
સારી આદતો માટે શરમ ન અનુભવો
Jivan DarshanSaturday, July 04, 2009 00:11 [IST] 
ખોટી વાતોનો વિરોધ હાજરજવાબીથી પણ કરી શકાય છે. આવું કરવાથી બિનજરૂરી તણાવ પેદા થતો અટકાવી શકાય છે અને સામેવાળી વ્યકિતને કશું કહેવા-કરવાનું બાકી રહેતું નથી.
જયોર્જ બર્નાર્ડ શો પોતાના જમાનાના પ્રખ્યાત સાહિત્યકાર અને નાટયકાર હતા. પ્રસિદ્ધિની ટોચે હોવા છતાં તેમનામાં જરા પણ અહંકાર નહોતો અને તેમની રહેણીકરણી પણ સામાન્ય હતી. આવા સરળ સ્વભાવને કારણે જ તેઓ લોકો વરચે ખૂબ લોકપ્રિય હતા અને દરેક વર્ગના લોકો તેમને મળવા માટે આવતા હતા. એક દિવસ એક વ્યકિત બર્નાર્ડ શોને પોતાને ત્યાં ભોજન માટે આમંત્રણ આપવા આવી.
શોએ તેમનું આમંત્રણ તો સ્વીકારી લીધું, સાથે સાથે કહી દીધું કે પોતે શાકાહારી છે અને તેઓ જો તેમના માટે શાકાહારની વ્યવસ્થા કરી શકશે તો જ તેઓ તેમના ઘરે જમવા આવી શકશે. બર્નાર્ડ શો બીજા દિવસે પેલાના ઘરે જમવા પહોંચ્યા. તેમણે ટેબલ પર રાખેલું સલાડ ખાવા માંડયું. ત્યારે માંસાહારનો સ્વાદ લેનારો એક માણસ તેમના પર હસવા માંડયો. શોએ તેના તરફ ઇશારો કરીને હસવાનું કારણ પૂછ્યું, તો તેણે કહ્યું જનાબ, મુર્ગા ખાવ મુર્ગા. આ ઘાસફુસ શું ખાઈ રહ્યા છો.
શોએ હસતાં હસતાં તત્કાળ કહ્યું, ભાઈસાહેબ, આ મારું પેટ છે, કોઈ કબ્રસ્તાન નથી કે હું તેમાં મરેલી ચીજો દફન કરતો રહું. આ સાંભળી પેલો માણસ છોભીલો પડી ગયો.
જયોર્જ બર્નાર્ડ શોનો આ પ્રસંગ સંકેત કરે છે કે તમે તમારી સારી આદતો માટે કયારેય શરમ અનુભવો નહીં અને સામેવાળાને વિવેક ગુમાવ્યા વિના યોગ્ય ઉત્તર આપવાનું પણ ચૂકો નહીં. ઘણી વાર ખોટી વાતોનો વિરોધ વિવાદને બદલે હાજરજવાબીથી પણ કરી શકાય છે. આવું કરવાથી બિનજરૂરી તણાવ પેદા થતો અટકાવી શકાય છે અને સામેવાળી વ્યકિતને કશું કહેવા-કરવાનું બાકી રહેતું નથી.
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Friday, July 3, 2009
સારી આદતો માટે શરમ ન અનુભવો
Posted by Vijaykumar Dave at 3:21 PM
Subscribe to:
Post Comments (Atom)
India Counts
Add My Site Directory
Blog Directory
Blog Directory
Easy Seek-Free Search
All-Blogs.net directory
Blog Directory
Add to Bloglines
1 comment:
dear vijay,
congrats to you, i visited ur blog for first time. really very good efforts. keep it up.
kartik kamdar
Post a Comment