રધાન પોતે ઊઠીને હિંસા માટે ભારતને જવાબદાર ઠરાવે એ કેવું?


આ એ જ નહેરુ હતા જેમણે આઝાદ ભારતને ફરી ગુલામ બનાવતું એક પગલું લીધું હતું. બન્યું હતું એવું કે ભાગલા પછી ફાટી નીકળેલી હિંસાથી રઘવાયા થયેલા નહેરુએ સિમલામાં રજા ગાળી રહેલા વાઇસરોયને તરત પાછા ફરવાનો સંદેશો મોકલ્યો. માઉન્ટબેટને તે પછીની ઘટનાઓ અંગે લખ્યું છે. ‘આઝાદીના ત્રણ જ અઠવાડિયાં થયાં હતાં અને દિલ્હી પાછા ફરતાં જ નહેરુએ વિનંતી કરી કે પ્લીઝ, તમે દેશનો ચાર્જ સંભાળી લો,


તમે જેમ કહેશો તેમ અમે કરીશું.’ અને સ્થિતિને પહોંચી વળવા માટે બનાવાયેલી ઇમરજન્સી કમિટીના અઘ્યક્ષ તરીકેનો હોદ્દો લોર્ડ માઉન્ટબેટનને આપી દેવામાં આવ્યો. માઉન્ટબેટને તે અંગે નોંઘ્યું છે ‘વાઇસરોય તરીકે મને જે સત્તા નહોતી મળી એટલી સત્તા મને સોંપી દેવામાં આવી હતી’ અને એ જ માઉન્ટબેટને કાશ્મીરમાં લશ્કર મોકલવામાં મોડું કરાવ્યું હતું અને ભારતે કાશ્મીર ગુમાવ્યું હતું. સરદાર પટેલે કાશ્મીર અંગે ટકોર કરી ત્યારે માઉન્ટબેટને રોકડું પરખાવ્યું હતું કે ‘તમારે મને દેશ ચલાવવા દેવો છે કે નહીં?’


ભારતના ભાગલા તો મોહમ્મદ અલી ઝીણા અને અંગ્રેજૉની મરજી મુજબ ૧૯૪૭ની શરૂઆતમાં જ નક્કી થઇ ગયા હતા. અલગ પાકિસ્તાનનાં વિચારબીજ અને ‘સારે જહાં સે અરછા હિન્દોસ્તાં હમારા’ ગીત વરચે કોઇ સામ્ય તમને દેખાય છે, પ્રિય વાચક? ના? રીડરજી, આ સદાબહાર ક્રાંતિગીતના રચયિતા ઇકબાલે જ સૌ પ્રથમ વખત પાકિસ્તાન નામનો દેશ રચવાનું સૂચન ૧૯૩૦માં મુસ્લિમ લીગના અધિવેશનમાં કર્યું હતું. ત્યારે ઇકબાલ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. ઇકબાલનાં સપનાંને ઝીણાએ સાકાર કર્યું.


અંગ્રેજૉને ભાગલા ઉતાવળે પાડવામાં રસ હતો કારણ કે તો જ અંધાધૂંધી સર્જાય. ઝીણાને બીજી ઉતાવળ હતી. તેને ટીબી હતો અને પોતે હવે લાંબું જીવવાના નથી એ જાણી ગયા હતા. ભાગલા પહેલાં કેટલાક લોકોએ માઉન્ટ બેટનને કહ્યું હતું કે થોડા સમય રાહ જુઓ, આઝાદી મોડી આપશો તો વિભાજન રોકી શકાશે. ઝીણા જ નહીં હોય તો અલગ પાકિસ્તાનની માગણી નબળી પડી જશે પણ, માઉન્ટ બેટન અખંડ ભારત ઇરછતા જ નહોતા.


૩૧મી મે ૧૯૪૭ના રોજ ગાંધીજીએ પ્રાર્થનાસભાના ભાષણમાં કહ્યું હતું, ‘ભારત આખું ભડકે બળે તો પણ પાકિસ્તાનના સર્જનને મારી મંજૂરી નથી. મુસ્લિમો તલવારની અણીએ પાકિસ્તાન માગે તો પણ તેમને આપી શકાય નહીં.’ ભાગલા સામે ગાંધીજીનો વિરોધ હોવાને કારણે નહેરુ કે સરદાર તે મુદ્દે ગાંધીજી સાથે બહુ ચર્ચા નહોતા કરતા અને કોંગ્રેસ ઉપર એકચક્રી શાસન ચલાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીએ ભાષણમાં કહેવું પડયું,


‘કોંગ્રેસ જે નક્કી કરશે એ જ થવાનું છે. મારું કશું ચાલતું નથી. હું તો અરણ્યરુદન કરી રહ્યો છું. બધાએ મને તરછોડી દીધો છે.’ આ જ ગાંધીજી ભાગલા વખતે પૂર્વ સરહદે રહ્યા અને પિશ્ચમ સરહદ જેવી હિંસાને આ એકલો માણસ રોકી શકયો, ત્યારે લોર્ડ માઉન્ટબેટને કહ્યું હતું, ‘પૂર્વ સરહદે વન-મેન બાઉન્ડ્રી ફોર્સ છે, જેણે હિંસાને રોકી છે.’ આ વન-મેન બાઉન્ડ્રી ફોર્સનો એકમાત્ર સૈનિક એટલે મહાત્મા ગાંધી.


હવે વાચકને બીજો પ્રશ્ન: જે માણસે ભારતની આઝાદી માટે જીવતર ઘસી નાખ્યું હોય, આખો દેશ જેને સર્વમાન્ય એકમાત્ર નેતા માનતો હોય તે વ્યકિત ૧૫મી ઓગસ્ટે ભારતને આઝાદી મળી ત્યારે કયાં હોવો જોઇએ? દિલ્હીમાં સ્વાતંત્ર્યની ઉજવણીના માહોલમાં દેશવાસીઓ અને વિશ્વના અભિનંદન ઝીલતો હોવો જૉઇએ ને? મહાત્મા ગાંધી નામનો એ માણસ ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પિશ્ચમ બંગાળના એક નાનકડા ગામડામાંના એક ઝૂંપડામાં બેઠો હતો.


બીજી બાજુ મોહમ્મદ અલી ઝીણા હતા જેનું એકમાત્ર ઘ્યેય પાકિસ્તાનનું સર્જન કરવાનું હતું. આઝાદી પછી ભારતના વિદેશ પ્રધાન બનેલા મોહમ્મદ કરીમ ચાગલાએ ભાગલા પહેલાં ઝીણાને કહ્યું હતું, તમે મુસ્લિમ બહુમતી વડે પાકિસ્તાન બનાવવા માગે છો પણ ઉત્તરપ્રદેશ વગેરે વિસ્તારોમાં મુસ્લિમો લઘુમતીમાં છે છતાં સંખ્યા ઘણી મોટી છે તેમનું શું થશે? ઝીણાએ જવાબ આપ્યો હતો કે તેઓ તેમનું ફોડી લેશે.


અત્યારે ભારતના વડાપ્રધાન અને વિપક્ષના નેતા બંનેએ ભાગલાની યાતનાઓ વેઠી છે. છતાં બંનેની વિચારસરણી એકદમ અલગ છે. ડૉ. મનમોહનસિંહનો પરિવાર લાહોરથી ભાગીને ભારત આવ્યો હતો. લાલકૃષ્ણ અડવાણી પહેરેલે કપડે ભારત પહોંચ્યાં હતા. અડવાણીએ ઝીણાને બિન સાંપ્રદાયિક ગણાવ્યા હતા ત્યારે શરૂ થયેલો વિવાદ આજે વર્ષોપછી પણ પૂરેપૂરો શમ્યો નથી, પણ ઝીણાની તરફેણમાં એટલું કહેવું પડે કે પાકિસ્તાનની બંધારણ સભાની પ્રથમ બેઠકમાં ઝીણાએ કહ્યું કે, ‘આજથી તમે મસ્જિદમાં કે મંદિરમાં કે ગમે તે ધર્મસ્થાનમાં જવા માટે મુકત છો. તમારા ધર્મ કે નાત-જાત સાથે પાકિસ્તાનની સરકારને કશું લાગતું વળગતું નથી.’ મજાની વાત એ છે કે ઝીણાના આ શબ્દો અત્યારે પાકિસ્તાનની સરકારે ઇતિહાસમાંથી કઢાવી નાખ્યા છે.


સારે જહાં સે અરછા હિન્દોસ્તાં હમારાના લેખક ઇકબાલને પાકિસ્તાને રાષ્ટ્રકવિનું બિરુદ આપ્યું અને લાહોર નજીકની તેની મઝાર પર બારેમાસ સંત્રીઓ એટેન્શનમાં ભા રહે છે. ભારતના રાષ્ટ્રગીતની પસંદગી કંઇ રીતે થઇ? જે ગીતે આખા ભારતને એકસૂત્રે બાંઘ્યું હતું તે ગીત તો વંદે માતરમ્ હતું. આઝાદીનું આ અનઓફિશિયલ રાષ્ટ્રગીત હતું. છતાં, માતૃવંદનાના નામે મુસ્લિમોએ તેનો વિરોધ કર્યોઅને પહેલેથી જ મુસ્લિમ આળપંપાળના વાઇરસ જેમના લોહીમાં છે એવી ભારતીય નેતાગીરીએ ઇંગ્લેન્ડના રાજા પંચમ જયોર્જની ભાટાઇ માટે રવીન્દ્રનાથ ટાગોરે લખેલાં મહાકાવ્યમાંથી એક ટુકડો ઉપાડીને તેને રાષ્ટ્રગીત તરીકે પસંદ કર્યું.


આપણા જનગણ મન... રાષ્ટ્રગીતમાં ભારત ભાગ્ય વિધાતા... એવા શબ્દો છે એ ભારત ભાગ્ય વિધાતા એટલે કોણ? ઇંગ્લેન્ડનો રાજા પંચમ જયોર્જ જ. છતાં આપણે એ ગીતને રાષ્ટ્રગીત બનાવ્યું જયારે પાકિસ્તાને શું કર્યું જાણો છો? ઇકબાલે પાકિસ્તાનની રચનાની પ્રથમ ઇંટ મૂકી હોવા છતાં તેના ગીતમાં હિન્દુ હૈ હમ શબ્દ હોવાના એકમાત્ર કારણસર પાકિસ્તાને તેને રિજેકટ કર્યું, ઇકબાલે પોતે છઠ્ઠી પંકિતમાં હિન્દુ હૈ હમને બદલીને ‘મુસ્લિમ હૈ હમ, વતન હૈ પાકિસ્તાન’ એવો સુધારો સ્વહસ્તે કર્યો, છતાં એ જ ગીત જયારે કોંગ્રેસના અધિવેશનોમાં, આઝાદી પહેલાં ગવાતું ત્યારે કોંગ્રેસીઓ સાંપ્રદાયિક ગણાવાની બીકે હિન્દુ હૈ હમ ગાવાને બદલે હિન્દી હૈ હમ ગાતા હતા. આ ભારતીય માનસિકતા છે. છતાં, મારી પ્રિય આઝાદીને બાસઠમા વર્ષના આરંભે સો સો સલામ, એટેન્શન પ્લીઝ.

Monday, August 3, 2009

સર્જનાત્મક વિચારણાનું વિજ્ઞાન



સર્જનાત્મક વિચારણાનું વિજ્ઞાન
સાયન્સ અને ટેકનોલોજી

Written by GS News
Saturday, 25 July 2009




I think, therefore I am - Raine D'kart

ઈ.સ. ૧૫૫૬ની ૩૧મી માર્ચ... ફ્રાન્સના તૂરીન પ્રદેશનું લ-હાય નામનું નાનકડું ગામ કે જ્યાં એક અદ્ભૂત વ્યક્તિત્વ પોતાના નાનકડાં મગજમાં વિશિષ્ટ કોષો લઈને જન્મ લે છે. જેના ૨૫ વર્ષ બાદ તેના મુખમાંથી ઉપર લખેલા શબ્દો સરે છે. જર્મન ભાષામાં ‘કૉજીયે ઓર્ગો સમ’ એમ ઉચ્ચારાયેલા આ શબ્દોનો અર્થ છે, ‘હું વિચારું છું, તેથી હું છું’ આ મહાન વ્યક્તિત્વ એટલે ફિલસુફી, ખગોળ અને ગણિતશાસ્ત્રની ત્રિવિધ આંતરશક્તિ ધરાવનાર જર્મન ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ રૈને દ’કાર્ત.

આ મહાન ફિલસૂફનો જન્મ થયો ત્યારે જર્મનીમાં વેટીકનના ધર્મસંસ્થાનોનું અંધાઘૂંધ વર્ચસ્વ પ્રવર્તતું હતું. આ ધર્મસ્થાનોની જાણબહાર કંઇક પણ વિચારવું અને એ વિચારોને જાહેરમાં પ્રગટ કરવા એ ધર્મગુરૂઓનો વિદ્રોહ ગણાતો. એ સમયે ‘I think, therefore I am’ કહેનારન દ’કાર્તને વિચારક્રાન્તિનો પ્રણેતા જ કહેવો પડે.


દ’કાર્તે પોતાના જીવનમાં ‘સંશય’ને એક ઉમદા ગુણ તરીકે સ્વીકાર્યો હતો. તેણે પોતાના ‘ફિલસૂફીના સિદ્ધાંતો’ નામના પુસ્તકની પ્રસ્તાવના કરતાં લખ્યું છે કે ‘‘હું સ્વતંત્ર રીતે વિચારું છું, તેથી જ હું શંકા કરું છું, તેથી જ હું પ્રશ્નો કરું છું, તેથી જ હું, ઉત્તરનો સ્વીકાર કે અસ્વીકાર કરું છું અને તેથી જ મને લાગે છે કે હું છું.’’


દ’કાર્તના મતે એ જ માણસ ખરા અર્થમાં જીવિત ગણાય કે જે બીબાંઢાળ જીવન ન જીવે, પરંતુ પોતાની સમક્ષ આવતી દરેક બાબતને ‘સંશય’ની એરણ પર ચડાવે, તર્કના ચારણે ચાળે અને પછી જો તે ખરી લાગે તો જ તેને સ્વીકારે.


પૃથ્વી પર જન્મ લેનારું પ્રત્યેક બાળક સ્વભાવગત જિજ્ઞાસુ હોય છે. પોતાની જીવનયાત્રા દરમિયાન તેનામાં રહેલી કુદરતી નિરીક્ષણ શક્તિને કારણે તેના કુમળા માનસમાં અસંખ્ય પ્રશ્નો ઊઠે છે. જે સાક્ષાત ‘પ્રશ્નોપનિષદ’નું સ્વરૂપ ધારણ કરે છે. આ પ્રશ્નો તેના ‘અન્વેષક મન’ને કારણે ઉદ્ભવે છે, કુદરતી કુતુહલવૃત્તિને કારણે ઉદ્ભવે છે. ટૂંકમાં, દરેક બાળક એક સ્વયંભૂ ‘સંશોધક’ છે તેમ કહી શકાય.


બચપણમાં પોતાના તમામ પ્રશ્નોના ઉકેલ સ્વજનો અને અન્ય લોકો પાસેથી પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતું બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ ‘સ્વતંત્ર વિચારણા’ બાબતે પણ પોતાના ‘પગભર’ થાય તે ઇચ્છનીય જ નહીં પરંતુ અનિવાર્ય ગણાય.


વિચાર એ એક ઊર્જા છે. વિચાર સર્જનાત્મક પણ હોઈ શકે અને ખંડનાત્મક પણ હોઈ શકે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ખંડનાત્મક વિચારસરણીનું જોર વધી રહ્યું છે ત્યારે દેશના ભાવિ નાગરિકો એવા બાળકોને સર્જનાત્મક વિચારોની દુનિયામાં ‘વિચરતા’ કરવા એ પ્રવર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. હવે પ્રશ્ન એ થાય કે આ સર્જનાત્મક વિચારણા તેમનામાં વિકસાવવી શી રીતે?


તો આવો, વિચાર પ્રક્રિયાને જરા મનોવૈજ્ઞાનિક રીતે સમજવા પ્રયત્ન કરીએ...
મનુષ્ય સતત જે પ્રકારના સામાજિક પર્યાવરણમાં પોતાનું જીવન વ્યતિત કરતો હોય, તેના સતત સંપર્કમાં મનુષ્યને થતી કોઈપણ સંવેદના કે અનુભવ તેના માનસપટ પર કોઈક મનોવ્યાપાર જન્માવે છે, જે જ્ઞાનમાં પરિણમે છે. જેમ કે, પર્યાવરણના સંપર્કમાં ઠંડી કે ગરમીનો અનુભવ થતાં માણસે ઠંડી-ગરમીથી રક્ષણ મેળવવાના ઉપકરણો શોઘ્યા તે વિચારણાનું પરિણામ છે.


વિચારની પ્રક્રિયા દ્વારા વ્યક્તિના માનસપટ પર વ્યક્તિ, વસ્તુ કે ઘટનાનું એક માનસિક રૂપ ઊભું થાય છે. એ માટે જરૂરી નથી કે તે વસ્તુ, વ્યક્તિ કે ઘટનાનું અસ્તિત્ત્વ હોવું જ જોઈએ! જેમ કે, વિચાર તો ‘ઊડતી માછલી’નો પણ કરી શકાય અને ‘હવામાં તરતા માણસ’નો પણ કરી શકાય. જેને કારણે જ બાળકો માટેની ઍનીમેશન ફિલ્મોનો આવિષ્કાર થયો છે. ટૂંકમાં, પ્રત્યક્ષની ગેરહાજરીમાં પણ વ્યક્તિ, વસ્તુ કે ઘટનાના સંબંધમાં માનસપટ પર આકાર લેતી કાલ્પનિક પ્રતિમા એટલે વિચાર. માનવ બાળમાં વિચાર પ્રક્રિયા પ્રથમ મૂર્ત સ્વરૂપથી શરૂ થઈ, ધીમે ધીમે અમૂર્ત સ્વરૂપમાં થઈ નવી નવી શોધખોળો સુધી પહોંચી શકે છે. વૈજ્ઞાનિક ઢબે અપાતું વિચારશિક્ષણ માણસને કોઈ સમસ્યાના ઉકેલ માટે, પ્રસંગ કે ઘટના પાછળનું રહસ્ય જાણવા માટે તથા નવસર્જન કે આવિષ્કાર માટે ઉપયોગી નીવડે છે. વ્યક્તિ દિવસ દરમ્યાન નિરર્થક વિચારો તો ઘણાં કર્યા કરે છે.

પરંતુ બાળકોમાં નાનપણથી જ વિચારપ્રક્રિયા કોઈ ઘ્યેયના સંદર્ભમાં વિકસાવી શકાય તો જ સર્જનાત્મકતાને વેગ આપી શકાય. આ માટે બાળકોને પ્રત્યેક બાબત અંગે સંશય કે પ્રશ્ન ઉઠાવવાની તાલીમ આપવામાં આવે, વિચારવાની યોગ્ય દિશા, પ્રતીકો કે સંકેતો, પ્રતીમા સર્જન, સ્મૃતિ વગેરેની મદદ લેવામાં આવે તો બાળકમાં રહેલી મૂળભૂત સંશોધનવૃત્તિને પ્રોત્સાહન મળે અને એ દ્વારા તેની ગર્ભિત શક્તિઓને જરૂર બહાર લાવી શકાય.

પ્રતીકો અને સંકેતોને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ તો... શબ્દ સાંભળતાની સાથે જ જે તે ચીજવસ્તુના લક્ષણોની સ્મૃતિ આપણાં મનમાં ઊભી થાય છે. ઘણીવાર તે સાચી ન હોવા છતાં સાચી હોવાની અનુભૂતિ થાય છે. જેને ‘પ્રતિમા’ (ૈંસચયી) કહેવાય. જેમ કે, ‘પાંખોવાળો ઘોડો’ એમ વિચારતાની સાથે જ આપણાં મનમાં ‘પાંખોવાળા ઘોડા’ની પ્રતિમા રચાય છે. આ રીતે દરેક સંવેદના આપણા મનમાં એક વિશિષ્ટ ભાત ઉપસાવે છે.

આ થઈ ‘દ્રશ્ય પ્રતિમા’. અવાજ સાથે સંબંધિત પ્રતિમા એ ‘શ્રવણ પ્રતિમા’ છે. જેમ કે, પ્રિય વ્યક્તિના મૃત્યુ બાદ ક્યારેક તેના અવાજની ઝાંખી થાય છે. જે ‘શ્રવણ પ્રતિમા’ને કારણે છે. ‘પાંઉભાજી’ શબ્દના ઉચ્ચારણ સાથે ‘સ્વાદ પ્રતિમા’ રચાય છે, તો ‘ગુલાબનું ફૂલ’ બોલતાની સાથે જ ‘ગંધ પ્રતિમા’ માનસપટ પર ઉપસે છે.


વસ્તુની ગેરહાજરીમાં એ વસ્તુ વિશે આપણે સાંભળીએ ત્યારે જે તે વસ્તુની સ્મૃતિ પેદા કરી આપે તે ‘પ્રતીક’ કે ‘સંકેત’ છે. આવા સંકેતો, પ્રતીકો કે પ્રતીમાઓની મદદથી જ આપણા મનમાં અદ્રશ્ય મનોવ્યાપાર (વિચાર) ચાલ્યા કરે છે. હવે જો આ અદ્રશ્ય મનોવ્યાપારો નવા આકાર ધારણ કરી શકે, જુદી જુદી કાલ્પનિક પ્રતિમાઓ પર નવી વિચારણાના નવા સંબંધો ક્રમશઃ ગોઠવાતા રહે તો વ્યક્તિ નવસર્જન કે નવા આવિષ્કાર કરી શકે. જેમ કે, વારંવાર ટોસ્ટર સેન્ડવીચ બનાવતા બનાવતા બ્રેડની ગેરહાજરીમાં એક દિવસ ઠંડી રોટલીનો ઉપયોગ કરીને કોઈ ગૃહિણી ‘ચપાટી સેન્ડવીચ’નો આવિષ્કાર કરી બેસે તે સર્જનાત્મક વિચારણા છે.


આવી સર્જનાત્મકતા વિચારણા માટે જરૂરી છે, પૂર્વ અવલોકન, ચિંતન, અંતઃસ્ફૂરણા તથા સ્મૃતિ. જ્યારે વ્યક્તિ સમક્ષ કોઈ સમસ્યા ઉદ્ભવે ત્યારે ખૂબ ચિંતન કરી, તે પોતાની સ્મૃતિમાં રહેલી એક પછી એક અનુભવ પ્રતિમાઓને એકબીજા સાથે બંધબેસતી ગોઠવી અને અંતઃસ્ફૂરણા દ્વારા એક નવી ‘ભાવ પ્રતિમા’નું સર્જન કરે છે જે આવિષ્કાર કે નવી શોધ રૂપે પ્રગટ થાય છે.


આવી સર્જનાત્મક વિચારણા બાળકોમાં વિકસાવવા માટે ‘બ્રેઇન સ્ટોર્મિંગ’નો આઘુનિક ખ્યાલ ખૂબ ઉપયોગી થઈ શકે.


‘બ્રેઇન સ્ટોર્મિંગ’ એ અંગ્રેજી ભાષાનો સમાસ છે, જે ગુજરાતીમાં જેમનો તેમ સ્વીકારી લેવામાં આવ્યો છે.
માનવ મગજ કોઈપણ પરિસ્થિતિમાં મુખ્યત્વે બે રીતે વર્તે છે. એક, તે માહિતી ગ્રહણ કરે છે અને બીજું, તે પ્રત્યાઘાત આપે છે. માહિતી ગ્રહણ કરીને જાત સાથેના સંવાદથી ‘ચિંતન’ વિકસાવી શકાય જ્યારે પ્રત્યાઘાત દ્વારા અન્ય સાથેના સંવાદથી ઊભી થનાર વિવાદની શક્યતા દ્વારા મગજને વઘુ સતેજ બનાવી શકાય. અન્ય સાથેની તંદુરસ્ત ચર્ચા મગજને વઘુ સતેજ બનાવે છે અને આવું ઉત્તેજિત મગજ વઘુ ઉમદા વિચારો પેદા કરી શકે છે. કોઈ મુદ્દા પર સામુહિક ચર્ચા દરમિયાન સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થતાં એક કરતાં વઘુ ઉત્તેજિત મગજો અકલ્પનીય વિચારોને પ્રગટાવી શકે છે જેના ફળ સ્વરૂપે ચર્ચામાં સંલગ્ન પ્રત્યેક વ્યક્તિને નવો રાહ મળે છે. આ પ્રક્રિયા ‘બ્રેઇન સ્ટોર્મંિગ’ તરીકે ઓળખાય છે. ટૂંકમાં બ્રેઈન સ્ટોર્મંિગ એટલે ‘ચર્ચા અથવા પરિસંવાદ દ્વારા નિશ્ચિત મુદ્દા પર જુદા જુદા લોકોની બૌદ્ધિક શક્તિને કામે લગાડીને તે મુદ્દા અંગે શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત કરવા.’ જેવી રીતે ગામડાની નારી છાશમાંથી માખણ તારવવા માટે ઘમ્મર વલોણાને બે વિરૂદ્ધ દિશામાં ફેરવી છાશના કણેકણમાં તોફાન (સ્ટ્રોમ) પેદા કરી માખણ તારવે છે તેમ બ્રેઇન સ્ટોર્મંિગ દ્વારા માનવ મગજોમાં ‘વિચારોનું તોફાન’ પેદા કરી ‘સર્જનાત્મક વિચાર’ પેદા કરી શકાય છે.

સમાજમાં બાળકને ઉઠતા વિવિધ પ્રશ્નોનાં રેડીમેઇડ ઉત્તરો આપી દેવાને બદલે તેને ઉત્તરો જાતે શોધવા પ્રોત્સાહન આપવું ઇચ્છનીય છે. તે સમસ્યાનો અનુભવ કરે, તેને પ્રશ્નો ઉદ્ભવે, તેનો ઉકેલ શોધવા ખાંખાંખોળા શરૂ થાય, જવાબો શોધાય, જવાબમાં સંશય ઊભો થાય, ફરીથી વિચારણા શરૂ થાય, ઉકેલ મેળવાય... આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વડિલો મૂક પ્રેક્ષક ન બની રહે પરંતુ ‘દીવાદાંડી’ની ગરજ સારે તો ભવિષ્યમાં આપણે વિચારવાન નાગરિકો પામી શકીશું. એક શિક્ષક કે વાલી બહુ મોટી ક્રાન્તિના ખ્યાલો છોડી પોતાના વર્ગ કે ઘર પૂરતી વિચારક્રાન્તિ લાવી શકે, બાળકને વિચારતા શીખવી શકે, દ’કાર્તની માફક ‘સંશયાત્મા’ બનાવી શકે તો જરૂરથી શિક્ષણકર્મ મહાનતાને સ્પર્શી શકે. વર્ષો જૂના ગાઢ અંધકારને દૂર કરવા શું એક દીપક પૂરતો નથી?
અંતે... વર્જિલ નામના લેટિન કવિના શબ્દોમાં કહું તો...
We can, If we think that we can

Saturday, August 1, 2009

આજની નવી શોધ - ડાયાબીટીસના દર્દીઓ વાંચે અને વંચાવે (ડોક્ટરને ખાસ)




આજની નવી શોધ

ડાયાબીટીસના દર્દીઓ વાંચે અને વંચાવે (ડોક્ટરને ખાસ)

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોગના સ્માર્ટ ફુડ સેન્ટરના લીન્ડા ટપસેલ નામના પ્રોફેસરે અને એમની ટીમે એક નવી શોધ કરી છે કે... દરરોજ અખરોટ ખાનારા ડાયબીટીક ટાઈપ-બે (એટલે જેનો ડાયાબીટીસ વધુ રહેતો હોય પણ કેન્ટ્રોલમાં આવી શકે) દરદીનો ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહે છે.

પ્રોફેસર સંશોધકોની આ ટુકડીના કહેવા પ્રમાણે યોગ્ય પ્રકારની ચરબી ઉત્પન્ન કરનાર ખોરાકમાં અખરોટ ખાવાથી (વર્ષ-બે વર્ષ સુધી ખાધા પછી અસર થાય છે. તરત અસર ઇચ્છનાર ખત્તા ખાય છે.) ડાયાબીટીસને કન્ટ્રોલમાં રાખનાર ચરબી ઉત્પન્ન કરે છે. (શરીરને ચરબીની પણ જરૃર છે અને ગળપણની પણ)

વધુ પડતા વજનવાળા અને ઈન્સ્યુલીન નહીં લેનાર ડાયાબીટીસના ૫૦ દર્દીઓ પર આ પ્રયોગ કરવામાં આવ્યા પછી આ તારણ કાઢવામાં આવ્યું છે. સંશોધકોએ જોયું કે દરરોજ ૩૦ ગ્રામ અખરોટ ખાનારમાં સારા પ્રકારની ચરબીનું પ્રમાણ વધુ રહેવાથી એમનો ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહેતા હતો. આની અસર ત્રણ મહિનામાં દેખાવા લાગી હતી. એ સારી ચરબીના કારણે શરીરમાં ઈન્સ્યુલીનનું પ્રમાણ પણ વધવા લાગ્યું હતું.

આ સમાચાર 'યુરોપિયન જર્નલ ઓફ ક્લીનીકલ ન્યુરેશન'માં આવ્યા છે.

Friday, July 31, 2009

બ્રિટનમાં સુપરસ્ટોરો સામે આંદોલન શરૂ થઇ ગયું છે






ન્યુઝ ફોક્સ

બ્રિટનમાં સુપરસ્ટોરો સામે આંદોલન શરૂ થઇ ગયું છે

યુરોપના નાના દુકાનદારો અને ગ્રાહકો શોપિંગ મોલના કલ્ચરનો મુકાબલો કરવા સંગઠિત થયા છે

ભારતમાં કેન્દ્ર સરકારની મલ્ટીનેશનલ કંપનીઓને પ્રોત્સાહન આપવાની નીતિના પાપે શોપિંગ મોલ્સનું કલ્ચર ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે અત્યારે તો રિટેઇલ વેપારના ક્ષેત્રમાં સિંગલ બ્રાન્ડ મલ્ટીનેશનલ કંપનીઓને જ ૨૬ ટકા સુધીની ભાગીદારી કરીને ભારતમાં પોતાની દુકાનો ખોલવાની પરવાનગી આપી છે. ટૂંક સમયમાં આપણી કહેવાતી સરકાર તમામ મલ્ટીનેશનલ કંપનીઓને ભારતમાં રિટેઇલના વેપારમાં પગદંડો જમાવવાની છૂટ આપી દેશે તે નક્કી છે. અત્યારે બિગબાઝાર અને અદાણી જેવીકંપનીઓ સુપરમાર્કેટો ઊભી કરી રહી છે તે તો હકીકતમાં વોલ-માર્ટ અને ટેસ્કો જેવી મલ્ટીનેશનલ કંપનીઓ માટે ગ્રાઉન્ડ સાફ કરવાની ભૂમિકા ભજવી રહી છે.


રિટેઇલના ક્ષેત્રમાં જો ડાયરેકટ મલ્ટીનેશનલ કંપનીઓ મેદાનમાં આવી જાય તો તેમણે પ્રજાના અને છૂટક દુકાનદારોના ભારે રોષનો સામનો કરવો પડે. તેને બદલે આ કામ જો ભારતીય કંપનીઓ કરે તો એટલો વિરોધ ન થાય. અત્યારે પણ રિલાયન્સ અને ભારતી ટેલિકોમ જેવી કંપનીઓ મોટા પાયે રિટેઈલના ધંધામાં ઝંપલાવવાની તૈયારીઓ કરી રહી છે. તેની પાછળ પણ હકીકતમાં વોલ-માર્ટ વિગેરે મલ્ટીનેશનલ કંપનીઓનું પીઠબળ જ કામ કરી રહ્યું છે. હકીકતમાં મલ્ટીનેશનલ કંપનીઓ ભારતીય કંપનીઓને આગળ કરીને આપણી પ્રજામાં પગપેસારો કરી રહી છે. સાથે સાથે તેઓ પ્રધાનોના એન સરકારી અધિકારીઓના સ્તરે પણ ધૂસણખોરી કરીને પોતાને અનુકુળ આવે તે રીતે સરકારી નીતિઓમાં ફેરફારો કરાવી રહી છે. સ્વદેશી કંપનીઓ જેવી રિટેઇલના ધંધામાં સ્થિર થશે કે તરત જ આ મલ્ટીનેશનલ કંપનીઓ પહેલા તેમના પાર્ટનર તરીકે ગોઠવાઈ જશે અને પછી ટૂંક સમયમાં પોતે જ આલિશાન શોપિંગ મોલ્સના માલિક બની જશે.

બ્રિટનમાં આજે અનાજ અને કરિયાણાંનો ૭૫ ટકા જેટલો છૂટક વેપાર માત્ર ચાર જકંપનીઓના હાથમાં કેન્દ્રિત થયેલો છે, જેમાં પણ ટેસ્કો કંપની મોખરે છે. બ્રિટનના લાખો ખેડૂતો અને ખોરાક-ઉત્પાદકો જે માલનું ઉત્પાદન કરે છે એ તેમણે આ ચારમાંથી એક કંપનીને જ વેચવો પડે છે. આ બધા માલના ઉત્પાદન, પ્રોસેસિંગ, વિતરણ અને વેચાણ ઉપર આ ચાર જ કંપનીઓનો કાબૂ છે. બ્રિટનના ૯૦ ટકા નાગરિકોએ પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે આ ચાર કંપનીઓ અને તેમની નીતિરીતિઓ ઉપર આધાર રાખવો પડે છે. શું આ રીતે છૂટક વેપાર સંગઠિત થવાને કારણે અને તેના ઉપર ચાર જ કંપનીઓનો ઇજારો સ્થપાવાને કારણે વપરાશકારો, નાના વેપારીઓ અને બ્રિટનની જનતા સંતુષ્ટ છે ? ના ! આ કારણે જ બ્રિટનમાં સુપરસ્ટોર્સ સામે આંદોલન શરૂ થયું છે.

ઇ.સ. ૧૯૭૨માં યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીને ભારતીયોની અને ખાસ કરીને ગુજરાતી વેપારીઓની હકાલપટ્ટી કરી તે પછી આવા હજારો પરિવારો ભાગીને બ્રિટનમાં સ્થાયી થયા હતા અને તેમણે ઠેકઠેકાણે અનાજ, કરિયાણું, કટલરી, સ્ટેશનરી, ક્રોકરી, દવાઓ, પુસ્તકો, કોન્ફેક્ષનરી વિગેરેની દુકાનો શરૂ કરી હતી. પોતાના મહેનતુ સ્વભાવ, ઇમાનદારી અને વ્યક્તિગત ઉષ્માભર્યા સંબંધોના કારણે તેમણે બ્રિટીશરોનાં દિલ જીતી લીધાં હતાં.

બ્રિટનમાં આશરે ૩૦ વર્ષ અગાઉ સુપરસ્ટોર્સનો મેનિયા શરૂ થયો હતો. ગુજરાતી અને રાજસ્થાની દુકાનદારો ૨૪ કલાક પોતાની દુકાનો ચાલુ રાખીને ગ્રાહકોને સેવાઓ આપતા હતા. ટેસ્કો જેવી કંપનીઓએ પણ તેમની નકલ કરીને પોતાની સુપરબજારો ૨૪ કલાક ખુલ્લી રાખવા માંડી. આ જાયન્ટ કંપનીઓ પાસે જે મૂડીરોકાણ, મેનપાવર, નેટવર્ક અને સરકારી સંપર્કો હતા તેનો ભારતીય દુકાનદારો પાસે અભાવ હતો. આ રીતે ભારતીય દુકાનદારો સ્પર્ધામાં પાછળ પડતા ગયા. આ સુપરમાર્કેટોની નીતિ બહુ સ્પષ્ટ હોય છે કે તેઓ ઉત્પાદકો પાસેથી જથ્થાબંધ માલ ખૂબ સસ્તી કિંમતે ખરીદે છે અને ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ આપે છે. આ ડિસ્કાઉન્ટના લોભમાં ગ્રાહકો નાના દુકાનદારોને પડતાં મૂકીને સુપરમાર્કેટોમાં દોડે છે અને ઘૂમ ખરીદી કરે છે. આ રીતે ધંધાનું ટર્નઓવર વધી જતાં સુપરમાર્કેટના સંચાલકો ઉત્પાદકને વઘુ ને વઘુ દબાવે છે અને તેની પાસેથી વઘુમાં વઘુ સસ્તામાં માલ પડાવવાની કોશિષ કરે છે.

અમેરિકામાં વોલ-માર્ટ કંપનીની આ નીતિને કારણે અનેક ઉત્પાદકો પાયમાલ થઇ ગયા છે અને અનેકોને આપઘાત કરવાની ફરજ પડી છે. વળી વોલ-માર્ટ કંપની ઉપર તેના કર્મચારીઓનું શોષણ કરવા માટેના હજારો કેસો થયા છે. વોલ-માર્ટ કંપની દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ બાબતમાં એક ફિલ્મ પણ બની છે, જેનું નામ ‘ધ હાઈ કોસ્ટ ઓફ લો પ્રાઇસ’ એવું રાખવામાં આવ્યું છે. અમેરિકનોને વોલ-માર્ટના સસ્તા ભાવ ખૂબ મોંઘા પડે છે. હકીકતમાં અમેરિકામાં વધી રહેલી બેકારી માટે વોલ-માર્ટ કંપની પણ જવાબદાર છે. અમેરિકામાં મજૂરી ખૂબ મોંઘી હોવાથી વોલ-માર્ટ કંપની પોતાના માલનું ઉત્પાદન ચીન, ભારત અને બાંગલા દેશ જેવા ગરીબ દેશોમાં કરાવે છે, જેને કારણે હજારો અમેરિકનો બેકાર બને છે. આ કારણે હવે અમેરિકામાં પણ વોલ-માર્ટ કંપનીનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.

બ્રિટનના વપરાશકારો તરફથી જ હવે ટેસ્કો જેવી કંપનીઓનો વિરોધ થઇ રહ્યો છે. તેનું કારણ એ છેકે સ્થાનિક દુકાનો બંધ થયા પછી આ સુપરમાર્કેટો ગ્રાહકોનું પણ શોષણ કરી રહી છે. વળી તેઓ સ્થાનિક જરૂરિયાત મુજબ માલ રાખવામાં અને વ્યક્તિગત સેવાઓ આપવામાં સમજતા જ નથી. આ કારણે તેમના પ્રત્યેનો અસંતોષ વધી રહ્યો છે. લંડનના એક વિસ્તારમાં તો ‘સ્ટારબક’ નામની સુપરમાર્કેટ સામે રીતસરનું આંદોલન જ શરૂ કરવામાં આવ્યું હતું અને તેને પોતાની દુકાન બંધ કરવામાં ફરજ પાડવામાં આવી હતી. અત્યારે બ્રિટનમાં ૨૦૦ સ્થળોએ સુપરમાર્કેટોને બંધ કરાવવા આ રીતે આંદોલનો ચાલી રહ્યાં છે.

રિટેઇલિંગનો ધંધો કરતી મલ્ટીનેશનલ કંપીઓને યુરોપ અને અમેરિકા ઉપર પોતાનો પગદંડો જમાવી દીધા પછી હવે પોતાની નજર આફ્રિકા અને એશિયાખંડ ઉપર કેન્દ્રિત કરી છે. થાઈલેન્ડમાં બ્રિટનની ટેસ્કો કંપનીએ ૧૧૨ સુપરમાર્કેટો ખોલી કાઢી છે, જે ‘ટેસ્કો લોટસ’ તરીકે ઓળખાય છે. શાંગહાઈ જેવાં શહેરોમાં ટેસ્કો કંપનીએ ૧૪ સુપર માર્કેટો ખોલી કાઢી છે. હવે તેઓ ભારતના દરવાજા ખટખટાવી રહ્યા છે. મલ્ટીનેશનલ કંપનીઓના ભારે દબાણ હેઠળ કેન્દ્ર સરકારે રિટેઇલિંગના ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણને સૈઘ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. લાખો નાના દુકાનદારો પાસેથી ફંડફાળો એકઠો કરીને ચૂંટણી લડનારા અને જીતનારા આપણા સંસદસભ્યો લોકસભામાં ગયેલા વેપારીઓ એવું માનીને બેઠા છે કે આ મોટી કંપનીઓની સામે બાથ ભીડી શકાય જ નહીં પણ બ્રિટનનો અનુભવ સૂચવે છે કે જો પ્રજાના વિરાટ બળને જાગૃત કરવામાં આવે તો ગમે તેવી વિરાટ અને રાક્ષસી કંપનીએ પણ પીછેહઠ કરવી પડે છે. તે માટે પ્રજા સુધી સાચી માહિતી પહોંચે તે ખૂબ જરૂરી છે.

એક વખત એવું માનવામાં આવી રહ્યું હતું કે ફાસ્ટ ફૂડ વેચીને કરોડો લોકોના આરોગ્યની ખાનાખરાબી કરનારી મેકડોનાલ્ડસ કંપનીની આગેકૂચને કોઈ રોકી શકેતેમ નથી. એક સમય એવો હતો કે દુનિયાના કોઈ પણ ખૂણામાં દરરજો મેકડોનાલ્ડસની ચાર નવી શાખાઓ ખૂલતી હતી. તેમાં ‘સુપર સાઇઝ’ની નામની ફિલ્મે અને ‘ફાસ્ટ ફૂડ નેશન’ નામના પુસ્તકે મેકડોનાલ્ડસ સામે વિરોધનો એવો ઝંઝાવાત પેદા કર્યો છે કે આજે મેકડોનાલ્ડસના નફાનું માર્જિન સતત ઘટી રહ્યું છે. તાજેતરમાં સમાચાર આવ્યા છે કે મેકડોનાલ્ડસને તેની ૨૫ રેસ્ટોરાંઓ ખોટ ખાતી હોવાથી બંધ કરવાની ફરજ પડી છે.

તાજેતરમાં બ્રિટનમાં એક સર્વે કરવામાં આવ્યો ત્યારે ૧૩થી ૧૫ વર્ષની વયજૂથના માત્ર એક ટકા કિશોર-કિશોરીઓએ એવું કહ્યું હતું કે તેમનું ફેવરિટ ભોજન મેકડોનાલ્ડસની ડીશ છે. અગાઉ સાત ટકા ટીનએજરો આવી માન્યતા ધરાવતા હતા. પ્રસાર માઘ્યમો જો પોતાની ફરજ બરાબર બજાવે અને આવી કંપનીઓની અસલિયત પ્રજાની સામે લાવે તો ચોક્કસ પ્રજા પોતાની આદતો બદલવા તૈયાર હોય છે. તેનું જ્વલંત ઉદાહરણ કોક અને પેપ્સી જેવી કંપનીઓનાં ઝેરી પીણાંઓના વેચાણમાં સતત થઇ રહેલો ઘટાડો છે.

ભારતમાં પણ એક સમયે એવું માનવામાં આવતુંહતું કે કોકાકોલા અને પેપ્સીના સામ્રાજ્યને કોઈ પડકારી શકે નહીં. દિલ્હીની સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એનવાયર્નમેન્ટ નામની સંસ્થાના હેવાલને પગલે આ કંપનીઓને અત્યાર સુધીમાં અબજો રૂપિયાનું નુકસાન થઇ ગયું છે. તાજેતરમાં આ કંપનીઓએ બહાર પાડેલા વેચાણના આંકડાઓ મુજબ ગયાં વર્ષે આ કંપનીઓના વેચાણમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો હતો. આપણી પ્રજા કોક અને પેપ્સીને બદલે લસ્સી અને લીંબુ પાણી પીતી થઇ ગઇ છે.

તાજેતરમાં રામદેવ સ્વામીજીએ પણ કોક અને પેપ્સી જેવાં હાનિકારક પીણાંઓ સામે વૈચારિક ઝુંબેશ ચલાવી છે, તેને કારણે આ પીણાંઓના વેચાણ ઉપર વઘુ ફટકો પડ્યો છે.

આ અસર નાબૂદ કરવા આ કંપનીઓને પોતાના જાહેરખબરના બજેટમાં કરોડો રૂપિયાનો વધારો કરવાની ફરજ પડી છે. હજી પણ સચીન તેન્ડુલકર જેવા ક્રિકેટરો અને શાહરૂખખાન જેવા ફિલ્મસ્ટારો કરોડો રૂપિયાના મોહમાં આ હાનિકારક પીણાંઓની જાહેરખબરોમાં ચમકી યુવા પેઢીને ગુમરાહ બનાવવાનું બંધ કરે તો આ કંપનીઓને ભારતમાંથી ઉચાળા ભરવાની ફરજ પડે તે નક્કી છે.

Sunday, July 19, 2009

પહેલું સુખ તે સારું ભણ્યા









પહેલું સુખ તે સારું ભણ્યા

Gunvant Shah
Sunday, July 19, 2009 19:58 [IST]
જીવતર છે ત્યાં સુધી ભણતર છે. ભણતર એટલે જ ભોગ, યશ અને સુખ. આ વાત સદીઓ પહેલાં ભર્તહરિએ કરી હતી.

શિક્ષણ વધે તો ગરીબી ઘટે. શિક્ષણ વધે તો રોગ, અંધશ્રદ્ધા, છેતરપિંડી, રુશવતખોરી, દહેજ, ગુનાખોરી અને મારામારી ઘટે. શિક્ષણ વધે તો હુલ્લડ ન થાય, બ્લેકમેઇલ ન થાય અને આપઘાત ટળે.

શિક્ષણ મોઘું નથી પડતું, અજ્ઞાન મોઘું પડે છે. શિક્ષણ જાદુની લાકડી છે કે? હા, પણ એક શરત છે. શિક્ષણ ‘સારું’ હોવું જોઇએ. બાખડી ભેંસ પણ જીવે છે અને માણસ પણ જીવે છે, પરંતુ બંનેના જીવનમાં જે તફાવત પડી જાય તેનો જશ સારા શિક્ષણને ફાળે જાય છે. સુશિક્ષણમ્ દ્વારા સુજીવનમ્ અને સુજીવનમ્ને કારણે જ સુરાષ્ટ્રમ્! (યાદ રહે કે ‘સૌરાષ્ટ્ર’ શબ્દ મૂળે ‘સુરાષ્ટ્ર’ પરથી આવેલો છે.) આપણું કોણ સાંભળે? બાકી એકવીસમી સદીના નવા ધર્મનું નામ ‘શિક્ષણ’ છે.

ભાર વગરનું ભણતર! વાહ ભાઇ વાહ. ભાર શેનો રહે છે? જરા સોચો. ભારનું ખરું કારણ ભણતર નથી. ‘ઢ’ વિધાર્થી કદી પણ ભાર રાખતો નથી. ભારનું કારણ પરીક્ષા પણ નથી. પ્રત્યેક પરિવારમાં ભણતા કોઇ સંતાનનું પરિણામ આવે ત્યારે એના ટકા ઓછા હોય તો એની અખંડસૌભાગ્યવતી માતા, માસી, મામી, કાકી, ફોઇ, ભાભી, દાદી અને તેમના મૂર્ખ પતિદેવો જે ચર્ચા કરીને બાળકને પીંખે તેને કારણે ભાર (સ્ટ્રેસ) રહે છે.

આ બાળક ‘જેકપોટ’ બની રહે છે. કપિલ સબ્બિલ જેવા તેજસ્વી અને ઓજસ્વી માણસને માનવીય સંસાધન વિકાસનું ખાતું સોંપવામાં વડાપ્રધાને ભારે શાણપણ બતાવ્યું છે. અંદરની હકીકત એ છે કે કપિલજીને ડો.યશપાલ જેવા સમર્થ સલાહકાર મળ્યા છે. ડો.યશપાલ સાથે તીનમૂર્તિ ખાતે દિલ્હીમાં પૂરા ચાર દિવસ એક સેમિનારમાં જોડાવાનું બનેલું. તેઓ વિજ્ઞાની છે, રેશનલિસ્ટ છે અને વળી શિક્ષણમાં ભારતીય સંસ્કતિની સુગંધ જળવાય તેનો આગ્રહ રાખનારા છે. જે ફેરફારો સૂચવાયા છે તેમાં શુભ ઇરાદા અંગે શંકા રાખવા જેવું નથી. આ કોઇ પોલિટિકલ પ્રશ્ન નથી. ગુજરાત સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું તે ગમ્યું. અભિપ્રાય ભેદ કયાંય હોય તોય સહકાર ત્યજવામાં શાણપણ નથી. ભૂલ થશે તો સુધરશે. શિક્ષણ માટે થતો કોઇ પણ ખર્ચ વધારે ન ગણાવો જોઇએ. એ તો માનવીમાં થતું ઇન્વેસ્ટમેન્ટ છે.

શિક્ષણ વર્ગમાં પણ થાય અને વર્ગની બહાર પણ ચાલતું હોય છે. એક આધારહીન વાત કરું? આજથી પાંચેક હજાર વર્ષ પહેલાં દુર્યોધનને હાઇ બ્લડપ્રેશર રહેતું, પરંતુ એને લોહીનું દબાણ એટલે શું તેની ખબર જ ન હતી. તમે માનશો? ભીમને મલેરિયાને કારણે ટાઢિયો તાવ આવ્યો, પરંતુ ધર્મરાજ યુધિષ્ઠિરને ખબર જ ન હતી કે મરછરને કારણે ભીમને ટાઢ વાય છે. વડોદરામાં વહેલી સવારે રસ્તાની બાજુએ પંચમહાલથી આવેલા મજૂરો (મામાઓ) મરછરદાનીમાં સહકુટુંબ સૂતેલા હોય છે. શિક્ષણનો અનુબંધ પ્રકાશ સાથે છે. અંધારું સ્વભાવે ઠોકર ખવડાવનારું છે. પ્રકાશ થાય ત્યારે ઠોકર ગાયબ!

આપણી પરંપરામાં જ્ઞાન સાથે પ્રકાશ જોડાયો છે. ‘પ્રજજવલિતો જ્ઞાનમય પ્રદીપ:’. ભણેલી આદિવાસી કન્યાને વહેલી તકે મોબાઇલ ફોન પહોંચાડો. એના વલણમાં જે ક્રાંતિ આવશે તે જ એને શોષણમુકત કરશે. અમારા વડીલ કેળવણીકાર મુ.જે.પી.નાયક કહેતા કે ગામડાંમાં ‘કલ્ચર ઓફ સાઇલન્સ’ પ્રવર્તે છે. એ દૂર થાય તે હવે કેવળ સમયનો સવાલ છે. એ કામ કોઇ ગ્રામસેવક નહીં, પરંતુ નવી ટેકનોલોજી કરવાની છે. શિક્ષણ પહોંચે પછી સેવાની ઝાઝી જરૂર નહીં પડે.

પ્રાથમિક નિશાળના વર્ગો જયારે એરકન્ડિશન્ડ હશે ત્યારે ગરીબી ટકશે ખરી? શું આ કોઇ શેખચલ્લીનું સ્વપ્ન છે? જયારે એસી સૂર્યશકિતથી ચાલતું થશે ત્યારે એમ જ બનવાનું છે. ઊર્જાની અછત એ હવે એકાદ દાયકાનો પ્રશ્ન છે. અઢળક સૂર્યશકિતને જોતરવા માટેનાં સંશોધનો ચાલુ છે. શિયાળામાં સૂર્યદેવે ગરમ કરી રાખેલું પાણી મળતું થયું તેમ વર્ગખંડમાં ભરઉનાળે ઠંડક પહોંચવાની છે. કરછનાં ગામડાંમાં પદયાત્રા કરી ત્યારે ગામેગામ પાદર પર ભવ્ય કમાન જોવા મળતી.

સંતાનો માતપિતાની યાદમાં કમાન બંધાવીને તેના પર માતાપિતાનું નામ લખે. એ મૂર્ખજનોને કોણ કહે કે તમે તમારા પૈસા (કલાપીની ‘ગ્રામમાતા’ જેવી) નિશાળમાતાને અર્પણ કરો. નિશાળ ભવ્ય બને પછી ગામની લાઇબ્રેરીને ભવ્ય બનાવો. ‘ડિસ્કો’ શબ્દ મૂળે લેટિન શબ્દ છે, જેનો અર્થ છે : ‘હું શીખું છું.’ જીવતર છે ત્યાં સુધી ભણતર છે. ભણતર એટલે જ ભોગ, યશ અને સુખ. આ વાત સદીઓ પહેલાં ભર્તહરિએ કરી હતી. (વિધા ભોગકરી યશ: સુખકરી). સદીઓ વીતી પછી વીર નર્મદે એ જ વાત ફરીથી કરી અને કહ્યું :

હાંરે ભણવાથી ઘણું ઘણું જાણો
હાંરે ઉધમ અંતે યશ-સુખ માણો રે.
હાંરે નવાં મંદિરનું માન વધારો
હાંરે હોંસે હોંસે અભ્યાસ કરો સારો રે
ભણો ભણો રે ભણો ભણો!


ડો.યશપાલ નેશનલ કરિકયુલમ ફ્રેમવર્ક (ટઊઈ)ના ચાર મુખ્ય સૂત્રો ગણાવે છે : (૧) ગોખણપટ્ટી નહીં સમજણ મહત્ત્વની છે. (૨) શિક્ષણ આસપાસની દુનિયા સાથે જોડાયેલું હોવું જોઇએ. (૩) પ્રત્યેક બાળક પોતાનું ભણતર સરજે છે, એ પૂરું પાડવાનું નથી. (૪) બાળકો પરનો બોજો ભણતરને હાનિ પહોંચાડે છે. ડૉ.યશપાલ સાચું કહે છે : ‘ઉચ્ચ શિક્ષણ પૈસા રળનારી ફેકટરી બની ગયું છે અને એંજિનિયિંરગ તથા મેનેજમેન્ટનું શિક્ષણ આપતી સંસ્થાઓની સંખ્યા વધી છે, પરંતુ ગુણવત્તા વધી નથી.’ નિદાન સાવ સાચું છે, હવે કપિલ સબ્બિલે ઉપચાર પર ઘ્યાન આપવું જોઇએ. શ્રદ્ધા છોડવા જેવી નથી.

ઉચ્ચ શિક્ષણનો સંબંધ ‘પરસ્યૂટ ઑફ એકસેલન્સ’ સાથે રહેલો છે. કાકાસાહેબ કાલેલકરે વર્ષોપહેલાં કુલપતિ ઈશ્વરભાઇ પટેલને ‘એકસેલન્સ’ માટે ‘પારમિતા’ જેવો પર્યાય સૂચવ્યો હતો. જો પારમિતાની આરાધના ન થાય તો દેશ પાછળ રહી જાય. ભાર રાખ્યા વિના ભણી ખાનારા ૧૦૦માંથી ૮૦ વિધાર્થીઓ હોય છે, પરંતુ દેશનું ભાવિ, ભાર રાખનારા ૨૦ વિધાર્થીઓ પર અવલંબે છે. અમેરિકન વિધાર્થીઓ સુખાવળા (હેડોનિસ્ટ) બનતા રહ્યા છે તેથી જ આપણે ત્યાંથી તાણ વેઠીને અમેરિકા પહોંચેલા વિધાર્થીઓ જબરી ધાડ મારે છે. સ્વાનુભવે કહું છું કે અમેરિકાનું યૌવન પતનને તળિયે પહોંરયું છે. એ હવે વધારે નીચે જઇ શકે તેમ નથી. ડ્રગ, સેકસ અને શરાબનો અતિરેક ‘કલ્ચર ઓફ વાયોલન્સ’ ને જન્મ આપે છે.

ગુજરાત સરકારે ડૉ.કિરીટ જોશી જેવા અનુભવી વહીવટકાર, ચિંતક અને વિદ્વાનની સલાહ લેવાની શરૂઆત કરી તે યોગ્ય છે. જે કામ ડૉ.યશપાલ દિલ્હીમાં કરશે તે કામ કિરીટભાઇ ગુજરાતમાં કરી શકે તેમ છે. છેલ્લાં સાત વર્ષોમાં ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં જે ‘ઉચ્ચ કક્ષાનો’ ભ્રષ્ટાચાર પેઠો છે, તેનું વાસીદું વાળવાનું કામ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરશે તેવી આશા ફળી નથી. ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી.’ આ વિધાનના પૂર્વાર્ધ સાથે આખું ગુજરાત સહમત છે, પરંતુ એના ઉત્તરાર્ધ સાથે સહમત થવામાં નરેન્દ્ર મોદી એકલા છે. તેઓએ હવે શિક્ષણ માટે રોજ એક કલાક જુદો ફાળવ્યો રહ્યો. પહેલું સુખ તે સારું ભણ્યા!’

પાઘડીનો વળ છેડે

‘અમે જયારે અમેરિકામાં ઊછરતાં નાનડિયાં હતાં ત્યારે અમને કહેવામાં આવતું કે ડિનર વખતે શાકભાજી છાંડવાં નહીં. માતા અમને કહેતી કે ડિનર વખતે ભારતનાં ભૂખે મરતાં બાળકોનું સ્મરણ કરવું અને ખાવાનું એઠું છોડવું નહીં. આજે હવે હું મારાં બાળકોને કહું છું : ‘તમારું લેસન પૂરું કરો. ભારતનાં બાળકોનું સ્મરણ કરો. તમે જો તમારું લેસન બરાબર નહીં કરો તો તેઓ તમને ભૂખે મારશે.’-થોમસ ફ્રીડમેન(‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના પત્રકાર અને વિદેશનીતિના તજ્જ્ઞ)

Sunday, July 12, 2009

આર્ટ ઓફ લર્નિંગ







આર્ટ ઓફ લર્નિંગ

Shishir Ramawat
Tuesday, June 30, 2009
20:27 [IST]
સાભાર : અહા જિંદગી




જે શ્વાસ લે છે તે જીવિત છે અને જે શીખે છે તે જીવંત છે, માટે આજીવન જીવંત રહેવું હોય તો શીખવાની કળા શીખવી જ રહી. આ અતિઉપયોગી કળાનું એ-ટુ-ઝેડ પ્રસ્તુત છે.



લાંબોલચ બાયોડેટા ધરાવતો એક પ્રોફેશનલ કોર્પોરેટ કંપની જોઇન કરે છે. નવી ઓફિસ, નવા લોકો, નવા પરિચય. પાંત્રીસ-વર્ષનો આ યુવાન લાગે છે તો તરવરિયો, પણ પાંચ જ દિવસમાં એ ઓચિંતા કયાંક રફૂચક્કર થઇ જાય છે. કોઇને સૂચના નહીં, કોઇની પરવાનગી નહીં. પાંચમા દિવસે બપોરે એ લંચ માટે બહાર ગયો એ ગયો... પછી પાછો ફરકયો જ નહીં. પછી ન તો એણે સાદો ફોન કર્યોકે ન કોઇ ખુલાસો કર્યો.

એવું નહોતું કે એણે કશાયની ચોરી કરી હતી કે કોઇક નુકસાન કર્યું હતું. એ જોબ છોડીને જતો રહ્યો, બસ! આખરે એવું તે કયું કારણ હતું જેને લીધે એ જુવાનિયાએ આમ અચાનક અંતધાર્ન થઇ જવું પડયું? નવી ટેકનોલોજી શીખવાનો ડર! પોતાને તીસમારખા સમજતા આ પ્રોફેશનલને નવી જોબમાં નવી ટેકનોલોજી શીખવાની આવી એટલે કાંપી ઊઠયો હતો ને પછી પડકાર ઝીલી લેવાને બદલે નોકરી છોડીને નાસી ગયો હતો!

આ કહેવાતા સુશિક્ષિત યુવાનને તમે ‘અભણ’ કહી શકો, કેમ કે જાણીતા અમેરિકન વિચારક એિલ્વન ટોફલર કહે છે તેમ, એકવીસમી સદીમાં અભણ, એટલે જેને વાંચતા-લખતા આવડતું નથી એ નહીં, પણ એવી વ્યકિત જે લર્ન, રિ-લર્ન અને અન-લર્ન કરી શકતો નથી. અર્થાત્ જે માણસ નવું શીખી શકતો નથી, એક વાર શીખેલું ફરીથી શીખતો નથી અને બિનજરૂરી શીખેલું દિમાગમાંથી ભૂંસી શકતો નથી તેને આધુનિક જમાનાનો અંગૂઠાછાપ ગણવો!

‘માણસ જેટલી વધારે ખંત અને નિયમિતતાથી અભ્યાસ કરશે, એટલી ઝડપથી જે-તે વિષયના બેઝિક કન્સેપ્ટ્સ તે સમજી શકશે.’ ના, આ વાત દસમા-બારમા ધોરણના કોઇ ટયુટોરિયલમાં લખાયેલી નથી, પણ ભગવાન મનુએ હજારો વર્ષ પહેલાં ‘મનુસ્મૃતિ’માં આ પ્રમાણે કહ્યું છે! ઋગ્વેદમાં કહેવાયું છે: માણસ મનમાં એક ઘ્યેય વિચારી લે અને પછી તે દિશામાં કામ કરવા લાગે તો એ વહેલામોડું એને હાંસલ કરી જ લે છે. ઘ્યેયસિદ્ધિની આ યાત્રામાં એણે ખૂબ બધું શીખતા રહેવું પડે છે.

શીખવું એટલે માત્ર સ્કૂલ-કોલેજમાં ભણતા હોઇએ તેમ કલાસ રૂમમાં શીખવું, એમ નહીં. (બાય ધ વે, બારમું ધોરણ પાસ કરો છો ત્યાં સુધીમાં તમે સ્કૂલમાં ભણવામાં અંદાજે ૧૭,૦૦૦ કલાક ખર્ચી નાખ્યા હોય છે.) શીખવું એટલે જુદા જુદા પ્રકારની માહિતીના સમન્વય વડે નવું જ્ઞાન, વર્તણૂક, કૌશલ્યો, મૂલ્યો, પ્રાધાન્યો કે સમજણ હાંસલ કરવાં. માણસ અનાયાસે કે આયાસપૂર્વક શીખવાની પ્રક્રિયા આજીવન કરતો રહે છે.

નવજાત શિશુ પોતાના નાનકડા હાથમાં વસ્તુ પકડતા શીખે છે, થોડું મોટું થાય એટલે ભાખોડિયાંભેર ચાલતાં અને પછી બે પગે ચાલતાં શીખે છે. અૌપચારિક ભણતર પછી પણ માણસની શીખવાની પ્રક્રિયા અટકતી નથી. મૈત્રી, પ્રેમસંબંધ, સામાજિક વ્યવહારો, લગ્ન, ડિવોર્સ, નવી જોબ લેવી, પ્રમોશન લેવું, બીજા શહેરમાં રહેવા જવું, સ્વજનનું મૃત્યુ, નિવૃત્ત થવું... આ બધું જ આપણને કંઇને કંઇ શીખવતું રહે છે.

માણસના જીવનમાં જેટલી વધુ ઘટના બને એટલા શીખવાના મોકા એને વધારે મળે. સામાન્ય સંજોગોમાં પણ પુખ્ત વયના લોકો નવું નવું શીખવા પ્રેરાતા હોય છે. એનાં બે કારણો હોય છે. એક, એને નવું જ્ઞાન કે માહિતી મેળવવાની ઝંખના હોય છે અને બીજું, જે કૌશલ્યો તેની પાસે ઓલરેડી છે, તેને તે કોઇ પણ રીતે વ્યવહારમાં અપ્લાય કરવા માગતા હોય છે. નવું શીખતાં રહેવાથી માણસને આનંદ મળે છે, તે સંતોષ અનુભવે છે અને તેના આત્મસમ્માનને પણ પોષણ મળે છે.

માણસ માત્ર પોતાના અનુભવો પરથી નહીં, પણ બીજાના જીવનમાંથી પણ કશુંક શીખતો હોય છે. વિશાળ માનવસમુદાય, સમાજ કે રાષ્ટ્ર બીજા સમુદાયો, સમાજો કે રાષ્ટ્રો પાસેથી શીખતા હોય છે. આપણી ખુદની સંસ્કòતિ, પરંપરા અને ઇતિહાસબોધ આપણને ઘણું શીખવી દે છે. માણસ મૂળે કુતૂહલપ્રિય જીવ છે. નાનપણથી તેના મનમાં જાતજાતના સવાલો ઊછળકૂદ કરતા હોય છે, જેના જવાબો મેળવવા માટે તે નવું નવું શીખતો જાય છે.

માણસની કુતૂહલવૃત્તિ વૃદ્ધાવસ્થામાં ક્રમશ મંદ ભલે પડતી જાય, પણ એ સદંતર શૂન્ય કદાચ કયારેય બનતી નથી. માત્ર માણસો કે જનાવરો જ નહીં, મશીનો પણ શીખવાની પ્રક્રિયામાંથી પસાર થતાં હોય છે. યંત્રમાનવને કે કમ્પ્યુટરને નિશ્ચિત કામ માટે તૈયાર કરવા એનો અર્થ તેમને જે-તે ટાસ્ક શીખવવી એવો જ થયો ને!

શીખતા રહો

ધારો કે તમે લેખની શરૂઆતમાં વાત કરી એવા નહીં, પણ સારા પ્રોફેશનલ છો. તમારી કરીયર સરસ જઇ રહી છે. તમારા બોસ તમારા કામથી ખુશ છે. તમને ખુદને પણ એવું લાગે છે કે અમુકતમુક બાબતોમાં તમને હાઇ કલાસ ફાવટ આવી ગઇ છે. આ ‘હાઇ કલાસ ફાવટ’વાળી લાગણીમાં તમે સતત રમમાણ રહેતા હો તો ચેતવા જેવું છે. શકય છે કે તમારા કામમાં અચાનક એવું કશુંક ડેવલપમેન્ટ થાય કે તમારે કશુંક નવું શીખવું પડે.

તમને થાય કે ‘અરે, આ વસ્તુ તો મને અત્યાર સુધીમાં આવડી જવી જોઇતી હતી. હવે હું આ કયારે શીખવા બેસીશ? પણ જો મારે મારી કરીયરને મેન્ટેઇન કરવી હશે તો શીખ્યા વગર છૂટકો નથી.’ કોઇ પણ નવા કામને શીખવા માટેનો અભિગમ આવો તો ન જ હોવો જોઇએ. ‘આ વસ્તુ મને ઓલરેડી આવડવી જોઇતી હતી’ તેવું શું કામ માની લો છો? ના, એવું બિલકુલ જરૂરી નથી. તમે પ્રોફેશનલ લાઇફમાં આગળ વધતા જશો તેમ તેમ તમારે નવાં કામો, નવાં કૌશલ્યો, નવાં ટેકનોલોજિકલ ઉપકરણો શીખતાં રહેવું પડશે. વાસ્તવમાં, કશું નવું શીખવું જ ન પડે સ્થિતિ ખરાબ અને બોરિંગ ગણાય.

આપણે ક્યાંથી કેટલું શીખીએ છીએ? એક અભ્યાસ પ્રમાણે આપણે -

- વાંચીને ૧૦ ટકા શીખીએ છીએ.
- સાંભળીને ૨૦ ટકા શીખીએ છીએ.
- જોઇને ૩૦ ટકા સાંભળીએ છીએ.
- જોઇને અને સાંભળીને ૫૦ ટકા શીખીએ છીએ.
- ચર્ચા કરીને ૭૦ ટકા શીખીએ છીએ.
- અનુભવ કરીને ૮૦ ટકા શીખીએ છીએ.
- બીજાઓને શીખવીને ૯૫ ટકા શીખીએ છીએ.


એક વાતનો જવાબ આપો. તમે જે કોઇ ક્ષેત્રમાં હો, તમારા કામને વધારે અસરકારક બનાવે એવું આજકાલ તમે શું નવું શીખી રહ્યા છો? જો તમારો જવાબ ‘કંઇ નહી’ હશે તો એ સારી નિશાની નથી. યાદ રાખો, નવાં કૌશલ્યો શીખવા માટે તમે કયારેય મોડા નથી, પછી ભલે તમે કરીયરના કોઇ પણ તબક્કે હો. શિખાઉ હોવાની લાગણી સારી છે અને તે થોડા થોડા સમયાંતરે આવતી રહેવી જોઇએ.

નવું શીખવાની કોઇ ઉંમર નથી હોતી

માણસ ચાળીસ કે પચાસ વર્ષ વટાવે પછી ધીમે ધીમે તેને લાગવા માંડે છે કે એની યાદશકિત ઘટી રહી છે. ચશ્માં, ચાવી, પર્સ વગેરે કયાં મૂકયાં છે તે એ ભૂલવા લાગે છે. નવી બાબતો શીખવાની તેની ક્ષમતા પણ જાણે કે ઘટી જાય છે. કોઇ તો વળી એવા ડરથી પીડાવા લાગે છે કે કયાંક આ બધાં અલ્ઝાઇમર્સ (ભૂલવાની બીમારી)નાં પ્રારંભિક લક્ષણો તો નથી ને? (જો તમને પણ આવા વિચાર આવી જતા હોય તો સાંભળી લો કે આ રોગ બહુ ઓછા લોકોને લાગુ પડતો હોય છે.)

યાદ રાખવાની ક્ષમતા વ્યકિતએ-વ્યકિતએ બદલાતી હોય છે. કેટલાક માણસો સિત્તેર કે એંસી વર્ષ વટાવ્યા પછી પણ જુવાનિયાને શરમાવે તેવી યાદશકિત ધરાવતા હોય છે, જયારે કોઇ કોઇને ચાળીસીમાં જ તકલીફ પડવાની શરૂ થઇ જાય છે. મોટપણમાં સામાન્યપણે નવું જ્ઞાન મેળવવામાં કે નવી મેન્ટલ સ્કિલમાં પારંગત થવામાં સામાન્ય કરતાં વધારે સમય લાગે છે. તજજ્ઞો કહે છે કે પચાસ વર્ષ પૂરાં કરી ચૂકેલા અડધોઅડધ લોકોને એજ-રિલેટેડ મેમરી પ્રોબ્લેમ્સ થવા લાગતા હોય છે.

સારા સમાચાર એ છે કે મોટપણમાં યાદશકિત વધારવાના અને એ રીતે નવું શીખવાની ક્ષમતા વધારવાના ઘણા ઉપાયો છે. અલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયા (આ પણ સ્મૃતિ સંબંધિત બીમારી છે) વિશે થયેલાં સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે ક્રોસ વર્ડ પઝલ કે એના જેવી બીજી રમતો રમવાથી કે દિમાગને કસરત થાય એવાં નવાં કામ શીખવાથી સારું પરિણામ મળે છે.

માણસની શીખવાની પ્રક્રિયાના છેડા એજયુકેશનલ સાઇકોલોજી ઉપરાંત ન્યુરો સાઇકોલોજીને પણ સ્પર્શે છે. દિમાગ માટે ફિઝિકલ એકિટવિટી જરૂરી છે કારણ કે તેનાથી એનો કાર્ડિયોવસ્કયુલર ફ્લો (હૃદય દ્વારા ધકેલાતા લોહીનું વહેણ) જળવાઇ રહે છે. જુદાં જુદાં કામ કરવાથી દિમાગમાં જુદા જુદા વિસ્તારો સક્રિય બને છે, જે ઘણું મહત્ત્વનું છે. દિમાગને દોડાવતા રહેવું પડે એ વાત સાચી, પણ એક હદરેખા પછી દિમાગને તેની ‘ટેવ’ પડી જાય છે. આથી જ નવાં નવાં કામ શીખતાં રહેવું જરૂરી છે. નવું શીખીએ એટલે નવી માહિતી મળે છે;

દિમાગમાં પેદા થતો ડોપામાઇન નામનું રસાયણ નવી ઇમેજીસ, વિચારો અને અનુભવોને વધારે સારી રીતે રિસ્પોન્ડ કરે છે. એકની એક ઇન્ફર્મેશન વારંવાર મમળાવ્યા કરવાને બદલે દિમાગને ‘નવો ખોરાક’ મળે એટલે એની યાદ રાખવાની શકિત વધારે તીવ્ર બને. રોજેરોજ યા તો દર રવિવારે ક્રોસ વર્ડની આડી-ઊભી ચાવીઓ ભરવી એ સારી એકસરસાઇઝ છે. એનાથી નવા શબ્દો કે શબ્દપ્રયોગો શીખવા મળે છે.

આજકાલ સુડોકુની આંકડાબાજી પોપ્યુલર બની રહે છે. આ પણ સાચી કસરત છે. નવી ભાષા શીખો. નવું વાધ શીખો. આજની દોડધામવાળી જિંદગીમાં, અલબત્ત, આવું બધું કરવાનો સમય ન મળે તે સમજાય એવું છે, પણ એનો અર્થ એવો નથી કે કોશિશ ન કરવી! ઉંમરની સાથે શરીરનાં બીજાં અંગોની જેમ મગજના કોષો નિષ્ક્રિય થવા લાગે છે. મગજમાં ‘કોગ્નિટિવ રિઝર્વ’ હોય છે. જો માણસ નવું નવું શીખતો રહીને આ કોગ્નિટિવ રિઝર્વ ઊંચું રાખે તો ડિમેન્શિયા કે એ પ્રકારની બીજી બીમારી થવાની શકયતા ઘણી ઘટી જાય છે.

સામાન્યપણે નક્કર રીતે શીખેલી બાબતો કે સજજડ રીતે એકઠી કરેલી માહિતી આપણો સાથ છોડતી નથી. માણસ વૃદ્ધ થાય તો પણ વાંચવાનું, ગણિત ગણવાનું, રાંધવાનું, સ્કૂટર કે કાર ચલાવવાનું વગેરે ભૂલતો નથી. સામાન્યપણે આ બધાં કૌશલ્યો માણસ એંસીના દાયકામાં પહોંચે ત્યાં સુધી યથાવત્ રહેતાં હોય છે.

વયસ્ક વ્યકિતઓએ આટલી બાબતો ઘ્યાનમાં રાખવી:

- તમે નવી માહિતી મેળવી રહ્યા હો કે નવું શીખી રહ્યા હો ત્યારે પૂરેપૂરા એકાગ્ર રહેવું. તમે જે શીખી રહ્યા છો એનાં મહત્વ વિશે સભાન રહેવું. સમયની સામે તમે મેરયોર બન્યા છો, અનુભવસમૃદ્ધ બન્યા છો. તમે જે કંઇ વાંચી કે સાંભળી રહ્યા હો તેમાં નવા અર્થોજોડતા જાઓ. શા માટે? કારણ કે આપણે નવી વસ્તુઓના અર્થ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે નવી મેમરી ‘ક્રિયેટ’ કરતા હોઇએ છીએ. તમે એકઝેકટ શબ્દ ભૂલી જાઓ તો પણ તમે એ શબ્દ સંબંધિત વિગતોને યાદ કરી શકો અને સરવાળે આખી વાતનો સાર પામી શકો.

- એક સમયે એક જ કામ કરવું. વાંચતા બેઠા હો તો માત્ર વાંચવું, સાથે ખાવાપીવાનું કે ટીવી જોવાનું ન રાખો. લેકચર અટેન્ડ કરતા હો તો ડાયરીમાં ભેગાભેગી નોંધ પણ ટપકાવતા જવું. એક જ વસ્તુ વારંવાર રિફર કરવી. ઘોંઘાટ, ભીડ કે ચિંતા જેવી લાગણીને એક તરફ ધકેલી દેવી. આ રીતે તમારી માનસિક તીવ્રતા વધશે જે યાદશકિતને સુ¼ઢ બનાવવામાં મદદ કરશે.

- નવું શીખી રહ્યા હો એ દિવસોમાં ડાયરી અને પેન કાયમ સાથે રાખવા. વરચે ગમે ત્યારે એ વિષયને લગતાં જે કંઇ વિચાર આવે એ ટપકાવી લો. શીખેલાં નામો, આંકડા, વિગતો, શબ્દો એ બધું વરચે વરચે એમ જ લખતા રહો.

- પ્રેક્ટિસ કરવી તે માત્ર આધેડ અને વૃદ્ધો માટે જ નહીં, વીસ વર્ષના યુવાન માટે પણ મહત્ત્વનું છે, એ યાદ રાખો. રિયાઝ વગર કયારેય કોઇ પારંગત બનતું નથી. જાત પાસેથી અવાસ્તવિક અપેક્ષાઓ ન રાખો. જે કંઇ શીખ્યા છો તેનું સમયાંતરે રિવિઝન કરતા રહો, વ્યવહારમાં એ અજમાવતા રહો, બીજાઓ સાથે એની ચર્ચા કરતા રહો અને શકય હોય તો પોતે શીખેલું બીજાઓને શીખવો પણ ખરા. આ રીતે એક ટેવ પડતી જશે. એક વસ્તુ શીખી લીધા પછી બીજી વસ્તુ શીખો, પછી ત્રીજી...

હેપી લર્નિંગ...!

આપણે શીખીએ છીએ ત્યારે એક્ઝેકટલી શું થાય છે?

માણસના મગજની એક સૌથી રહસ્યમય અને એટલી જ રસપ્રદ બાબત છે એની શીખવાની અને જે કંઇ શીખેલું છે તેને યાદ રાખવાની ક્ષમતા. આ અંગે ઘણાં સંશોધનો થયાં છે, જેમાંથી અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીનો બ્રેઇન સાયન્સ પ્રોગ્રામ (બીએસપી) સૌથી વધારે સ્વીકાર્ય બન્યો છે.

બે નર્વ સેલ્સ યા તો બે જ્ઞાનતંતુ વરચેના સાંધાઓને સિનેપ્સીસ(સ્ન્ક્કઁaષ્ટસ્ન્ફૂસ્ન્) કહે છે. માહિતીનો સંગ્રહ તેમ જ આપ-લે કરવાનું કામ ઘણું કરીને આ સીનેપ્સીસમાં થતું હોય છે. સિનેપ્સીસ એની પાસેથી લેવામાં આવતા કામના આધારે પોતાની અસરકારકતા ઘટાડી કે વધારી શકે છે. આને સિનેપ્સીસ પ્લાસ્ટિસિટી કહે છે. શીખવાની પ્રક્રિયા અને સ્મૃતિનો સીધો સંબંધ સિનેપ્સીસ પ્લાસ્ટિસિટી સાથે છે.

નવી માહિતીના સંગ્રહ માટે યા તો ટકી રહેવા માટે સિનેપ્સીસને નવાં પ્રોટીનની જરૂર પડે. એમાંનાં ઘણા પ્રોટીન સિનેપ્સીસમાં એમઆરએનએ (એમ-રિબોઝ ન્યુકિલક એસિડ)ના ટ્રાન્સલેશન થકી પેદા થાય છે. હવે, આ નિર્માણ સેલ-બોડીમાં થાય છે અને પેલા સિનેપ્સીસ સેલ-બોડીથી દૂર હોય છે.

આથી ન્યુરોન પાસે એવા કોઇ રસ્તા હોવા જોઇએ, જેના થકી તે સિનેપ્સીસમાં થઇ રહેલી ગતિવિધિ અનુસાર એમઆરએનએના ટ્રાન્સલેશનને સક્રિય બનાવી શકે. આ પ્રકારના લોકલ ટ્રાન્સલેશનના નિયમન માટેના વિશિષ્ટ મોલેક્યુલર મિકેનિઝમને સાયટોપ્લાઝ્મીક પોલીએડીનાયલેશન કહે છે. આ ખૂબ જટિલ પ્રક્રિયા છે અને હજુય તેની સંપૂર્ણ સમજ મેળવવા માટેનાં સંશોધનો ચાલી રહ્યાં છે.

Friday, July 10, 2009



















પ્રાર્થના કઈ રીતે કામ કરે?

Shishir RamavatFriday, July 10, 2009 18:19 [IST]

ભગવાન ખુદ શ્રદ્ધાનો વિષય ગણાતા હોય ત્યારે ભગવાનને થતી પ્રાર્થનાની તાકાતને તર્ક કે વિજ્ઞાન વડે માપી શકાય ખરી? શ્રદ્ધા અને વિજ્ઞાન અમુક બિંદુએ એકબીજાને સ્પર્શ્યા ત્યારે કેવાં રસપ્રદ પરિણામો મળ્યાં?


‘મૈંતો ચલા ગયા થા... લૌટ આયા હૂં તો બસ, આપકી દુઆઓં સે!’
આમ તો આ અમિતાભ બરચનની ‘કૂલી’ ફિલ્મનો ડાયલોગ છે પણ એમાં એમના દિલની વાત પણ સમાયેલી છે. બહુ જાણીતી વાત છે કે ‘કૂલી’ ફિલ્મના શૂટિંગમાં એક ફાઇટ સિકવન્સ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આખા દેશની પ્રજાનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

એક તરફ મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી હતી અને બીજી તરફ લાખો ચાહકો તેઓ સાજાસારા થઇ જાય એ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી રહ્યા હતા. આખરે અમિતાભ પરથી જોખમ ટળ્યું અને જોતજાતાંમાં તેઓ હણહણતા અશ્વ જેવા થઇ ગયા.

અમિતાભે પછી તો પોતાના કેટલાય ઇન્ટરવ્યુઝમાં જીવનની આ નવી ઇનિંગ્સ માટે માત્ર મેડિકલ સાયન્સને જ નહીં, પણ તેમના ચાહકોએ કરેલી પ્રાર્થનાઓની શકિતને પણ કારણભૂત ગણાવી.

પ્રાર્થનાની શકિત

શું તમે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરો એટલે ઇશ્વર તેનો જવાબ આપે, તેવું બને? કહે છે ને કે ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે, શું એમને ભકિતનો આહાર મળે એટલે બદલામાં તેઓ ભકતને પણ તૃપ્ત કરે જ? આ આખી વાત આમ તો શ્રદ્ધાની છે.

સવાલ એ છે કે ભગવાનના અસ્તિત્વનો મુદ્દો સ્વયં શ્રદ્ધાની ધરી પર ઝૂલતો હોય ત્યારે ભગવાનને થતી પ્રાર્થનાના બળને તે વળી તર્ક વડે શી રીતે સમજાવી શકાય? પ્રાર્થનાની શકિતનો વિષય પણ સંપૂર્ણપણે શ્રદ્ધાની જ વાત છે અને તેને વિજ્ઞાનના પરિઘથી દૂર જ રાખવાનો હોય એવું તમે કહેવાના હો તો સાંભળી લો કે આ એવો વિષય છે.

જેમાં મેડિકલ સાયન્સને પણ ખૂબ રસ પડ્યો છે. પ્રાર્થના એટલે સાવ સાદી ભાષામાં, ઇશ્વર યા તો પરમશકિત સાથે થતું કમ્યુનિકેશન. હિંદુ ધર્મમાં પ્રાર્થના કીર્તન, ભજન, આરતી, મંત્ર જેવાં અનેક સ્વરૂપોમાં થાય છે. સંસ્કòત મંત્રોનું મૂળ આપણા વેદોમાં છે. વેદ ઇશ્વરીય વાણી છે અને તે અનાદિ ગણાય છે. મંત્રોમાં ઘ્વનિ અને સાચાં ઉરચારણનું ખૂબ મહત્ત્વ છે.

‘ઓમ્’નું મૂળ છેક સમગ્ર બ્રહ્માંડ રચાયું તે કાળખંડ સાથે જડાયેલું હોવાની માન્યતા છે. બાઇબલ કહે છે: ‘શરૂઆતમાં માત્ર શબ્દ હતો. આ શબ્દ ઇશ્વર પાસે હતો અને શબ્દ જ ઇશ્વર હતો.’ આધુનિક વેદિક ફિલોસોફરો બાઇબલના આ કથનનું અર્થઘટન કરતા કહે છે કે બાઇબલ ‘ઓમ્’ની જ વાત કરે છે. ઓમ્ સૌથી શકિતશાળી મંત્ર છે.

મંત્રોરચારણ હીલિંગ પાવર ધરાવે છે? રોજ સવારે પંદર મિનિટ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અનેક શ્રદ્ધાળુઓને શારીરિક તેમ આઘ્યાત્મિક સ્તરે ફાયદો થયો છે(અહીં ‘શ્રદ્ધાળુ’ શબ્દ નીચે કાલ્પનિક અન્ડરલાઇન કરો). આવાં ઘણાં દ્રષ્ટાંતો છે.

અંદાઝ અપના અપના

પ્રાર્થના કેટલી બધી રીતે થઇ શકે - ઊભા ઊભા, બેસીને, ઘૂંટણિયે પડીને, ભોંય પર સાષ્ટાંગ કરીને, ખુલ્લી આંખે, બંધ આંખે, હાથ જોડીને, અદબ વાળીને, હાથ. ઊંચા રાખીને, બીજાઓના હાથ પકડીને વગેરે. અમેરિકાના રેડ ઇન્ડિયન્સ નાચીને પ્રાર્થના કરે છે.

પ્રાર્થના ચોપડીમાંથી વાંચીને કરી શકાય, સ્મૃતિના આધારે કરી શકાય, એકદમ ઉત્સ્ફૂર્તપણે કરી શકાય, સંગીત સાથે કે સંગીત વગર કરી શકાય અને એક પણ શબ્દ બોલ્યા વગર સંપૂર્ણપણે મૌન જાળવીને પણ કરી શકાય. કબાલા તરીકે ઓળખાતા યહૂદી મિસ્ટિસીઝમના આરાધકો માને છે કે પ્રાર્થનાના એકએક અક્ષરનો નિશ્ચિત સ્પર્શ અને નિશ્ચિત અસર હોય છે.

પ્રાર્થનાથી આ બ્રહ્માંડની ગેબી શકિતઓ પર અચૂકપણે અસર થાય છે. બૌદ્ધધર્મીઓ માટે મેડિટેશન યા તો ઘ્યાન મુખ્ય છે. પ્રાર્થનાને તેઓ સેકન્ડરી, બહુ બહુ તો ઘ્યાન માટેની સપોર્ટિવ પ્રેકિટસ ગણે છે.

સ્તુતિ ઇશ્વરને, લાભ શરીરને

હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો. હબર્ટ બેન્સને ત્રીસ કરતાંય વધારે વર્ષોસુધી પ્રાર્થનાની શકિતનો અભ્યાસ કરવામાં ગાળ્યાં છે. ખાસ કરીને તેમણે મેડિટેશન-કે જેને પ્રાર્થનાનું બૌદ્ધ સ્વરૂપ કહી શકાય - તેના પર વિશેષ ભાર મૂક્યો. ‘મારે એ સમજવું હતું કે શરીર પર મનની શી અને કેવી અસર થાય છે.’

ડો. બેન્સન કહે છે, ‘તમે ગમે તે ધર્મ પાળતા હો, ગમે તે સ્વરૂપમાં પ્રાર્થના કરતા હો પણ આ બધામાં એક વાત કોમન છે. પ્રાર્થના કરવાથી તન-મન રિલેકસ થાય છે અને તેના લીધે માનસિક તાણ ઘટે છે, શરીર શાંત થાય છે તેમ જ હીલિંગ પ્રોસેસ (સાજા થવાની પ્રક્રિયા) ઝડપી બને છે. પ્રાર્થનામાં એક જ પ્રકારના શબ્દોનું કે ઘ્વનિનું વારેવારે પુનરાવર્તન થતું હોય છે. પ્રાર્થનાની હીલિંગ ઇફેકટ આ પુનરાવર્તન પ્રક્રિયામાં સમાયેલી છે.’

માણસ શાંત ચિત્તે પ્રાર્થના યા તો ઘ્યાન કરતો હોય ત્યારે તેનામાં થતા શારીરિક ફેરફાર ડો. બેન્સને એમઆરઆઇ બ્રેઇન સ્કેન દ્વારા નોંઘ્યા. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના સંશોધકો પણ આ વિષયમાં રિસર્ચ કરી રહ્યા હતા. બન્નેનાં તારણો પરથી મગજની સંકુલ ક્રિયા-પ્રક્રિયા વિશે જાણકારી મળી.

માણસ એકાગ્ર થઇને પ્રભુઘ્યાનમાં (યા તો બીજી કોઇ પણ બાબતમાં) વધુને વધુ ઊંડો ઊતરતો જાય એટલે મગજની પેરિયેટલ લોબ સર્કિટ્સ (perietal lobe circuits)માં તીવ્ર ગતિવિધિઓની શરૂઆત થઇ જાય. પોતાની જાત અને આસપાસની દુનિયા વરચે રહેલા ભેદને પારખવાનું કામ આ પેરિયેટલ લોબ સર્કિટ્સ કરે છે.

આ જ વખતે આત્મસભાનતા પેદા કરતા ફ્રન્ટલ અને ટેમ્પોરલ લોબ (frontal and temporal lobe) સર્કિટ્સ નિષ્ક્રિય બની જાય છે. પરિણામે માઇન્ડ અને બોડી વરચેના ભેદ ઓગળવા માંડે છે. દરમિયાન લિમ્બિક સિસ્ટમ સક્રિય થઇ જાય છે.

આ સિસ્ટમ રિલેકસેશનનું નિયમન કરે છે અને સરવાળે ઓટોનોમિક નર્વ્ઝ સિસ્ટમ, હૃદયના ધબકારા, બ્લડપ્રેશર વગેરે પર કંટ્રોલિંગ કરે છે. આ બધાનું પરિણામ એ આવે છે કે શરીર વધારે રિલેકસ્ડ ફીલ કરે છે, તેમ જ શરીરની ફિઝિયોલોજિકલ એકિટવિટી વધારે સુરેખ, વધારે સ્મૂધ બને છે.

તો શું આનો અર્થ એવો થયો કે આ પરમશકિત સાથે સંવાદ કરવાનો પ્રતાપ છે? શું આપણાં શરીર-મનની રચના જ એવી રીતે થઇ છે કે પ્રભુની પ્રાર્થના કરવાથી આપણા પર એની પોઝિટિવ અસર થાય? ‘વેલ, આ પ્રકારનું અર્થઘટન કરવું કે નહીં તે સૌની સંપૂર્ણપણે અંગત બાબત છે,’ ડો. બેન્સન કહે છે, ‘જો તમે ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હો તો આને પ્રભુની કૃપા સમજી લો. જો તમે નાસ્તિક હો તો આને દિમાગનો ખેલ ગણો.’

અમેરિકાની ડ્યુક યુનિવર્સિટી સાથે સંકળાયેલા મેડિસિન એન્ડ સકાયેટ્રી પ્રોફેસર ડો. હેરોલ્ડ કોઇંગ કહે છે કે પ્રાર્થના એટલે માત્ર અમુક શબ્દોનું એકધારું પુનરોરચારણ અને એનો ફિઝિયોલોજિકલ રિસ્પોન્સ, એટલું જ નહીં. કોઇંગે ‘હેન્ડબૂક ઓફ રિલિજન’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે પ્રાર્થનાની સ્વાસ્થ્ય પર થતી અસર વિશેના ૧૨૦૦ જેટલા કેસનું દસ્તાવેજીકરણ કર્યું છે.

આ સ્ટડી પરથી ફલિત થાય છે કે ધાર્મિક પ્રકૃતિ ધરાવતા માણસો પ્રમાણમાં વધારે સ્વસ્થ જીવન જીવે છે. ‘નાસ્તિકોની સરખામણીમાં આસ્તિકોમાં ધૂમ્રપાન કરનારા અને ઢીંચીને ડ્રાઇવ કરનારાનું પ્રમાણ ઓછું હોય છે.’ ડો. કોઇંગ કહે છે. ઇન ફેક્ટ ડયુક, ડાર્ટમાઉથ અને યેલ યુનિવર્સિટીઓના અભ્યાસ પ્રમાણે તો પ્રભુપ્રાર્થના કરતા લોકો નાસ્તિકોની તુલનામાં ઓછા બીમાર પડે છે! નીચેનાં તારણો ઇન્ટરેસ્ટિંગ છે:

- નિયમિત ચર્ચમાં જનારા લોકોની સરખામણીમાં કયારેય ન ગયેલા લોકો દવાખાનાભેગા થાય ત્યારે તેમણે સરેરાશ ત્રણગણું વધારે રહેવું પડે છે.
- નાસ્તિક લોકો હાર્ટ સર્જરી દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના ૧૪ ગણી વધારે હોય છે.
- ચર્ચમાં નિયમિત જનારાઓની સરખામણીમાં નાસ્તિક લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ લગભગ બમણું હોય છે.
- ઇઝરાયલમાં કાર્ડિયવિસ્કયુલર બીમારીઓ અને કેન્સરના લીધે મૃત્યુ પામેલાઓમાં ધાર્મિક લોકોનું પ્રમાણ ૪૦ ટકા જેટલું ઓછું હતું.કોઇંગ ઉમેરે છે, ‘ધાર્મિક લોકો પ્રમાણમાં ઓછા ડિપ્રેસ્ડ થાય છે. ડિપ્રેશન આવી પડે તો પણ તેઓ એમાંથી ઝડપથી બહાર આવી જાય છે.

તબિયત અને જીવનની ગુણવત્તા પર આ બાબતની ખૂબ અસર થતી હોય છે. જુઓ, કોઇ ડોકટર દર્દીને ટ્રીટમેન્ટ આપતી વખતે ધાર્મિક બનવાનું પ્રિસ્ક્રિપ્શન નહીં આપે. પેશન્ટને એમ ન કહી શકાય કે તમારે અઠવાડિયામાં બે વખત મંદિર કે મસ્જિદ કે ચર્ચમાં જવાનું.

હા, અમે ડોકટરો દર્દીની આઘ્યાત્મિક જરૂરિયાત શી છે તે જરૂર જાણી શકીએ અને તે પ્રમાણે એને વાંચવાની ચોપડીઓ વગેરે આપી શકીએ.’ ડ્યુક યુનિવર્સિટી સાથે સંકળાયેલા અને કાર્ડિયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ક્રુચોફે ‘મંત્ર’ નામનો પ્રોજેકટ સંભાળ્યો હતો. ‘મંત્ર’ એટલે મોનિટરિંગ એન્ડ એકયુલાઇઝેશન ઓફ નોએટિક ટીચિંગ્સ.

આ નોએટિક ટીચિંગ્સ એટલે પૂરક થેરાપી, જેમાં ન દવા-ઓસડિયાં હોય કે ન મસાજ-એકયુપ્રેશર જેવું કશુંય હોય. દેખીતું છે કે આ બધાને કારણે જાતજાતના સવાલો ઊભા થયા વગર ન રહે. ‘સાચું છે’, ડો. ક્રુચોફ કહે છે, ‘સ્ટાન્ડર્ડ હાઇટેક ટ્રીટમેન્ટમાં આઘ્યાત્મિક બળ ઉમેરાય તો એનાથી દર્દી ખરેખર જલદી સાજો થાય? એને ઓછી દવાની જરૂર પડે? ઓછી પીડા ભોગવવી પડે? - આવા બધા સવાલો તો ઊભા થવાના જ.’

મંગળ કામનાનો મંગળ પ્રભાવ

પ્રાર્થનાના હીલિંગ પાવરની વાત આવે ત્યારે ‘ડિસ્ટન્ટ પ્રેયર’ અથવા ‘ઇન્ટરસેસરી પ્રેયર’નો ઉલ્લેખ પણ થતો હોય છે. અમેરિકાના કેન્સાસ શહેરની એક હોસ્પિટલમાં ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ થયો હતો. હૃદયરોગથી પીડાતા અને હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓને બે જૂથમાં વહેંચી નાખવામાં આવ્યા. એક જૂથના દર્દીઓ એવા હતા જેઓ જલદી સાજા થઇ જાય તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી હતી. આને ‘ઇન્ટરસેસરી પ્રેયર’ કહેવામાં આવે છે.

મજાની વાત એ હતી કે આમાંના એક પણ દર્દીને કહેવામાં આવ્યું ન હતું કે તમારા માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ પ્રાર્થનાઓ સ્થાનિક ચર્ચ સાથે સંકળાયેલા વોલેન્ટિયરોએ કરી હતી. તેમને એક કાગળ પર દર્દીઓનાં નામ લખીને કહેવામાં આવેલું: આ બધા ઓછા દુખી થાય અને ઝડપથી રિકવર થાય તે માટે પ્રાર્થના કરો.

આ પ્રયોગનું તારણ શું આવ્યું? જે પાંચસો દર્દીઓ માટે ઇન્ટરસેસરી પ્રાર્થના કરવામાં આવી હતી તેમને ૧૧ ટકા ઓછાં કોમ્િપ્લકેશન્સ થયાં હતાં. એક આખા વર્ષ દરમિયાન કુલ ૯૯૦ દર્દીઓને કોરોનરી કેર યુનિટમાં દાખલ કરવામાં આવેલા. સ્ટાન્ડર્ડ કોરોનરી કેર સ્કોરિંગ સિસ્ટમ વડે પ્રેયર અને નોન-પ્રેયર ગ્રુપનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેઓ, જેમના માટે પ્રાર્થના કરવામાં નહોતી આવી તે દર્દીઓ કરતાં ઝડપથી સાજા થયા હતા. અલબત્ત, એવું નહોતું કે પ્રેયર ગ્રુપને હોસ્પિટલમાંથી જલદી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હોય.

આવું કેમ બન્યું? શું આ પ્રાર્થનાનો ચમત્કાર હતો? રિસર્ચ ટીમ કહે છે કે પ્રેયર ગ્રુપ અને નોન-પ્રેયર ગ્રુપ વરચે દેખાયેલા આ તફાવતને તાર્કિક રીતે સમજાવી શકાય તેમ નથી. રિસર્ચના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ‘અમે કંઇ ભગવાન પ્રાર્થનાનો જવાબ આપે છે યા તો ઇશ્વરનું અસ્તિત્વ છે એવું સાબિત કર્યું નથી.

આ પ્રયોગમાં ઇશ્વરના અસ્તિત્વની નહીં, ઇન્ટરસેસરી પ્રેયરની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રયોગના પરિણામને તર્ક વડે સમજાવી શકાય તેમ નથી.’ અહીં મહત્ત્વનો સવાલ એ ઊઠે છે કે તર્કસંગત ન હોય તેવા અખતરાનો કશો અર્થ ખરો?

શ્રદ્ધાનો હો વિષય, તો પુરાવાની શી જરૂર

વૈજ્ઞાનિકો કહે છે કે દર્દીઓને ઓલરેડી ખબર હોય કે કોઇ તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે તો શકય છે કે આ વાતની દર્દી પર મનોવૈજ્ઞાનિક સ્તરે પોઝિટિવ અસર થાય અને તેના લીધે તેઓ ઝડપથી સાજા થાય. બાકી આ રીતે દર્દીઓ માટે ગુપચુપ કરી લેવામાં આવતી પ્રાર્થનાની તેમના પર સારી અસર શી રીતે થાય તે સમજાય એવું નથી.

ઇન્ટરસેસરી પ્રેયરને લગતા ઘણા પ્રયોગ કરવામાં આવ્યા છે, પણ સૌનાં તારણ વત્તેઓછે અંશે આ જ રીતે અસ્પષ્ટ રહ્યાં છે. વળી, લ્યુકેમિયાના દર્દીઓ તેમ જ એન્કઝાયટી(બેચેની) અને ડિપ્રેશન (નોંધપાત્ર હતાશા)થી પીડાતા દર્દીઓ પર ઇન્ટરસેસરી પ્રાર્થનાની નોંધપાત્ર અસર નોંધાઇ નહોતી. બીજી બાજુ એઇડ્સના દર્દીઓ પર તેની સારી અસર થઇ હોવાનું જાણવામાં આવ્યું...

પણ પ્રાર્થનાથી અમુક રોગના દર્દીઓ પર સારી અસર થાય અને અમુક બીમારીથી પીડાતા દર્દીઓ પર અસર ન થાય એવું કેમ? વેલ, આ સવાલનો પણ કોઇ તાર્કિક જવાબ નથી!

સો વાતની એક વાત. પ્રાર્થનાની શકિતને માપવાની પળોજણમાં બહુ પડવા જેવું નથી. પ્રાર્થના જો શ્રદ્ધાનો ઇલાકો ગણાતો હોય તો શું શ્રદ્ધા ખુદ અત્યંત શકિતશાળી જીવનબળ નથી? પથ્થર પર ત્રણ આડા લીટા તાણી દેવાથી જો એ શિવલિંગ બની જતું હોય તો ભકતોની શ્રદ્ધા તે પથ્થરમાં શંકર ભગવાનના આત્માનું આરોપણ કેમ ન કરી શકે?

જો તમને પ્રાર્થના કરવાથી સારું લાગતું હોય તો બીજી કોઇ લપછપમાં પડયા વગર પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. પ્રાર્થનાને કારણે જો માનસિક રીતે રાહત રહેતી હોય અને ટકી રહેવાનું બળ મળતું હોય તો એના કરતાં ચઢિયાતી વાત બીજી કઇ હોવાની?

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory